અમરેલી: સાવરકુંડલાના મોટા ઝીંઝુડા ગામના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા,જુઓ શું છે કારણ

આ છે સાવરકુંડલા તાલુકાનું મોટા ઝીંઝુડા ગામ અહીં ખાનગી કંપની દ્વારા મોટા પાયે સોલાર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે

New Update
અમરેલી: સાવરકુંડલાના મોટા ઝીંઝુડા ગામના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા,જુઓ શું છે કારણ

સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ગામના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અહીં સોલાર કંપની દ્વારા સાત જેટલા ખેડૂતોનો રસ્તો બંધ કરાતા ખેડૂતોને માલ સામાન લાવવા લઈ જવા માટે મુશ્કેલીનો ખેડૂતો દ્વારા સામનો કરવાનો વારો આવ્યો છે

આ છે સાવરકુંડલા તાલુકાનું મોટા ઝીંઝુડા ગામ અહીં ખાનગી કંપની દ્વારા મોટા પાયે સોલાર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે આ ગામના સાત જેટલા ખેડૂતો પોતાના ખેતરે જવા માટે રાજાશાહી વખતનો રસ્તો આ કંપની દ્વારા બંધ કરવામાં આવ્યો છે ત્યારે મોટા ઝીંઝુડાના સાત ખેડૂતો પોતાને ખેતરે જવા માટે ટ્રેક્ટર કે ગાડા લઈને પાણી દવા ખાતર બિયારણ પોતાના ખેતરે પહોંચાડવા માટે રસ્તો બંધ કરાતા એક કિલોમીટર જેટલો રસ્તો ચાલીને વજન માથે ઉપાડીને પસાર કરવો પડે છે તેવી જ રીતે ખેડૂતોએ હાલમાં કપાસનું વાવેતર કર્યું હોય કપાસને માથે ઉપાડીને એક કિલોમીટર ચાલીને દુર ઊભા રાખેલા રાખેલા વાહન સુધી પહોંચાડવુ પડે છે.

છેલ્લા ઘણા સમયથી રસ્તાને લઈને ખેડૂતો અનેક જગ્યાએ રજૂઆતો કરી ચૂક્યા છે સૌથી પ્રથમ રજૂઆત ઝીંઝુડા ગામના ગ્રામ પંચાયતના સરપંચને પણ રજૂઆતો કરી છે ત્યારે સરપંચે આ કંપનીને ગ્રામ પંચાયતના લેટરપેડ ઉપર આ બાબતની સ્પષ્ટતા કરવા જણાવ્યું હોવા છતાં કંપની તરફથી કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ મળ્યો નથી અને સરકારી રેકર્ડ સાથે પણ કંપનીઓ દ્વારા સર્વે નંબરના નકશાઓમાં ચેડા કર્યા હોવાનું જણાઇ આવે છે ત્યારે સરપંચ પણ હવે કંપનીની તાનાશાહી સામે લડત આપવાના મૂડમાં જણાઈ રહ્યા છે

મોટા ઝીંઝુડાના ખેડૂતોએ સાવરકુંડલા મામલતદાર શ્રી ને પણ આ બાબતે મૌખિક અને લેખિત રજૂઆતો કરી ત્યારે મામલતદાર સાવરકુંડલાએ તેમની આ રજૂઆતોને ધ્યાનમાં લઇ અને ખેડૂતો અને કંપની વાળા બંનેને સાંભળીને આ પ્રશ્નોનો ઉકેલ લાવવાની ખાતરી અને તૈયારી બતાવી છે

Read the Next Article

હવામાન વિભાગની આગાહી, છ દિવસ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના

હવામાન વિભાગની આગાહી મુજબ હવે કચ્છ અને સૌરાષ્ટ્રમાં 9 જુલાઇથી વરસાદનું જોર ઘટી જશે પરંતુ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં મેઘમહેર યથાવત રહેશે,

New Update
guj

હવામાન વિભાગની આગાહી મુજબ હવે કચ્છ અને સૌરાષ્ટ્રમાં 9 જુલાઇથી વરસાદનું જોર ઘટી જશે પરંતુ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં મેઘમહેર યથાવત રહેશે, વિસ્તારોમાં ક્યાંક ભારે તો ક્યાંક મધ્યમ વરસાદનું અનુમાન છે.

હવામાન વિભાગની આગાહી મુજબઆજથી છ દિવસ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. આજે નવસારી અને વલસાડમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદ ખાબકવાનું અનુમાન.. તો સંઘપ્રદેશ દમણ, દાદરા અને નગર હવેલીમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા સર્જાયું છે.  જે આગળ વધીને મધ્ય પ્રદેશ તરફ જશે, જેની અસર ગુજરાત પર થતાં વરસાદ પડશે. 9 જુલાઇ બાદથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે પરંતુ હળવોથી મધ્યમ વરસાદ વરસતો રહેશે. દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત,ઉત્તર ગુજરાતના વિસ્તારમાં 9 જુલાઇ બાદ વરસાગદનું જોર વધશે અને આ વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ વરસતો રહેશે. આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં  ખેડા, પંચમહાલ, આણંદમાં વરસાદની શક્યતા છે. વલસાડ નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ નર્મદામાં પણ મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ 12 જુલાઇ બાદ સૌરાષ્ટ્ર કચ્છમાં મોટાભાગના વિસ્તારમાં વરસાદ બંધ થઇ જશે. આ વિસ્તારમાં 12 જુલાઇ બાદ વરાપ નીકળશે. છોટા ઉદેપુર, અમદાવાદ, મહિસાગર, અરવલ્લીમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં પણ મધ્યમ કરતા વધુ વરસાદ વરસી શકે છે.