ભરૂચ: દહેજના SRF ફાઉન્ડેશન દ્ધારા કોરોના રસીકરણ કેમ્પ યોજાયો, 4 હજાર લોકોએ લીધો લાભ

વાગરાના જોલવા સ્થિત SRF કંપનીના એસઆરએફ ફાઉન્ડેશન દ્વારા કોરોનાને મ્હાત આપવા રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

New Update

વાગરાના જોલવા સ્થિત SRF કંપનીના એસઆરએફ ફાઉન્ડેશન દ્વારા કોરોનાને મ્હાત આપવા રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.વેકસીનેશન કાર્યક્રમનો ચાર હજાર થી વધુ લોકોએ લાભ લીધો હતો.


કોરોના સામેનો જંગ જીતવા માટેનો માત્ર એક ઉપાય રસીકરણ છે એટલેજ કેન્દ્ર સરકારે વેકસીનેશન પર ભાર મૂકી લોકો કોરોનાની રસી લઈ સુરક્ષિત બને એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.તો બીજી તરફ કંપની સત્તાધીશો તેમજ અનેક સામાજિક સંસ્થાઓ કોરોના વેકસીન લોકો લે એ માટે આગળ આવી છે.વાગરા તાલુકાના જોલવા ખાતે આવેલ એસ.આર.એફ. કંપનીના ફાઉન્ડેશન દ્ધારા રસીકરણ કેમ્પનું આયોજન ભરૂચની પામલેન્ડ હોસ્પિટલ અને દહેજની ફોર્ચુન હોટલમાં કરવામાં આવ્યુ હતુ. જેમાં ચાર હજાર થી વધુ લોકોએ રસીકરણ કરાવ્યુ હતુ.રસીકરણ કેમ્પમાં કંપનીના ગિરીશ ગોયલ,દિનેશ બાબુ,હિમાંશુ કડિયા,અરવિંદ આંત્રે,પ્રખર માથુર,પુજા ચંદ્ર,જીતુ ચૌહાણ તેમજ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ: ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજાને જેલ મુક્ત કરવાની માંગ, પાસા હેઠળ કરવામાં આવી છે અટકાયત

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પી.ટી.જાડેજાની પાસા કાયદા હેઠળ જેલમાં કેદ કરવામાં આવ્યા છે. તેઓને તાત્કાલિક જેલ મુક્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી

New Update
  • ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

  • રાજપૂત યુવા સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

  • ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને મુક્ત કરવા માંગ

  • પાસા હેઠળ કરવામાં આવી છે અટકાયત

  • ખોટી રીતે કાર્યવાહી કરાય હોવાના આક્ષેપ

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પી.ટી.જાડેજાને તાત્કાલિક જેલ મુક્ત કરવાની માંગ સાથે ભરૂચ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું.
ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રદેશ મંત્રી સહિત સમાજના તમામ સભ્યોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું.જેમાં જણાવ્યા અનુસાર અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પી.ટી.જાડેજાની પાસા કાયદા હેઠળ જેલમાં કેદ કરવામાં આવ્યા છે.જેના સામે સમાજના તમામ સંગઠનોએ વખોડી કાઢી તેઓને તાત્કાલિક જેલ મુક્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં અમરનાથ મંદિરમાં આરતી કરવા જેવી બાબતે બોલાચાલી થતાં ધમકી આપવામાં આવી હોવાના આક્ષેપ સાથેની ઓડિયો-ક્લિપ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ હતી. એ બાદ તેમને પાસા હેઠળ અમદાવાદ સાબરમતી જેલ ખાતે મોકલવા કાર્યવાહી કરવામાં આવી હતી.