Connect Gujarat
ભરૂચ

ભરૂચ: બ્રહ્માકુમારીઝ સેન્ટર ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો

ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય ખાતે શનિવારના રોજ મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો હતો

ભરૂચ: બ્રહ્માકુમારીઝ સેન્ટર ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો
X

ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય ખાતે શનિવારના રોજ મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો હતો. આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત મહિલા સશક્તિકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલાઓ કઈ રીતે પગભર થાય મહિલાઓ પોતાનો વિકાસ કઈ રીતે કરી શકે મહિલા કઈ રીતે પોતાની રોજગારી પ્રાપ્ત કરી શકે નારી શક્તિ મહાન જેવા અનેક સૂત્રો દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો. હાલ સતત ને સતત મોંઘવારીએ માજા મૂક્યા છે

ત્યારે આવી પરિસ્થિતિઓમાં પરીવાર માં એક વ્યક્તિ કમાઈ એ હવે નહીં ચાલે એવું ક્યારે પોસાય નહીં ત્યારે હવે સ્ત્રીઓ પણ જાગૃત થાય અને તેઓ પણ દરેક ક્ષેત્રમાં આગળ વધે તે લક્ષ્ય થી ઝાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારી દ્વારા આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિવિધ સેન્ટરના બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ જ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ઝાડેશ્વર બ્રહ્માકુમારી સેન્ટરના મુખ્ય સંચાલિકા પ્રભાદિદિજીએ જણાવ્યું હતું કે નારી શક્તિ સૌથી મહાન છે નારીએ પરિવારનો તો વિકાસ કરે છે સાથે સાથે તેનો પણ વિકાસ થાય તેને ધ્યાનમાં રાખી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

Next Story