Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ઝઘડીયાની હઝરત કાયામુદ્દિન બાવાની દરગાહના સંદલ અને 13મા ઉર્સની શાનો શોકતથી ઉજવણી કરાય

ભરૂચ જિલ્લાના ઝઘડીયા સ્થિત હઝરત કાયામુદ્દિન બાવાની દરગાહ ખાતે સંદલ અને ૧૩મા ઉર્સની ઉજવણી શાનો શોકતથી ઉજવણી કરવામાં આવી હતી

ભરૂચ : ઝઘડીયાની હઝરત કાયામુદ્દિન બાવાની દરગાહના સંદલ અને 13મા ઉર્સની શાનો શોકતથી ઉજવણી કરાય
X

ભરૂચ જિલ્લાના ઝઘડીયા સ્થિત હઝરત કાયામુદ્દિન બાવાની દરગાહ ખાતે સંદલ અને ૧૩મા ઉર્સની ઉજવણી શાનો શોકતથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ દ્વારા ગાદીપતિ હઝરાતોનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

ઘેર ઘેર ગાયો પાળોનો સંદેશ આપનાર તેમજ કોમી એકતાના પ્રખર હિમાયતી મોટામિયા માંગરોલની ‌ગાદીવાળા હઝરત કાયામુદ્દિન બાવાની ઝઘડીયા સ્થિત દરગાહ શરીફના ૧૩મા વાર્ષિક ઉર્સની ભવ્ય ઉજવણી કરવામાં આવી. તા. ૧૫મી રવિવારના રોજ સાંજના ૪ વાગ્યે દરગાહ ખાતેથી સંદલ શરીફનું જુલુસ નીકળ્યું હતું, જે નગરના વિવિધ વિસ્તારોમાં ફરી દરગાહ શરીફે પહોંચ્યું હતું. આ પ્રસંગે એકલબારા ખાતેના ગાદીપતિ હઝરત કદીરુદ્દિનબાવા તેમજ ઝઘડીયા ખાતેના ગાદીપતિ હઝરત રફીકુદ્દિનબાવાનું ઝઘડીયા સુલતાનપુરાના સરપંચ સુરેશ વસાવા, ઉપસરપંચ વિનોદ વસાવા, ભાજપા અગ્રણી સંજય ચૌહાણ તેમજ સમાજ અગ્રણીઓ દ્વારા ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

હઝરત કાયામુદ્દિનબાવાની દરગાહે પરંપરાગત સંદલ શરીફ ચઢાવવામાં આવ્યું હતું. ઝઘડીયા ચિશ્તીયા કમિટીના પ્રમુખ અબ્દુલલતિફ શેખ સહિત કમિટિ સભ્યોએ ઉર્સ નિમિત્તે જહેમત ઉઠાવી પ્રસંગને સફળતાપૂર્વક પાર પાડ્યો હતો. તા. ૧૬ મીના રોજ હઝરતના ઉર્સમાં ભાગ લેવા ઠેરઠેરથી હઝરતના મુરીદો (શિષ્યો) મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, મોટામિયા માંગરોલની ગાદીવાળા હઝરાતોની દરગાહો પર ભગત ભાઇઓ દ્વારા ભજનના કાર્યક્રમ પણ યોજાતા હોય છે. ઝઘડીયા ખાતે કુમાર શાળાથી સુલતાનશાપીર દરગાહ સુધીના માર્ગને ૨૦૧૯માં હાજીપીર કાયામુદ્દિન મોટામિયા ચિશ્તી માર્ગ નામ આપવામાં આવ્યું હતું. હાલ ગ્રામ પંચાયત પદાધિકારીઓ દ્વારા આ માર્ગ પર નામાંકન મુજબના નામના બોર્ડ મુકવામાં આવ્યા છે. હઝરત કાયામુદ્દિનબાવાની દરગાહના સંદલ તેમજ ઉર્સમાં ભાગ લેવા મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું.

Next Story