ગુજરાત યુનિવર્સિટીમાં 300 CCTV કેમેરા લગાવાશે, સરકારના આદેશ બાદ પ્રક્રિયા શરૂ...
આગામી 10 દિવસમાં યુનિ.માં કેમ્પસમાં નવા સીસીટીવી લગાવાશે. હાલ સરકારની એન્જસી હેઠળ ટેન્ડરીંગ પ્રક્રિયા કરવામાં આવી છે.

ગુજરાત સરકાર મુખ્ય શહેરોમાં જાહેર સ્થળો પર ફરજીયાત સીસીટીવી લગાવવાની ગાઈડલાઈન જાહેર કરી છે, ત્યારે સરકારના આદેશ બાદ ગુજરાત યુનિ.માં હાલ જ્યાં પણ નવી બિલ્ડીંગો-નવા ભવન ખાતે સીસીટીવી કેમેરા નથી, ત્યાં સીસીટીવી લગાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
ગુજરાત યુનિ.ની મળેલી સિન્ડિકેટમાં સરકારની સીસીટીવી ગાઈડલાઈન બાબતે ચર્ચા થઈ હતી. સિન્ડીકેટ બેઠકમાં નિર્ણય કર્યો છે કે, આગામી 10 દિવસમાં યુનિ.માં કેમ્પસમાં નવા સીસીટીવી લગાવાશે. હાલ સરકારની એન્જસી હેઠળ ટેન્ડરીંગ પ્રક્રિયા કરવામાં આવી છે. યુનિ.માં છેલ્લા કેટલાક વર્ષોમાં બનેલી નવા બિલ્ડિંગો-ભવન ખાતે તેમજ હાલ જ્યાં પણ સીસીટીવી નથી તે તમામ જગ્યાઓ પર સીસીટીવી લગાવાશે. આ ઉપરાંત કોલેજોને પણ 1 હજારથી વધુ લોકો એકઠા થતા હોઈ સરકારની આ ગાઈડલાઈન અંતર્ગત સીસીટીવી લગાવવા માટે સૂચના આપશે.
સરકારની ગાઈડલાઈનને પગલે લગભગ મોટા ભાગના તમામ શૈક્ષણિક સંસ્થાઓ કે, જ્યાં એક હજારથી વધુ વિદ્યાર્થીઓ-મુલાકાતીઓ, સ્ટાફ સહિતના લોકો આવતા હોવાથી ફરજિયાત સીસીટીવી લગાવાશે. યુનિ. દ્વારા ડિજિટલ ઈન અંતર્ગત હવે સીસીટીવી ફૂટેજ સ્ટોરેજની કેપિસિટી પણ વધારાશે અને સરકારની સૂચના મુજબ ૩૦ દિવસ સુધી રેકોર્ડિંગ રાખવાની વ્યવસ્થા કરાશે. સિન્ડીકેટ મીટિંગમાં કોલેજોમાં પર્યાવરણ સુરક્ષા માટે પણ ચર્ચા કરવામા આવી હતી, અને કોલેજો માટે એક એસઓપી જાહેર કરવાનું નક્કી કર્યું હતું.
રૂ. 20 કરોડ : ભરૂચના દહેજથી રાજસ્થાનના બાડમેર સુધી 2 મહાકાય રિએક્ટર...
8 Aug 2022 8:32 AM GMTરક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો સમયગાળો સવારે નહીં, પણ રાતે રહેશે...
6 Aug 2022 10:57 AM GMTઅંકલેશ્વર: સરદાર પટેલ હોસ્પિટલ નજીક ફાયરિંગમાં ઘવાયેલ ટ્રાવેલ્સ...
9 Aug 2022 10:58 AM GMTઅંકલેશ્વર : ઓરિસ્સાના 4 યુવાનો ટ્રાવેલ બેગમાં ગાંજાના મોટા જથ્થા સાથે...
10 Aug 2022 10:54 AM GMTઆઝાદીના અમૃતકાળના પર્વ પર અંકલેશ્વરની આ હોટલમાં આપને મળશે માત્ર 75...
11 Aug 2022 12:40 PM GMT
રાજ્યમાં આજે કોરોનાના 459 નવા કેસ નોધાયા, 922 દર્દીઓએ કોરોનાને આપી...
12 Aug 2022 4:45 PM GMTભરૂચ: K.J.ચોકસી પબ્લિક લાયબ્રેરીના ગ્રંથપાલ દ્વારા આઝાદીના અમૃતકાળની...
12 Aug 2022 3:20 PM GMTઅંકલેશ્વર : GIDCમાં આવેલ યોગેશ્વરનગરમાં 28 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ...
12 Aug 2022 3:02 PM GMTઅંકલેશ્વર : ગડખોલ વિસ્તારની રાધેક્રિષ્ના સોસાયટીમાં પ્રાથમિક સુવિધાનો...
12 Aug 2022 2:18 PM GMTભરૂચ : નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા, સરદાર સરોવર ડેમમાંથી 1.50 લાખ...
12 Aug 2022 1:24 PM GMT