Connect Gujarat
ગુજરાત

ગોધરા : ૧૭.૪૯ કરોડની છેતરપિંડી કરનાર બેંક ઓફ બરોડાના બે અધિકારીઓ CBIના સકંજામાં

ગોધરા : ૧૭.૪૯ કરોડની છેતરપિંડી કરનાર બેંક ઓફ બરોડાના બે અધિકારીઓ CBIના સકંજામાં
X

બેંકના ઈન્ટરનલ એકાઉન્ટમાં જમા થતી રકમ મળતિયાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધી

મહિસાગર જિલ્લાના ગોધરા ઝોનમાં આવેલી બેંક ઓફ બરોડાની દિવડા કોલોની બ્રાન્ચમાં ફરજ બજાવતા બે અધિકારીઓ દ્વારા ૧૭.૪૯ કરોડની છેતરપિંડીનો પ્રકાશમાં આવ્યો છે.એ પછી સીબીઆઈએ તેમની ધરપકડ કરતા ચકચાર મચી છે.

મળતી વિગતો પ્રમાણે દિવડા કોલોની બ્રાન્ચમાં ફરજ બજાવતા અધિકારી સતિષકુમાર ભાસ્કર અને મનમોહનસિંહ મીનાએ બેન્કના ઈન્ટરનલ એકાઉન્ટમાંથી જમા થતી રકમ પોતાના સગા સબંધીઓ અને મળતિયાઓના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માંડી હતી.

બેંક ઓફ બરોડાના રિજિનલ મેનેજર વિવેક શુક્લના કહેવા પ્રમાણે બેન્કના ઈન્ટરન ઓડિટમાં ઉપરોક્ત વિગતો સપાટી પર આવી હતી.તેમણે અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલી રકમ લગભગ ૧૭.૪૯ કરોડ હતી.એ પછી તેમને બેંકમાંથી સસ્પેન્ડ કરાયા હતા અને હેડક્વાર્ટર છોડીને નહીં જવાની સૂચના અપાઈ હતી.

આ મામલામાં આખરે છેતરપિંડી થઈ હોવાનુ બહાર આવ્યા બાદ બેંકએ સતિષકુમાર ભાસ્કર અને મનમોહનસિંહ મીના સામે સીબીઆઈમાં ફરિયાદ નોંધાવી હતી.એ પછી એક્શનમાં આવેલી CBIએ હાલમાં સંતરામપુરમાં રહેતા અને મૂળે બિહારના સતિષકુમાર અને લુણાવાડામાં રહેતા તેમજ મૂળ રાજસ્થાનના મનમોહન મીનાની ધરપકડ કરી છે.

Next Story