Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર : હેરિટેજ સોસાયટીના 2 મકાનમાં ચોરી, તસ્કરોની કરતૂત CCTVમાં કેદ..

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના જુના દિવા રોડ ઉપર આવેલ હેરિટેજ સોસાયટીના મકાન નંબર-22 અને 23માં રહેતા પ્રિયંકા પટેલ ગત રાત્રે પોતાના પરિવાર સાથે નીંદર માણી રહ્યા. તે દરમ્યાન મધરાતે 4 જેટલા તસ્કરોએ તેઓના મકાનોને નિશાન બનાવ્યું હતું.

તસ્કરોએ ગ્રીલ તોડી મકનમાં પ્રવેશ કર્યો હતો, જ્યાં મકાનમાં રહેલ રોકડા રૂપિયા 61 હજાર અને સોનાના ઘરેણાં મળી કુલ રૂપિયા 1 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જોકે, તસ્કરોની કરતૂત સોસાયટીમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં 4 તસ્કરો સોસાયટીમાં રેકી કરી તક મળતા જ મકાનમાં પ્રવેશી ચોરી કરીને ભાગતા જોવા મળે છે. આ અંગે પરિવારે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધવતા પોલીસે તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે.

Next Story