અંકલેશ્વર: નહેરમાં જોખમી રસાયણિક કચરો ઠાલવવાના મામલે આખરે પોલીસ ફરિયાદ,GPCBની નફ્ફટાઈ- નહેર વિભાગ બન્યું ફરિયાદી !

અંકલેશ્વર નજીક નહેરમાં હેઝાડ્સ કેમિકલ ઠાલવી એક લાખ લોકોના જીવનું જોખમ ઉભું કરનાર કેમિકલ માફિયાઓ સામે આખરે ગુનો નોંધાયો છે.

New Update
  • અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક બન્યો હતો બનાવ

  • ઉકાઈ જમણાકાંઠા નહેરમાં ઠલવાતો હતો રસાયણિક કચરો

  • મામલામાં આખરે નોંધાઇ પોલીસ ફરિયાદ

  • નહેર વિભાગના અધિકારીએ ફરિયાદ નોંધાવી

  • GPCBના અધિકારીઓની નફ્ફટાઈ

અંકલેશ્વર નજીક નહેરમાં હેઝાડ્સ કેમિકલ ઠાલવી એક લાખ લોકોના જીવનું જોખમ ઉભું કરનાર કેમિકલ માફિયાઓ સામે આખરે ગુનો નોંધાયો છે.આ મામલે ફરિયાદી જીપીસીબી બનવું જોઈતું હતું પરંતુ અધિકારીઓની અડોડાઇના પગલે નહેર વિભાગે ફરિયાદી બનવું પડ્યું છે.

અંકલેશ્વર ગુજરાત નિયંત્રણ બોર્ડના પાપનો સિંચાઈ વિભાગે પર્દાફાશ કર્યો છે.ઉકાઈ જમણા કાંઠા નહેરમાં જોખમી રાસાયણિક કચરો ઠાલવના મામલામાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની જવાબદારી હોવા છતાં બોર્ડના અધિકારીઓ પોલીસ ફરિયાદ કરી ન હતી અને આખરે નહેર વિભાગે આ મામલે પાનોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે .ઉલ્લેખનીય છે કે ૧૪ ફેબ્રુઆરીએ  હેઝાડ્સ કેમિકલ વેસ્ટને બાકરોલ નજીક નહેરમાં ઠાલવી દેવાયું હતું. કેમિકલ એટલું તીવ્ર હતું કે પાણીમાં તરતી માછલીઓ તરફડીને મરવા લાગી હતી જ્યારે નહેરના પાણીનો રંગ બદલાયો હતો.

ઘટનાના પગલે અંકલેશ્વર શહેર અને જીઆઇડીસીને મળતો પાણી પુરવઠો અટકાવી તળાવોના ઇનલેટ વાલ્વ બંધ કરાયા હતા. બાકરોલ ગામના અગ્રણીઓ આ પ્રકારની ચિતાજનક ઘટના વારંવાર બનતી હોવાના આક્ષેપ કરાયા હતા. અત્યંત ગંભીર ઘટના બાબતે આખરે ગુનો નોંધી પોલીસ તપાસ કરાવવાનો નિર્ણય લેવાયો હતો. આજે ઉકાઈ જમણાં કાંઠા નહેરના અધિકારીએ પાનોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ ઇન્સ્પેકટર કે જી સિસોદિયાએ તપાસ હાથ ધરી કેમિકલ માફિયાઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

સામાન્ય: આ પ્રકારની ઘટનાઓમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જ ફરિયાદી બનતું હોય છે. પર્યાવરણની રક્ષા કરવાની જવાબદારી પણ જીપીસીબીની ત્યારે આ મામલામાં જીપીસીબીએ કેમ ફરિયાદ ન નોંધાવી એ એક તપાસનો વિષય છે.જીપીસીબીના કેટલાક અધિકારીઓની અડોડાઈના પગલે અંકલેશ્વરમાં પ્રદુષણનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. 
Read the Next Article

અંકલેશ્વર : રામકુંડ તીર્થના પટાંગણમાં ભાજપ દ્વારા વૃક્ષારોપણ થકી ગુરુપૂર્ણિમાના પાવન પર્વની વિશેષ ઉજવણી કરાય...

અંકલેશ્વર શહેરના રામકુંડ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુરુપૂર્ણિમાના પાવન પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રામકુંડ તીર્થના પટાંગણમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

New Update
Ankleshwa Ramkund

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં રામકુંડ તીર્થના પટાંગણમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વૃક્ષારોપણ થકી ગુરુપૂર્ણિમાના પાવન પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.

મહાભારતના રચયિતા વેદ વ્યાસનો જન્મદિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુપૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છેત્યારે ભરૂચ જિલ્લામાં આજરોજ ઠેર ઠેર ગુરુપૂર્ણિમા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતીત્યારે અંકલેશ્વર શહેરના રામકુંડ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુરુપૂર્ણિમાના પાવન પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

ગુરુપૂર્ણિમા નિમિત્તે રામકુંડ તીર્થના પટાંગણમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ વૃક્ષોનું જતન કરી પર્યાવરણની રક્ષા કરવા લોકોને અનુરોધ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા, નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિતપાલિકા ચેરમેન નિલેશ પટેલ સહિત મોટી સંખ્યામાં પક્ષના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.