અમદાવાદ :16 માસ બાદ હાઇકોર્ટના દ્વાર ખુલશે, 17 ઓગસ્ટથી પ્રત્યક્ષ સુનાવણી શરૂ થશે
BY Connect Gujarat11 Aug 2021 9:50 AM GMT

X
Connect Gujarat11 Aug 2021 9:50 AM GMT
16 મહિના પછી હાઇકોર્ટ ખુલી રહી છે, હાઇકોર્ટના બે મુખ્ય દરવાજા ખુલ્લા રાખવામાં આવશે. મહત્વનું છે કે ઓકટોબર-2020થી હાઈકોર્ટની પ્રક્રિયાનું જીવંત પ્રસારણ શરૂ કરવામાં આવ્યું હતું. ગુજરાત હાઈકોર્ટમાં 17 ઓગસ્ટથી પ્રત્યક્ષ સુનાવણી શરૂ થવા જઈ રહી છે. આ માટે હાઈકોર્ટે SOP જાહેર કરી છે. 16 મહિના પછી હાઇકોર્ટ ખુલી રહી છે, હાઇકોર્ટના બે મુખ્ય દરવાજા ખુલ્લા રાખવામાં આવશે.
આ SOPના મુખ્ય મુદ્દાઓ પર નજર કરીયે
- કોર્ટ પરિસરમાં વકીલો, રજિસ્ટર્ડ કલાર્ક, પક્ષકારો અને પાર્ટી ઇન પર્સનને જ પ્રવેશવા દેવા છૂટ આપી છે. પત્રકારોને કોર્ટમાં પ્રવેશ પર મનાઇ કરવામાં આવી છે.
- પ્રત્યેક કેસમાં બન્ને પક્ષના વકીલોની 1 પેરને કોર્ટ રૂમની અંદર જવા દેવામાં આવશે.
- જે કેસ બોર્ડ પર સુનાવણી માટે આવે તે પછીના 5 કેસના વકીલો કોર્ટ રૂમમાં બેસી શકશે.
- કોર્ટરૂમમાં પણ બે સીટ છોડીને બેસવા માટેના નિયમનું પાલન કરવું ફરજિયાત છે.
- પોતાના કેસમાં સુનાવણી પૂર્ણ થાય પછી તરત જ કોર્ટની બહાર નીકળી જવું પડશે.
- કોર્ટના મુખ્ય પ્રવેશદ્વાર પર વાહનો પર જ ફરજિયાત થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવશે. ત્યારબાદ જ પ્રવેશ મળશે.
- શરદી, ફલૂ કે તાવ જણાશે તો દરવાજા પરથી જ વિદાય આપી દેવામા આવશે.
- કોર્ટના બીજા માળ સુધી લિફટનો ઉપયોગ કરી શકાશે નહીં.
- 65 વર્ષથી મોટી ઉમરના વકીલો, કલાર્ક કે જેમને અન્ય બીમારીઓ હોય તેમણે કોર્ટ કાર્યવાહીથી શકય હોય તો દૂર રહેવા પ્રયત્ન કરવો.
Next Story