Connect Gujarat
Featured

કોરોના મહામારી : રાજ્યમાં આજે વધુ 1067 નવા કેસ નોધાયા,13 દર્દીઓના મોત

કોરોના મહામારી : રાજ્યમાં આજે વધુ 1067 નવા કેસ નોધાયા,13 દર્દીઓના મોત
X

ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના વધુ 1067 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. અને વધુ 13 દર્દીઓના મોત થયા છે. જ્યારે 1021 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 87846 પર પહોચી છે. જ્યારે કુલ મૃત્યુઆંક 2910 થયો છે.

રાજ્યમાં આજે 1067 નોધાયેલ કેસ પૈકી સુરત કોર્પોરેશનમાં 159, અમદાવાદ કોર્પોરેશનમાં 151, વડોદરા કોર્પોરેશનમાં 88, જામનગર કોર્પોરેશન 77, સુરતમાં 70, રાજકોટ કોર્પોરેશનમાં 67, વડોદરા 32, રાજકોટ 31, ભાવનગર કોર્પોરેશન 30, પંચમહાલ 27, કચ્છ 25, ગીર સોમનાથ 20, ભાવનગર 19, મોરબી 17, અમરેલી 16, ગાંધીનગર 16, અમદાવાદ 14, બનાસકાંઠા 14, ભરૂચ 14, મહેસાણા 14, દેવભૂમિ દ્વારકા 13, જુનાગઢ 13, જુનાગઢ કો4પોરેશન 13, પાટણ 12, મહીસાગર 11, પોરબંદર 11, ગાંધીનગર કોર્પોરેશન 10, નવસારી 10, બોટાદ 9, જામનગર 9, દાહોદ 8, નર્મદા 8, તાપી 8, ખેડા 7, અરવલ્લી 6, સાબરકાંઠા 5, વલસાડ 5, આણંદ 4, છોટા ઉદેપુર 2 અને સુરેન્દ્રનગરમાં 2 કેસ નોંધાયા છે.

રાજ્યમાં આજે 13 દર્દીઓના કોરોના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 3, રાજકોટ કોર્પોરેશનમાં 2, સુરતમાં 2, વડોદરા કોર્પોરેશમાં 2 અને ભાવનગરમાં 1 દર્દીનું મોત થયું છે.

રાજ્યમાં સાજા થવાનો દર 80 ટકા પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 70250 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. હાલ 14686 એક્ટિવ કેસ છે, જેમાંથી 75 દર્દી વેન્ટીલેટર પર છે અને 14611 લોકો સ્ટેબલ છે.

Next Story