Connect Gujarat
ભરૂચ

ભરૂચ અને અંકલેશ્વરમાં ઈદ એ મિલાદના પર્વની ઉત્સાહભેર ઉજવણી,ઠેર ઠેર ભવ્ય ઝુલુસ નીકળ્યા

ઈદ-એ-મિલાદ ઉજવણીના ભાગરૂપે સવારી ગલી અને મહોલ્લાઓમાં નાના બાળકો અને મોટાઓએ ઝુલૂસ કાઢી ઇટેમિલાદના પર્વની ઉજવણી કરી હતી..

X

ભરૂચ-અંકલેશ્વરમાં ઇદ એ મિલાદના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. ઇસ્લામ ધર્મના અંતિમ પયગમ્બર હઝરત મહંમદ જેમને અલ્લાહે પોતે દેવદત જિબાઈલ દ્વારા કુરાનની સંદેશ આપ્યો હતો. મુસ્લીમ સમાજ હંમેશા તેમના માટે સંપૂર્ણ આદર ભાવ ધરાવે છે. આ દિવસે આખી રાત પ્રાર્થના ચાલે છે. મહમદ પયગંબરના પ્રતીકાત્મક પગલાઓના નિશાન પર પ્રાર્થના કરવામાં આવે છે.

આ દિવસ પેગંબર મોહમ્મ હજરત સાહેબને વંચાય છે અને તેમને યાદ કરાય છે. ઇસ્લામનું સૌથી પવિત્ર પુસ્તક કુરાન પણ આ દિવસે વાંચવામાં આવે છે એવુ કહેવાય છે કે આ દિવસે નિયમોનું પાલન કરવાથી, તે લોકો અલ્લાહની નજીક જાય છે અને અલ્લાહની દયા તેના પર હોય છે ત્યારે ભરૂચ અકલેશ્વરમાં મુસ્લિમ બિરાદરોએ ઇદે મિલાદની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.ભરૂચમાં ઈદ-એ-મિલાદ ઉજવણીના ભાગરૂપે સવારી ગલી અને મહોલ્લાઓમાં નાના બાળકો અને મોટાઓએ ઝુલૂસ કાઢી ઇટેમિલાદના પર્વની ઉજવણી કરી હતી..

Next Story