Connect Gujarat
ભરૂચ

ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ બન્યો સ્યૂસાઇડ પોઈન્ટ ! યુવતીએ સ્યુસાઇડ નોટ લખી લગાવી મોતની છલાંગ

નર્મદા મૈયા બ્રિજ દિનપ્રતિદિન સ્યુસાઇડ પોઈન્ટ બનતો જઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે

ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ બન્યો સ્યૂસાઇડ પોઈન્ટ ! યુવતીએ સ્યુસાઇડ નોટ લખી લગાવી મોતની છલાંગ
X

ભરૂચ-અંકલેશ્વર વચ્ચે નવ નિર્માણ પામેલ નર્મદા મૈયા બ્રિજ દિનપ્રતિદિન સ્યુસાઇડ પોઈન્ટ બનતો જઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ભરૂચ નર્મદા નદી પરના નર્મદા મૈયા બ્રિજ પરથી સોનલ નામની એક યુવતીએ પોતાનું પર્સ, ટિફિન, પગરખા અને એક સ્યુસાઇડ નોટ બ્રિજની રેલિંગ પાસે મુકી તેને તેના પ્રેમી મનોજે એ જીવવા લાયક નથી છોડી તે પ્રકારની બે પાનાની સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કરી મોતની છલાંગ લગાવી હોવાનું કહેવાય રહ્યું છે. બ્રિજ પર તેના સામાન અને સ્યુસાઇડ નોટ અંગેની જાણ સ્થાનિકોને થતા સ્થાનિકોએ મામલે પોલીસને જાણ કરી હતી.પોલીસે પણ તાત્કાલિક સ્થળ પર દોડી જઈ ફાયર વિભાગની મદદથી નર્મદા નદીમાં યુવતિની શોધખોળ હાથધરી હતી. પ્રાથમિક જાણકારી મુજબ સોનલ નામની આ યુવતી અંકલેશ્વર ખાતે રહે છે અને ભરૂચના મકતમપુર વિસ્તારમાં રહેતા મનોજ નામના ઈસમ સાથે તેને છેલ્લા કેટલાક સમયથી પ્રેમ સંબંધ હોય તેવો ઉલ્લેખ કર્યો છે અને પ્રેમ સંબંધમાં તેને ટોર્ચર અને લોકો સામે ખોટી સાબિત કરતો હોવાના આક્ષેપો સ્યુસાઇડ નોટમાં કર્યા હતા.હાલમાં સમગ્ર મામલે પોલીસ વિભાગ તરફથી યુવતીના પરિવારની તેમજ મનોજ નામના જે વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે વ્યક્તિની શોધખોળ હાથધરી છે તેમજ સમગ્ર મામલા અંગે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Next Story