ભરૂચ જિલ્લા વિપ્ર ફાઉન્ડેશનના અધ્યક્ષ તરીકે યોગેશ પારિકની વરણી
રાષ્ટ્રીય એકતા અને સામાજિક સમરસતાના ઉદ્દેશ્ય સાથે વિપ્ર ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી છે ...
રાષ્ટ્રીય એકતા અને સામાજિક સમરસતાના ઉદ્દેશ્ય સાથે વિપ્ર ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી છે જેની અગત્યની બેઠક તારીખ 31મી જુલાઇના રોજ અંકલેશ્વર જીઆઈડીસી ખાતે મળી હતી જેમાં વિપ્ર ફાઉન્ડેશન ભરૂચ જિલ્લાના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. વિપ્ર ફાઉન્ડેશન ભરૂચ જિલ્લાના પ્રમુખ તરીકે યોગેશ પારિકની વરણી કરવામાં આવી છે. તો ઉપપ્રમુખ તરીકે સંદીપ શર્મા, મહામંત્રી તરીકે કે. આર.જોષી અને ખજાનચી તરીકે બજરંગજી સારસ્વતની વરણી કરવામાં આવી છે.
આ પ્રસંગે વિપ્ર ફાઉન્ડેશનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સાંવરમલ માટોલીયા,રાષ્ટ્રીય કાર્યકારી સભ્યો અર્જુનસિંહ રાજપુરોહિત અને બાબુલાલ પાલીવાલ, ગુજરાત પ્રદેશ પ્રમુખ તુલસીરામ રાજપુરોહિત, ગુજરાત રાજ્ય મહામંત્રી મીઠાલાલ પાલીવાલ, ગુજરાત રાજ્ય સંગઠન મંત્રી અશોકજી સારસ્વત ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિતો દ્વારા નવ નિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા