અંકલેશ્વર: પત્નીની નજર સામે જ પતિએ નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં મોતની લગાવી છલાંગ, માછીમારોએ જીવ બચાવ્યો !

અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી યુવાને મોતની છલ્લાંગ લગાવી હતી જો કે સદનસીબે માછીમારોએ યુવાનનો જીવ બચાવી લીધો હતો

New Update
  • નર્મદા મૈયા બ્રિજ પર બની ઘટના

  • યુવાને નર્મદા નદીમાં લગાવી મોતની છલાંગ

  • માછીમારોએ યુવાનનો જીવ બચાવ્યો

  • પતિ પત્નીના કંકાસમાં આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની માહિતી

  • બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની માંગ

Advertisment
અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી યુવાને મોતની છલ્લાંગ લગાવી હતી જો કે સદનસીબે માછીમારોએ યુવાનનો જીવ બચાવી લીધો હતો

અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી આજરોજ સવારના સમયે યુવાને નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી હતી. યુવાને નદીમાં ભૂસકો લગાવતા જ અંદર માછીમારી કરી રહેલા માછીમારોએ આ દ્રશ્ય જોયા હતા જેના પગલે તેઓએ તરત જ દોડી જઇ યુવાનનો જીવ બચાવ્યો હતો.આ અંગેની જાણ કરવામાં આવતા જ એમ્બ્યુલન્સ અને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને યુવાનને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.ભરૂચના કુકરવાડા વિસ્તારમાં રહેતા પતિ પત્નીના ઝઘડામાં પતિએ પત્નીની નજર સામે જ નર્મદા મૈયા બ્રિજમાં ઝંપલાવ્યું હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે.

આ તરફ નદીમાં આપઘાતના વધતા બનાવો રોકવા બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની સ્થાનિકો માંગ કરી રહ્યા છે.આ અંગે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ જણાવ્યું હતું કે આ અંગે અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા જાળી લગાવવા માટેની કામગીરી કરવામાં નથી આવતી ત્યારે આવનારા દિવસોમાં વિરોધ પ્રદર્શન સહિતના કાર્યક્રમો કરવામાં આવશે.
Advertisment
Read the Next Article

ભરૂચ: દહેજના અદાણી પોર્ટ પરથી  કેપ્સુલ લઈને જતી ટ્રકની ચેઇન તૂટી, કેપસુલ માર્ગ પર પડતા ટ્રાફિકજામના દ્રશ્યો

દહેજના અદાણી પોર્ટથી મસ્ત મોટી કેપ્સુલ લઈને આવતી એક ટ્રકની ચેન તૂટી જતાં કેપ્સુલ સીધા દીપક નાઈટ્રેટ તરફ જતાં માર્ગ પર પડી ગઈ હતી. આ અચાનક થયેલી ઘટનાથી માર્ગ પર હડકંપ મચી ગયો

New Update
Dahej Adani Port
ભરૂચના દહેજના અદાણી પોર્ટથી મસ્ત મોટી કેપ્સુલ લઈને આવતી એક ટ્રકની ચેન તૂટી જતાં કેપ્સુલ સીધા દીપક નાઈટ્રેટ તરફ જતાં માર્ગ પર પડી ગઈ હતી. આ અચાનક થયેલી ઘટનાથી માર્ગ પર હડકંપ મચી ગયો હતો. સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી પરંતુ અકસ્માતના પગલે રસ્તા પર બંને તરફ વાહનોની  લાંબી લાઇન લાગી ગઈ હતી.લગભગ બે કલાક સુધી ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. સૂચના મળતાં જ દહેજ પોલીસ અને ટ્રાફિક વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ટ્રાફિક હળવો કરવાના પ્રયત્નો હાથ ધરીને માર્ગ વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી હતી.
Advertisment
Advertisment