Connect Gujarat
ભરૂચ

ભરૂચ: આજથી ગુજરાતના તલાટી મંત્રીઓ ઉતર્યા હડતાળ પર,વાંચો કયા પ્રશ્નોના કારણે છે વિરોધ

ભરૂચ: આજથી ગુજરાતના તલાટી મંત્રીઓ ઉતર્યા હડતાળ પર,વાંચો કયા પ્રશ્નોના કારણે છે વિરોધ
X

આજથી રાજ્યમાં તલાટી મંત્રીઓ વિવિધ માંગને લઈને હડતાળ પર ઉતર્યા છે.તલાટીઓની આ હડતાળ 4 ઓક્ટોબર સુધી ચાલશે તે બાદ તેઓ 5 ઓક્ટોબરે કાળી પટ્ટી બાંધી કામગીરીમાં જોડાશે, ત્યારે રાજ્યમાં તલાટીઓની હડતાળથી સરકારની રાહત કામગીરી પણ પ્રભાવિત બને તેવું જોવાઈ રહ્યું છે. મહત્વનું છે કે રાજ્યમા નવી સરકાર અને નવું મંત્રી મંડળ અસ્તિત્વમાં આવી છે, ત્યારે સરકાર સામે તલાટીઓ પોતાની માંગનો લઈને અડગ જોવા મળી રહ્યા છે જેથી આજે ગુજરાતના તમામ તલાટી મંત્રીઓ કામથી અડગા રહીને વિરોધ નોંધાવશે.

ભરૂચ જિલ્લાના હાંસોટ ખાતે તલાટી મંડળ દ્વારા ધરણા પ્રદર્શન યોજાયા હતા અને પડતર માંગણીઓ સંતોષવા માંગ કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં હાંસોટ તાલુકા તલાટી મંડળના પ્રમુખ હિતેન્દ્ર પટેલ,મહામંત્રી રાહુલ પટેલ,જશવંતીબહેન પટેલ,અનિલા પટેલ સહિત 32 તલાટીઓ જોડાયા હતા અને કામગીરીનો બહિષ્કાર કર્યો હતો. અહી ઉલ્લેખનિય છે છેલ્લા ઘણા સમયથી તલાટીઓ દ્વારા સરકાર સામે પોતાની માંગોને લઈને વિવિધ રજૂઆત કરવામાં આવી છે પરતું સરકાર દ્વારા હજુ સુધી કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી. તલાટીઓની માંગ છે કે વર્ષ 2004-05માં ફીક્સ પગારની નિમણૂંક પામેલા તલાટીઓની 5 વર્ષની સેવાને સળંગ ગણવામાં આવે તેમજ 2007ના તલાટી સિનિયર અને 2005ના તલાટી જૂનિયર ગણાય છે ત્યારે આ મુદ્દે નિર્ણય કરવામાં આવે, તેમજ 2004-05માં ભરતી થયેલા 975 તલાટીઓનો નિર્ણય સરકાર કરતી નથી તેને લઈ સરકાર સામે જલ્દી નિર્ણય કરવાની માંગ કરાવમાં આવી રહી છે.

તલાટીઓ માંગ કરી રહ્યા છે કે 2007ના તલાટીને 12 વર્ષની નોકરી પછી પણ ઉચ્ચત્તર પગાર ધોરણ મળતું નથી, અને E-TASથી તલાટીઓની હાજરી પૂરાય છે તે નિર્ણયને રદ કરવાની પણ તલાટીઓ માંગ કરી રહ્યા છે. મહત્વનું છે કે વિવિધ મુદતોમાં જવાનું હોય છે તેથી E-TASથી હાજરી પૂરવી શક્ય નથી તેમજ રાજ્યમાં 18 હજાર ગામો વચ્ચે 9 હજાર જ તલાટીઓ છે તેથી ગામે ગામે જઈને હાજરી પૂરવાનો નિર્ણય રદ કરવો જોઇએ તેવી તલાટીઓ માંગ કરી રહ્યા છે. તલાટીઓની સીધી ભરતી કરતા પહેલા હાલના જિલ્લા ફેરબદલીની અરજીઓ ધ્યાને લેવાતી નથી એટલું જ નહીં નિયમ છતાં 5 વર્ષ પૂર્ણ ન થાય ત્યાં સુધી બદલી પણ આપવામાં આવતી નથી, ત્યારે પંચાયત વિભાગ સિવાયની અન્ય વિભાગની વધારાની કામગીરી સોંપવામાં આવે છે તે બંધ થાય તેવી તલાટીઓ માંગ કરી રહ્યા છે.

આ ઉપરાંત બેંકોના કામ, જમીન સંપાદનની કામગીરી કરાવાય છે જે બંધ થવી જોઈએ તેમજ મનરેગાના કામની તમામ જવાબદારી સોંપાય છે જેને બંધ કરવી જોઈએ તેવું પણ તલાટીઓની માંગ છે. આ ઉપરાંત પણ તલાટીઓની વિવિધ માંગોને લઈને તલાટીઓ રજૂઆત કરી રહ્યા છે ત્યારે જોવાનું રહ્યું ક્યારે તલાટીઓની આ માંગ સંતોષાય છે.

Next Story