ભાવનગર : દિવાળીના દિવસે પતિએ જ કરી પત્નીની હત્યા, આંતરિક ઝગડો હોવાનું અનુમાન..!
ભાવનગર શહેરમાં દિવાળીના દિવસે જ પતિએ પત્નીની હત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે.
ભાવનગર શહેરમાં દિવાળીના દિવસે જ પતિએ પત્નીની હત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે. પતિ અને પત્ની વચ્ચેના આંતરિક ઝગડાના કારણે પતિએ આ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, ભાવનગર શહેરની સરિતા સોસાયટીની શેરી નંબર 6માં રહેતા પ્રવીણ નાવડીયાની 18 વર્ષીય પુત્રીએ 1 વર્ષ પૂર્વે વિશાલ વાઘેલા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જોકે, સુખી લગ્નજીવનમાં થોડા સમય બાદ બન્ને વચ્ચે નાના મોટા ઝઘડા થયા કરતાં હતા. સમય જતાં આંતરિક ઝગડો વધતા પત્ની પોતાના પિયર પરત આવી ગઈ હતી. જોકે, દોઢ વર્ષથી પિયરમાં રહેતી પત્નીને અવારનવાર તેનો પતિ આવીને ધમકી આપતો હતો. જે અંગે પરિણીતાના પરિવારજનો દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી. જેની રીસ રાખી પતિ વિશાલ અને તેનો મિત્ર કલ્પેશ ઢાંધલકે મળી પરિણીતાના ઘરે જઈને તેણીને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો, ત્યારે ગંભીર ઇજાના પગલે પરિણીતાનું મોત નીપજ્યું હતું. જોકે, દિવાળીના દિવસે જ પતિએ પત્નીની હત્યા કરતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી.