ભરૂચ : મિસ્બાહી વેલ્ફર મિશન દ્વારા કોઠી-વાતરસા ગામે મહિલાઓની કેળવણી અંગે ઇજતેમાં યોજાયો

ભરૂચ જિલ્લાના કોઠી-વાતરસા ગામે મહિલાઓનો ઇજતેમાં યોજાયો હતો. જેમાં લગ્નમાં થતા કુરિવાજોને અટકાવવા તેમજ ખોટા ખર્ચાઓથી બચવા આહવાન કરાયું હતું.

New Update

ભરૂચ જિલ્લાના કોઠી-વાતરસા ગામે મહિલાઓનો ઇજતેમાં યોજાયો હતો. જેમાં લગ્નમાં થતા કુરિવાજોને અટકાવવા તેમજ ખોટા ખર્ચાઓથી બચવા આહવાન કરાયું હતું.

Advertisment

ભરૂચના કોઠી-વાતરસા ખાતે જિલ્લા કક્ષાનો મુસ્લિમ મહિલાઓની કેળવણી અંગે એક ભવ્ય ઈજતેમાં યોજાયો હતો. મિસ્બાહી મિશન દ્વારા આયોજિત ઇજતેમામાં ખૂબ વિશાળ સંખ્યામાં અનેક ગામોની મહિલાઓ તેમજ ભરૂચ જિલ્લાની સ્કોલર આલીમાઓ ઉપસ્થિત રહી હતી. જેમાં આલિમાં મુમતાઝ બહેન (સાંસરોદ) દ્વારા લગ્નમાં થતા કુરિવાજોને અટકાવવા તેમજ ખોટા ખર્ચાઓથી બચવા સલાહ આપવામાં આવી હતી. આલીમા તસ્લીમા મોહસીન (થામ) દ્વારા મહેમાનોને આવકાર તેમજ સદ્દ વ્યવ્હાર કઈ રીતે કરવો એ અંગેની તાલીમ આપી હતી. સમગ્ર પ્રોગ્રામમાં આલીમા સૈયેદા મુસ્કાન, આલિમા અનીશા, આલિમા રોઝમીના, આલિમા ફરહિન, આલિમા ફેહમિદા, આલિમા મુનીરા, આલિમા રફિયા, આલિમા શબનમ, આલિમાં જમિલા, આલિમા શબાના અલિમા સીમા અને અલિમા સુમૈયા તેમજ અન્ય સ્કોલર આલિમાઓ ઉપસ્થિત રહ્યા હતા. કોઠી ગામના આગેવાનો નવ યુવાનો તથા મિસ્બાહી મિશનના ખાદીમોએ પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો.

Advertisment