ભરૂચ: આમોદ નગર નગર પાલિકાના ભાજપના 4 સભ્યોના રાજીનામા, કામ ન થતાં હોવાના આક્ષેપ

New Update

આમોદ નગર પાલિકાના ભાજપના 4 નગરસેવકોએ સભ્યપદેથી પોતાના વોર્ડમા કામો થતા નહી હોવાના તેમજ પ્રમુખ તથા ઉપપ્રમુખના બેદરકારીભર્યા વહીવટના કારણે વિકાસના કામોની ગ્રાન્ટ પરત ગઈ હોવાના આક્ષેપ સાથે સામુહિક રાજીનામા આપતા રાજકીય માહોલ ગરમાઈ ગયો છે.

Advertisment W3.CSS

આમોદ નગર પાલિકાના સત્તાધારી ભાજપના વોર્ડ નંબર 6 ના નગરસેવક કમલેશ સોલંકી, વોર્ડ નંબર 3 ના રમેશ વાધેલા, વોર્ડ નંબર 4 ના રણછોડ રાઠોડ તથા નગરસેવિકા કૈલાસવસાવાએ પોતાના સભ્યપદેથી એકસાથે રાજીનામા ધરી દીધા છે.ચારેય આમોદ પાલિકાના સદસ્યોએ આપેલ રાજીનામામાં તેઓએ પાલિકાના સત્તાધિશો વિરૂધ્ધ આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે, અમારા વોર્ડના વિસ્તારમા જાહેર હિતના પ્રાથમિક જરૂરિયાતના લાઈટ, ગટર, પાણી, સફાઈ જેવા કામો પાલિકા પ્રમુખ તથા ઉપપ્રમુખથી થઈ શકતા નથી. સરકાર તરફથી આવતી વિકાસના કામોની લાખો રૂપિયાની ગ્રાન્ટો બેદરકારીભર્યા વહીવટના કારણે પરત જતી રહી હોય જેના કારણે અમારા ઉપર વિશ્વાસ રાખતી નગરની તથા અમારા વોર્ડની જનતાના કામો ન થવાથી અમારા પ્રત્યે નારાજગી વધી રહી છે.અમારી રજુઆતોને ઈરાદાપૂર્વક આંખ આડા કાન કરીને અમો પછાતજાતિના પ્રતિનિધિઓનુ પ્રભુત્વ નગરમા વધી ના જાય તેવા ઈરાદાથી અમારા વોર્ડના કામો અમારી રજુઆતોના કામો કરાતા નથી.પ્રમુખ તથા ઉપપ્રમુખના બેદરકારીભર્યા વહીવટના કારણે નગરજનોએ અમારા ઉપર મુકેલ વિશ્વાસમા ખરા નહી ઉતરતા અમે સદસ્યો વોર્ડના તથા નગરના જાહેરહિતમા પાલિકાના સભ્યપદેથી રાજીનામુ આપીએ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકામા 24 સભ્યોનુ સંખ્યાબળ છે.જેમા ભાજપના 14 તથા 10 અપક્ષ સદસ્યો હતા.તે પૈકી ભાજપના 4 સદસ્યોએ સામુહિક રાજીનામા ધરી દેતા હવે આમોદ પાલિકામા ભાજપના 10 તથા અપક્ષ 10 સભ્યો રહયા છે.