પ્રથમ ટેસ્ટ : વેસ્ટ ઇન્ડીઝે ઇંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું, ત્રણ ટેસ્ટની સીરિઝમાં 1-0ની લીડ મેળવી

New Update
પ્રથમ ટેસ્ટ : વેસ્ટ ઇન્ડીઝે ઇંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું, ત્રણ ટેસ્ટની સીરિઝમાં 1-0ની લીડ મેળવી

કોવિડ-19 મહામારી વચ્ચે લોકડાઉનની પરિસ્થિતીમાં ક્રિકેટના મેદાનો પણ સૂમસાન બન્યા છે. એટ્લે કે ક્રિકેટ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. માર્ચ મહિનાથી આઇસીસી દ્વારા પ્રતિબંધ જાહેર કરાયો હતો. ત્યારે હવે લાંબા સમય બાદ ક્રિકેટની ફરીથી શરૂઆત થઈ છે. ઈંગ્લેન્ડના ઘર આંગણે વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝનું આયોજન કરાયું છે. જેની સૌપ્રથમ મેચ સાઉથહમ્પટનમાં યોજાઇ હતી. દર્શકો વિનાના ખાલી સ્ટેડિયમમાં રમાયેલી ઘર આંગણાની પ્રથમ મેચમાં જ વિન્ડીઝે ઈંગ્લેન્ડે માત આપી હતી.

ક્રિકેટમાં પરત ફરવા સાથે જ ઇંગ્લેન્ડને તેના જ ઘર આંગણે વિન્ડીઝે હાર આપી છે. ત્યારબાદ દિગ્ગજોએ વિન્ડિઝ ટીમને શુભકામના પાઠવી છે.  રવિવારે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ એજેસ બાઉલ પર રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં પાંચમાં અને છેલ્લા દિવસે વિન્ડિઝ ટીમે યજમાન ટીમને 4 વિકેટ સાથે હરાવી ઇતિહાસ રચ્યો હતો. ઇંગ્લેન્ડે વિન્ડીઝને 200 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેને વિન્ડીઝે 64.2 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 200 રન બનાવી હાંસિલ કરી લીધો હતો. આ સાથે વિન્ડીઝ ટેસ્ટ સીરીઝમાં 1-0થી આગળ છે. આ જીત બાદ કેટલાક દિગ્ગજોએ વિન્ડીઝ ટીમને શુભકામના પાઠવી છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરે જીતને લઇને ટ્વીટ કર્યુ, ' બંને ટીમોએ સારૂ પ્રદર્શન કર્યુ. મહત્વના સમયે જેરેમી બ્લેકવુડે મહત્વની ઇનિંગ્સ રમી. આ જીત સાથે સીરીઝમાં સારી શરૂઆત કરી છે.'

વિન્ડીઝના પૂર્વ કેપ્ટન અને મહાન બેટ્સમેન લારાએ કહ્યું, ' પ્રથમ ટેસ્ટ મેચમાં વિન્ડીઝની શાનદાર જીત, અભિનંદન જેસન હોલ્ડર અને તેના સાથીઓને. આ સાથે કોચિંગ સ્ટાફ અને મેનેજમેન્ટને પણ અભિનંદન જેને આ ખેલાડીઓને તૈયાર કર્યા.'

આ ઉપરાંત વિન્ડીઝના મહાન ખેલાડી સર વિવિયન રિચર્ડ્સે પણ ટ્વીટ કર્યુ, ' શું જીત છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફરવા સાથે ટેસ્ટ અમે જીતી. ટીમે સારી પ્રદર્શન કર્યુ. આ ટીમ જીતની હકદાર છે. ટીમને અભિનંદન. અમને તમારા પર ગર્વ છે.'

Read the Next Article

અંકલેશ્વર: અસ્થિર મગજના ઇસમે વૃદ્ધ પર ચપ્પુના ઘા ઝીંકી ગામ માથે લીધું, અંતે પાલિકા અને પોલીસની ટીમે પકડ્યો

અંકલેશ્વરમાં અસ્થિર મગજના ઈસમે ગામ માથે લીધું હતું.ચપ્પુ લઇ એક વૃદ્ધ પર 3 થી 4 ઘા ઝીંકી દીધા હતા.લોકો પકડવા દોડ્યા તો ડાંગ અને છરી લઇ લોકો પાછળ દોડ્યો હતો. 

New Update
ank

અંકલેશ્વરમાં અસ્થિર મગજના ઈસમે ગામ માથે લીધું હતું.ચપ્પુ લઇ એક વૃદ્ધ પર 3 થી 4 ઘા ઝીંકી દીધા હતા.લોકો પકડવા દોડ્યા તો ડાંગ અને છરી લઇ લોકો પાછળ દોડ્યો હતો. 

અંકલેશ્વર માં શુક્વારના રોજ એક વિચિત્ર ઘટનાએ  લોકોને દોડતા કરી દીધા હતા. અંકલેશ્વર વ્હોરવાડ ખાતે રહેતા ફારુખ નામનો માનસિક રીતે બીમાર વ્યક્તિ 2 મહિના પહેલા જ વડોદરાથી પરિવારજનો દ્વારા સારવાર કરી પરત આવ્યા હતા જોકે દવા બંધ થઇ જતા ફારુખ પુનઃ માનસિક બીમારીમાં આવી અભદ્ર વર્તન કરવાનું શરુ કરી દીધું હતું. ફળીયામાં નગ્ન ફરવા સાથે લાકડાની ડાંગ , કુહાડી ચપ્પુ લઇ નીકળી પડતો હતો. જેણે આજરોજ ફળિયામાં રહેતા 65 વર્ષીય વૃદ્ધ કાસીમભાઈ પર અચાનક ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો અને એક પછી એક 3 થી 4 ધા કરી દીધા હતા જેઓએ બુમાબુમ કરતા લોકો તેને પકડવા માટે દોડ્યા હતા જો કે લાકડાના ડંડા અને ચપ્પુ લઇ પકડવા આવતા લોકો પર પણ હુમલો કરતો હતો.અંતે ફાયર વિભાગ અને પોલીસની ટીમ દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. હુમલામાં ઘવાયેલા કાસીમભાઈ હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.