દાહોદ : ચોસાલા ગામ પાસે આવેલો છે કેદારનાથ મહાદેવનો ધોધ, જુઓ કેવો છે નજારો

New Update
દાહોદ : ચોસાલા ગામ પાસે આવેલો છે કેદારનાથ મહાદેવનો ધોધ, જુઓ કેવો છે નજારો

ચોમાસામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતી હોય છે ત્યારે દાહોદ નજીક આવેલા ચોસાલા ગામ ખાતે આવેલા કેદારનાથ મહાદેવ મંદિર ખાતે આવેલો ધોધ આર્કષણ જમાવી રહયો છે.

Advertisment

દાહોદ જિલ્લામાં છેલ્લા બે દિવસથી સાવત્રિક વરસાદના કારણે ધોધ વહેતા થયાં છે. દાહોદ નજીક આવેલા ચોસાલા ગામ ખાતે આવેલું પૌરાણિક કેદારનાથ મહાદેવના મંદિરે ઉપરથી પડતો ધોધ સોહામણો લાગી રહયો છે. આ ધોધને નિહાળવા તેમજ કેદારનાથ મહાદેવના દર્શન માટે શ્રધ્ધાળુઓ ઉમટી પડયાં હતાં. કેદારનાથના મહાદેવ મંદિર ખાતે ચોમાસાની ઋતુ બાદ પણ ચોવીસ કલાક મંદિરના ઉપરના ભાગે આવેલા પથ્થરોમાંથી કુદરતી રીતે પાણીની ધારાઓ વહેતી રહે છે. પણ ચોમાસામાં આહલાદક નજારો જોવા મળે છે. કેદારનાથના ધોધ જોવા આવેલાં સહેલાણીઓએ ધોધ તથા મંદિરોની તસવીરો લીધી હતી અને આનંદ માણ્યો હતો.

Advertisment