અંકલેશ્વર: નહેરમાં જોખમી રસાયણિક કચરો ઠાલવવાના મામલે આખરે પોલીસ ફરિયાદ,GPCBની નફ્ફટાઈ- નહેર વિભાગ બન્યું ફરિયાદી !

અંકલેશ્વર નજીક નહેરમાં હેઝાડ્સ કેમિકલ ઠાલવી એક લાખ લોકોના જીવનું જોખમ ઉભું કરનાર કેમિકલ માફિયાઓ સામે આખરે ગુનો નોંધાયો છે.

New Update
  • અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક બન્યો હતો બનાવ

  • ઉકાઈ જમણાકાંઠા નહેરમાં ઠલવાતો હતો રસાયણિક કચરો

  • મામલામાં આખરે નોંધાઇ પોલીસ ફરિયાદ

  • નહેર વિભાગના અધિકારીએ ફરિયાદ નોંધાવી

  • GPCBના અધિકારીઓની નફ્ફટાઈ

અંકલેશ્વર નજીક નહેરમાં હેઝાડ્સ કેમિકલ ઠાલવી એક લાખ લોકોના જીવનું જોખમ ઉભું કરનાર કેમિકલ માફિયાઓ સામે આખરે ગુનો નોંધાયો છે.આ મામલે ફરિયાદી જીપીસીબી બનવું જોઈતું હતું પરંતુ અધિકારીઓની અડોડાઇના પગલે નહેર વિભાગે ફરિયાદી બનવું પડ્યું છે.
Advertisment W3.CSS

અંકલેશ્વર ગુજરાત નિયંત્રણ બોર્ડના પાપનો સિંચાઈ વિભાગે પર્દાફાશ કર્યો છે.ઉકાઈ જમણા કાંઠા નહેરમાં જોખમી રાસાયણિક કચરો ઠાલવના મામલામાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની જવાબદારી હોવા છતાં બોર્ડના અધિકારીઓ પોલીસ ફરિયાદ કરી ન હતી અને આખરે નહેર વિભાગે આ મામલે પાનોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે .ઉલ્લેખનીય છે કે ૧૪ ફેબ્રુઆરીએ  હેઝાડ્સ કેમિકલ વેસ્ટને બાકરોલ નજીક નહેરમાં ઠાલવી દેવાયું હતું. કેમિકલ એટલું તીવ્ર હતું કે પાણીમાં તરતી માછલીઓ તરફડીને મરવા લાગી હતી જ્યારે નહેરના પાણીનો રંગ બદલાયો હતો.

ઘટનાના પગલે અંકલેશ્વર શહેર અને જીઆઇડીસીને મળતો પાણી પુરવઠો અટકાવી તળાવોના ઇનલેટ વાલ્વ બંધ કરાયા હતા. બાકરોલ ગામના અગ્રણીઓ આ પ્રકારની ચિતાજનક ઘટના વારંવાર બનતી હોવાના આક્ષેપ કરાયા હતા. અત્યંત ગંભીર ઘટના બાબતે આખરે ગુનો નોંધી પોલીસ તપાસ કરાવવાનો નિર્ણય લેવાયો હતો. આજે ઉકાઈ જમણાં કાંઠા નહેરના અધિકારીએ પાનોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ ઇન્સ્પેકટર કે જી સિસોદિયાએ તપાસ હાથ ધરી કેમિકલ માફિયાઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

સામાન્ય: આ પ્રકારની ઘટનાઓમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જ ફરિયાદી બનતું હોય છે. પર્યાવરણની રક્ષા કરવાની જવાબદારી પણ જીપીસીબીની ત્યારે આ મામલામાં જીપીસીબીએ કેમ ફરિયાદ ન નોંધાવી એ એક તપાસનો વિષય છે.જીપીસીબીના કેટલાક અધિકારીઓની અડોડાઈના પગલે અંકલેશ્વરમાં પ્રદુષણનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. 
Read the Next Article

ભરૂચ અંકલેશ્વરમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ, સૂના પડેલા વર્ગખંડો બાળકોના કિલ્લોલથી ગુંજી ઉઠ્યા

ઉનાળુ વેકેશન પૂર્ણ થવા સાથે સોમવારથી ભરૂચ અંકલેશ્વર અને જિલ્લામાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે.પ્રથમ દિવસે જ શાળા અને વર્ગખંડો વિધાર્થીઓના કોલાહલથી ગુંજી ઉઠ્યા હતા.

New Update
  • આજથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત

  • ઉનાળુ વેકેશન પૂર્ણ થયું

  • વિદ્યાર્થીઓને શાળામાં આવકાર અપાયો

  • શાળાના વર્ગખંડો બાળકોના કિલ્લોલથી ગુંજી ઉઠ્યા

  • વિદ્યાર્થીઓ શિક્ષણ કાર્યમાં જોડાયા

ભરૂચ અને અંકલેશ્વરમાં નવા સત્ર સાથે સ્કૂલોમાં નવું શૈક્ષણિક કાર્ય ધમધમતું  થતા વિદ્યાર્થીઓના કોલાહલથી વર્ગખંડો  ગુંજી ઉઠ્યા હતા 
ઉનાળુ વેકેશન પૂર્ણ થવા સાથે સોમવારથી ભરૂચ અંકલેશ્વર અને જિલ્લામાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે.પ્રથમ દિવસે જ શાળા અને વર્ગખંડો વિધાર્થીઓના કોલાહલથી ગુંજી ઉઠ્યા હતા.ભરૂચ શહેર અને જિલ્લામાં પણ આજે સોમવારથી શાળાઓ શરૂ થઈ જતા વિદ્યાર્થીઓ રજાની મજા પુરી થતા જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક મળી ૨૫૦થી વધુ શાળાઓ નવા સત્ર સાથે ખુલી ગઈ છે.
માર્ગો ઉપર સ્કૂલ વર્ધિના વાહનો સાથે વિદ્યાર્થીઓનો ટ્રાફિક પુનઃ ચેતન વંતો જોવા મળ્યો હતો.નાના ભુલાકાઓમાં સ્કૂલે જવાનો ગમો અણગમો જોવા મળ્યો હતો. તો મોટેરા છાત્રોમાં ખુશી છલકતી નજરે પડતી હતી ત્યારે ભરૂચ- અંકલેશ્વર ખાતે આવેલ શાળામાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતા વિદ્યાર્થીઓને હોલાહલથી ક્લાસરૂમોમાં ગુંજી ઉઠ્યા હતા