ભરૂચ: દહેજના SRF ફાઉન્ડેશન દ્ધારા કોરોના રસીકરણ કેમ્પ યોજાયો, 4 હજાર લોકોએ લીધો લાભ

વાગરાના જોલવા સ્થિત SRF કંપનીના એસઆરએફ ફાઉન્ડેશન દ્વારા કોરોનાને મ્હાત આપવા રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

New Update

વાગરાના જોલવા સ્થિત SRF કંપનીના એસઆરએફ ફાઉન્ડેશન દ્વારા કોરોનાને મ્હાત આપવા રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.વેકસીનેશન કાર્યક્રમનો ચાર હજાર થી વધુ લોકોએ લાભ લીધો હતો.

Advertisment

કોરોના સામેનો જંગ જીતવા માટેનો માત્ર એક ઉપાય રસીકરણ છે એટલેજ કેન્દ્ર સરકારે વેકસીનેશન પર ભાર મૂકી લોકો કોરોનાની રસી લઈ સુરક્ષિત બને એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.તો બીજી તરફ કંપની સત્તાધીશો તેમજ અનેક સામાજિક સંસ્થાઓ કોરોના વેકસીન લોકો લે એ માટે આગળ આવી છે.વાગરા તાલુકાના જોલવા ખાતે આવેલ એસ.આર.એફ. કંપનીના ફાઉન્ડેશન દ્ધારા રસીકરણ કેમ્પનું આયોજન ભરૂચની પામલેન્ડ હોસ્પિટલ અને દહેજની ફોર્ચુન હોટલમાં કરવામાં આવ્યુ હતુ. જેમાં ચાર હજાર થી વધુ લોકોએ રસીકરણ કરાવ્યુ હતુ.રસીકરણ કેમ્પમાં કંપનીના ગિરીશ ગોયલ,દિનેશ બાબુ,હિમાંશુ કડિયા,અરવિંદ આંત્રે,પ્રખર માથુર,પુજા ચંદ્ર,જીતુ ચૌહાણ તેમજ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment