અંકલેશ્વર: સંસ્કારદીપ વિદ્યાલયમાં વિવિધ પ્રકલ્પોનું ભૂમિપૂજન-લોકાર્પણ કરાયુ

અંકલેશ્વરની સંસ્કારદીપ ટ્રસ્ટ સંચાલીત શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયના 35 વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ત્રણ પ્રકલ્પોનું ભૂમિ પૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update
MixCollage-12-Jul-2025-
અંકલેશ્વરની સંસ્કારદીપ ટ્રસ્ટ સંચાલીત શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયના 35 વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ત્રણ પ્રકલ્પોનું ભૂમિ પૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સંસ્કારદીપ ટ્રસ્ટ સંચાલીત શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયના 34 વર્ષ પૂર્ણ થતાં 35માં વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે શાળામાં અભ્યાસ કરતા બાળકોનું શારીરિક સ્વાસ્થ્ય અને સ્માર્ટ બોર્ડ તેમજ વૈજ્ઞાનિક રીતે આગળ વધે તે માટે આજરોજ કે.પટેલ કેમો ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આઉટ ડોર જીમનાસ્ટિકનું આમંત્રિત મહેમાનોના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.જ્યારે સુભશ્રી પીગમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના સૌજન્યથી બનાવેલ સ્માર્ટ ક્લાસીસ તેમજ એસ્ટ્રોનોમી ગેલેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જીતેન્દ્ર એમ.પટેલ,શ્રી કે શ્રીવત્સન,શીતલ નરેશ પટેલ અને પારુલ ચેતન વઘાસિયા તેમજ સંસ્કારદીપ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

ભરૂચના જાણીતા સુંદરકાંડ પ્રચારક સંદીપ પુરાણીનો શ્રાવણ માસમાં દરરોજ સુંદરકાંડના પાઠ કરવાનો અનોખો સંકલ્પ…

પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે સમગ્ર દેશ ભક્તિભાવમાં તણાયો છે, ત્યારે ભરૂચના જાણીતા સુંદરકાંડ પ્રચારક સંદીપ પુરાણીએ એક અનોખો સંકલ્પ લીધો છે..

New Update
  • પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે લોકો ભક્તિભાવમાં તણાયા

  • જાણીતા સુંદરકાંડ પ્રચારક સંદીપ પુરાણીનો અનોખો સંકલ્પ

  • શ્રાવણ માસ નિમિત્તે દરરોજ સુંદરકાંડ પાઠ કરવામાં આવશે

  • સુંદરકાંડ પાઠ દ્વારા ભક્તજનોને ધાર્મિક ઉર્જાનો અનુભવ થશે

  • દરરોજ સુંદરકાંડ પાઠની પહેલ લોકો માટે પ્રેરણારૂપ બની

ભરૂચના જાણીતા સુંદરકાંડ પ્રચારક સંદીપ પુરાણીએ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે દરરોજ સુંદરકાંડ પાઠ કરવાનો અનોખો સંકલ્પ કર્યો છેત્યારે તેઓની આ પહેલ અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બની છે.

પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે સમગ્ર દેશ ભક્તિભાવમાં તણાયો છેત્યારે ભરૂચના જાણીતા સુંદરકાંડ પ્રચારક સંદીપ પુરાણીએ એક અનોખો સંકલ્પ લીધો છે. તેમણે સુંદરકાંડ પ્રચારક મંડળના માધ્યમથી શ્રાવણ માસ દરમિયાન દરરોજ સુંદરકાંડ પાઠ કરવાનું નિશ્ચય કર્યું છે. આ દિવ્ય યાત્રાનો પ્રારંભ ઝાડેશ્વર સ્થિત મહામાંગલ્ય રેસિડન્સીથી હનુમાનજીના પૂજન અને અર્ચન સાથે કરવામાં આવ્યો હતો.

ભક્તિ અને રાષ્ટ્રીય ભાવના સાથે સંકળાયેલો આ પ્રયાસ માત્ર ધાર્મિક જ નહીંપણ સામાજિક સદભાવના અને હિન્દુ રાષ્ટ્રના વિચારને પણ બળ આપનાર છે. સુંદરકાંડ પાઠ દ્વારા સમૃદ્ધ આ સંકલ્પથી ભક્તજનોને ધાર્મિક શાંતિ અને આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ થઇ રહ્યો છે. સંદીપ પુરાણીનું માનવું છે કેશ્રાવણ માસમાં હનુમાનજીના ચરિત્રના પઠનથી નેગેટિવ એનર્જી દૂર થાય છેઅને સમાજમાં સકારાત્મકતા ફેલાય છે. આ પહેલ અન્ય ઘરોસંસ્થાઓ અને યુવાનો માટે પ્રેરણારૂપ બની રહી છે.