વર્ષના અંતિમ દિવસે આવશે વિજય દેવરાકોંડા અને અનન્યા પાંડેની ફિલ્મ લાઈગરની પ્રથમ ઝલક

કરણ જોહર દ્વારા નિર્મિત અને પુરી જગન્નાધ દ્વારા દિગ્દર્શિત, લાઈગર એ 2022 ની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે.

New Update

કરણ જોહર દ્વારા નિર્મિત અને પુરી જગન્નાધ દ્વારા દિગ્દર્શિત, લાઈગર એ 2022 ની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે. તેલુગુ સિનેમા સ્ટાર વિજય દેવરાકોંડા આ ફિલ્મ દ્વારા બોલિવૂડમાં પદાર્પણ કરી રહ્યા છે. આ ફિલ્મ હિન્દીની સાથે તેલુગુમાં પણ બની છે. 2021ની વિદાય સાથે લાઈગરની પ્રમોશનલ પ્રવૃત્તિઓ વેગ પકડી રહી છે. ફિલ્મની પ્રથમ ઝલક વર્ષના અંતિમ દિવસે 31મી ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. કરણ જોહરે આ જાણકારી એક એનાઉન્સર વીડિયો સાથે શેર કરી છે.

આ વિડિયો સાથે કરણે લખ્યું- આખા દેશને બીસ્ટનો પરિચય કરાવવાનો સમય લગભગ આવી ગયો છે. તમારા નવા વર્ષની શરૂઆત જોરશોરથી અને તાજા મુક્કાઓ સાથે કરો. લાઈગરની પહેલી ઝલક 31 ડિસેમ્બરે સવારે 10.03 વાગ્યે રિલીઝ થશે.

લાઈગર એ બોક્સિંગ એક્શન-થ્રિલર ફિલ્મ છે જેમાં સુપ્રસિદ્ધ બોક્સર અને વિશ્વ ચેમ્પિયન માઇક ટાયસન મુખ્ય ભૂમિકામાં છે. લાઈગર 2022માં 25 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ તમિલ, મલયાલમ અને કન્નડમાં પણ રિલીઝ થશે.

વિજય દેવરાકોંડાએ તેલુગુ સિનેમામાં ઘણી હિટ ફિલ્મો આપી છે. ખાસ કરીને, અર્જુન રેડ્ડી માટે વિજય ઘણો ચર્ચામાં હતો. આ ફિલ્મ પાછળથી હિન્દીમાં કબીર સિંઘ નામ સાથે રિમેક કરવામાં આવી હતી, જેમાં શાહિદ કપૂર અને કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ ખૂબ જ સફળ રહી અને શાહિદની કારકિર્દીની સૌથી મોટી બોક્સ ઓફિસ સફળતા બની.

લાઈગર અનન્યા પાંડેની પહેલી ફિલ્મ છે, જે દક્ષિણ ભારતીય ભાષાઓમાં પણ બની છે. આ ફિલ્મ સાઉથ સિનેમામાં તેની ડેબ્યૂ ફિલ્મ ગણી શકાય. લાઈગર અગાઉ 2021 માં 9 સપ્ટેમ્બરે રિલીઝ થવાની હતી, પરંતુ કોરોનાવાયરસના બીજા લહેરને કારણે સિનેમાઘરો બંધ થવાને કારણે ફિલ્મની રિલીઝ મોકૂફ રાખવામાં આવી હતી.

Read the Next Article

સૈયારા ફિલ્મની સફળતા વચ્ચે અજય દેવગણનું મોટું નિવેદન

જે રીતે ડેબ્યૂ સ્ટાર અહાન-અનીતની ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે તેને જોતા અજય દેવગણે પણ પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ સન ઑફ સરદાર-2ની રિલીઝ ડેટ લંબાવી દીધી છે.

New Update
saiyaara

અનન્યા પાંડેનો પિતરાઈ ભાઈ અહાન પાંડે અને કાજોલ સાથે સલામ વેંકી માં નજર આવેલી એક્ટ્રેસ અનીત પડ્ડા હાલમાં ચર્ચામાં છે. આ બંનેએ યશરાજ બેનર હેઠળ બનેલી મોહિત સૂરીની ફિલ્મ સૈયારાથી બોલિવૂડમાં પોતાની શરૂઆત કરી છે. તેમની પહેલી જ ફિલ્મને દર્શકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. 

જે રીતે ડેબ્યૂ સ્ટાર અહાન-અનીતની ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે તેને જોતા અજય દેવગણે પણ પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ સન ઑફ સરદાર-2ની રિલીઝ ડેટ લંબાવી દીધી છે. જોકે, હવે સૈયારા ફિલ્મની સફળતા વચ્ચે બોલિવૂડના 'સિંઘમ'એ ન્યુ કમર્સની મોટી ગેરસમજણને દૂર કરવા માટે તેમને અરીસો દેખાડ્યો છે, જો તેને તેઓ સમજી લેશે તો ઈન્ડસ્ટ્રીમાં લાંબી રેસના ઘોડા બની શકે છે. 

અજય દેવગણે બોલિવૂડમાં એક લાંબો યુગ જોયો છે, આવી સ્થિતિમાં તેણે સક્સેસ અને ફેલિયર બંનેને સારી રીતે સમજ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઈબ્રાહિમ અલી ખાનથી લઈને વેદાંગ રેના અને સુહાના ખાન સહિત અનેક સ્ટાર કિડ્સ અને આઉટસાઈડર એક્ટર્સે ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો છે. જોકે, આ બધામાંથી અહાન પાંડે અને અનીત પડ્ડા પોતાના ડેબ્યૂમાં સફળ રહ્યા છે. જોકે, તેના પહેલાથી ફિલ્મથી લોકોએ તેને સ્ટાર કહેવાનું શરૂ કરી દીધુ છે, હવે અજય દેવગણે તેના પર પોતાની પ્રતિક્રિયા આપી છે.  

અર્ચના પૂરણ સિંહની યુટ્યુબ ચેનલ સાથે વાત કરતા અજય દેવગણે બંનેના નામ લીધા વિના કહ્યું કે, હું આ બધા માટે નથી કહી રહ્યો. કેટલાક લોકો સમજદાર હોય છે, પરંતુ મોટાભાગે લોકોને ખબર નથી હોતી કે તેઓ એક્ટર બનવા માગે છે કે સ્ટાર. તમે પહેલા જ દિવસે સ્ટાર નથી બની શકતા. સૌથી પહેલા તો તમારે એક્ટર બનવાનું છે. મને લાગે છે કે જે આઉટસાઈડર ફિલ્મોમાં આવે છે, તેમના મનમાં ઈન્ડસ્ટ્રીને લઈને ગેરસમજણ હોય છે. મને એ લાગે છે કે તે તમારું હાર્ડવર્ક છે. 

ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા સ્ટંટ કોરિયોગ્રાફર રહેલા વીરુ દેવગણ પાસેથી અજયે ફિલ્મમાં આવવા પહેલા શું-શું શીખ્યું તે પણ જણાવ્યું. તેણે કહ્યું કે, મેં ઈન્ડસ્ટ્રી વિશે જે પણ ટેકનિકલ બાબતો શીખી છે, તે મને તેમણે જ શીખવી છે. તેમનું કામ પ્રત્યે જે ડેડિકેશન હતું તે તેમણે મને પણ શીખવ્યું. મારા કામમાં તમે જે પ્રામાણિકતા જુઓ છો તે તેમના કારણે જ છે.'

અજય દેવગનની અપકમિંગ ફિલ્મ 'સન ઑફ સરદાર-2' ની રિલીઝની વાત કરીએ તો આ ફિલ્મ તૃપ્તિ ડિમરી અને સિદ્ધાંત ચતુર્વેદીની ફિલ્મ 'ધડક-2' સાથે પડદા પર ટકરાશે. પહેલી વાર દર્શકો આ ફિલ્મમાં અજય દેવગન અને મૃણાલ ઠાકુરની જોડી જોશે.

 CG Entertainment | Bollywod Film | box office | Ajay Devgn New Film | saiyaara