અંકલેશ્વર: નહેરમાં જોખમી રસાયણિક કચરો ઠાલવવાના મામલે આખરે પોલીસ ફરિયાદ,GPCBની નફ્ફટાઈ- નહેર વિભાગ બન્યું ફરિયાદી !

અંકલેશ્વર નજીક નહેરમાં હેઝાડ્સ કેમિકલ ઠાલવી એક લાખ લોકોના જીવનું જોખમ ઉભું કરનાર કેમિકલ માફિયાઓ સામે આખરે ગુનો નોંધાયો છે.

New Update
  • અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક બન્યો હતો બનાવ

  • ઉકાઈ જમણાકાંઠા નહેરમાં ઠલવાતો હતો રસાયણિક કચરો

  • મામલામાં આખરે નોંધાઇ પોલીસ ફરિયાદ

  • નહેર વિભાગના અધિકારીએ ફરિયાદ નોંધાવી

  • GPCBના અધિકારીઓની નફ્ફટાઈ

અંકલેશ્વર નજીક નહેરમાં હેઝાડ્સ કેમિકલ ઠાલવી એક લાખ લોકોના જીવનું જોખમ ઉભું કરનાર કેમિકલ માફિયાઓ સામે આખરે ગુનો નોંધાયો છે.આ મામલે ફરિયાદી જીપીસીબી બનવું જોઈતું હતું પરંતુ અધિકારીઓની અડોડાઇના પગલે નહેર વિભાગે ફરિયાદી બનવું પડ્યું છે.
Advertisment

અંકલેશ્વર ગુજરાત નિયંત્રણ બોર્ડના પાપનો સિંચાઈ વિભાગે પર્દાફાશ કર્યો છે.ઉકાઈ જમણા કાંઠા નહેરમાં જોખમી રાસાયણિક કચરો ઠાલવના મામલામાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની જવાબદારી હોવા છતાં બોર્ડના અધિકારીઓ પોલીસ ફરિયાદ કરી ન હતી અને આખરે નહેર વિભાગે આ મામલે પાનોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે .ઉલ્લેખનીય છે કે ૧૪ ફેબ્રુઆરીએ  હેઝાડ્સ કેમિકલ વેસ્ટને બાકરોલ નજીક નહેરમાં ઠાલવી દેવાયું હતું. કેમિકલ એટલું તીવ્ર હતું કે પાણીમાં તરતી માછલીઓ તરફડીને મરવા લાગી હતી જ્યારે નહેરના પાણીનો રંગ બદલાયો હતો.

ઘટનાના પગલે અંકલેશ્વર શહેર અને જીઆઇડીસીને મળતો પાણી પુરવઠો અટકાવી તળાવોના ઇનલેટ વાલ્વ બંધ કરાયા હતા. બાકરોલ ગામના અગ્રણીઓ આ પ્રકારની ચિતાજનક ઘટના વારંવાર બનતી હોવાના આક્ષેપ કરાયા હતા. અત્યંત ગંભીર ઘટના બાબતે આખરે ગુનો નોંધી પોલીસ તપાસ કરાવવાનો નિર્ણય લેવાયો હતો. આજે ઉકાઈ જમણાં કાંઠા નહેરના અધિકારીએ પાનોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ ઇન્સ્પેકટર કે જી સિસોદિયાએ તપાસ હાથ ધરી કેમિકલ માફિયાઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

સામાન્ય: આ પ્રકારની ઘટનાઓમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જ ફરિયાદી બનતું હોય છે. પર્યાવરણની રક્ષા કરવાની જવાબદારી પણ જીપીસીબીની ત્યારે આ મામલામાં જીપીસીબીએ કેમ ફરિયાદ ન નોંધાવી એ એક તપાસનો વિષય છે.જીપીસીબીના કેટલાક અધિકારીઓની અડોડાઈના પગલે અંકલેશ્વરમાં પ્રદુષણનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. 
Advertisment
Read the Next Article

અંકલેશ્વર: NH 48 પર નિંદ્રા માણી રહેલ કારચાલકના રૂ.7.78 લાખના માલમત્તાની ચોરી, 4 આરોપીઓની પોલીસે કરી ધરપકડ

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર કારપાર કરી નિંદ્રા માણી રહેલા કારચાલકના રૂપિયા 7.78 લાખના મુદ્દામાલની ચોરી કરનાર ચાર આરોપીઓને પોલીસે ઝડપી પાડી

New Update

અંકલેશ્વરમાં બન્યો હતો બનાવ

Advertisment

NH 48 પરનો બનાવ

કારચાલકના માલમત્તાની થઈ હતી ચોરી

પોલીસે 4 આરોપીઓની કરી ધરપકડ

રૂ.7.78 લાખના માલમત્તાની કરી હતી ચોરી

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર કારપાર કરી નિંદ્રા માણી રહેલા કારચાલકના રૂપિયા 7.78 લાખના મુદ્દામાલની ચોરી કરનાર ચાર આરોપીઓને પોલીસે ઝડપી પાડી તેવો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisment
 ગત 14 મી મે 2025ના રોજ નવસારીના બીલીમોરા ખાતે રહેતા અને વલસાડ સ્થિત બાલાજી વેફર્સના પ્લાન્ટમાં રહેતા સિનિયર ઓફિસર કલ્પેશ શાહ રાત્રીના ઊંઘ આવતી હોવાથી તેઓ નવજીવન હોટલ સામે સર્વિસ રોડ પર કાર પાર્ક કરી સુઈ ગયા હતા તે દરમિયાન તેમના પહેરેલા સોનાના દાગીના અને મોબાઇલ અને તેની એસેસરીઝ મળી રૂ.  7.78 લાખની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઇ ગયા હતા.
આ અંગે ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસતા શંકાસ્પદ બાઈક ચાલક નજરે પડ્યો હતો.પોલીસે બાઈક નંબરના આધારે રોયલ રેસિડેન્સી ખાતે રહેતા ભંગારીયા અલ્તાફ ઉર્ફે મોનુ જાવેદ ખાન, સાંઈ દર્શન સોસાયટી ખાતે રહેતા ખેતલા આપા હોટલના  વિપુલ પુના ગમારા ,અંસાર માર્કેટ ખાતે રહેતા ભંગારના દલાલ નૂરઆલમ , બદરુદ્દીન મનીહાર,  અને ભંગાર વેપારીને ત્યાં ન્યુ ઇન્ડિયા માર્કેટમાં મજૂરી કામ કરતા જીકરાન ઉર્ફે જીકાન ઈમરાન કુરેશી ને ઝડપી પાડ્યા હતા અને તેમની ઉલટ તપાસ કરતા તેઓ ચોરીની કબૂલાત કરી હતી.પોલીસે ચોરીમાં ગયેલ મુદ્દામાલ મળી કુલ રૂપિયા 4.35 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisment