રાજ્યમાં આજે કોરોનાના 22 નવા પોઝિટિવ કેસ નોધાયા, 23 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

ગુજરાતમાં આજે કોરોનાના 22 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. રાજ્યમાં હાલ 149 એક્ટિવ કેસ છે અને 6 દર્દી વેન્ટિલેટર પર છે.

New Update

ગુજરાતમાં આજે કોરોનાના 22 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. રાજ્યમાં હાલ 149 એક્ટિવ કેસ છે અને 6 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 23 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી.રાજ્યમાં આજે કોરોનાની 2,65,560 લાખથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

રાજ્યમાં અત્યાર સુધી કોરોનાની સારવાર લઇને 8,15,446 નાગરિકો સાજા થઇ ચુક્યા છે. 10082 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 5, સુરત કોર્પોરેશનમાં 4, વડોદરા કોર્પોરેશન 3, ભાવનગર 2, વલસાડ 2, અમરેલી 1, ગીર સોમનાથ 1, જામનગર 1, પોરબંદર 1, રાજકોટ 1, સુરત 1 કોરોનાનો કેસ નોંધાયા હતા.

રાજ્યમાં 2,65,560 ડોઝ આજના દિવસમાં અપાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 5,35,85,394 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.

અમદાવાદ, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન, જુનાગઢ, જુનાગઢ કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, રાજકોટ કોર્પોરેશન, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, તાપી અને વડોદરા એક પણ કોરોના વાયરસનો નવો કેસ નથી નોંધાયો.

Read the Next Article

અમરેલી : કુકાવાવ નાકા નજીક ગેરકાયદે બાંધકામો પર ફર્યું તંત્રનું બુલડોઝર, અન્ય દબાણકર્તાઓમાં ફફડાટ..!

ગેરકાયદેસર બાંધકામનું તંત્ર દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કેટલીક ગેરકાયદેસર દીવાલ સાથે કરાયેલ બાંધકામને તંત્રએ તોડી પાડ્યું

New Update
  • શહેરમાં બિનધિકૃત દબાણો પર ફર્યું દાદાનું બુલડોઝર

  • કુકાવાવ નાકા નજીક કરાયા ગેરકાયદેસર બાંધકામ

  • ગેરકાયદેસર બાંધકામ સામે ડિમોલેશન હાથ ધરાયું

  • 310 મીટર જેટલી જગ્યા વહીવટી તંત્રએ ખુલ્લી કરી

  • પોલીસ, PGVCLને સાથે રાખી ડિમોલેશન હાથ ધરાયું

અમરેલીના કુકાવાવ નાકા નજીક કરાયેલ ગેરકાયદેસર બાંધકામ સામે 45ડિમોલેશન પ્રક્રિયા હાથ ધરી 310 મીટર જેટલી જગ્યા તંત્ર દ્વારા ખુલ્લી કરવામાં આવી હતી.

અમરેલી શહેર તથા જીલ્લામાં કરાયેલા બિનધિકૃત દબાણો પર હાલ દાદાનું બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છેત્યારે અમરેલીના કુકાવાવ નાકા નજીક ગેરકાયદેસર બાંધકામનું તંત્ર દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કેટલીક ગેરકાયદેસર દીવાલ સાથે કરાયેલ બાંધકામને તંત્રએ તોડી પાડ્યું હતું.

પાલિકા તંત્રએ પોલીસ વિભાગ, PGVCL સહિતની ટીમને સાથે રાખી ડિમોલેશન પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં કુકાવાવ નાકા પર કોર્નરની 310 મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. તો બીજી તરફવહીવટી તંત્રની કામગીરીના પગલે અન્ય દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો.

Latest Stories