અંકલેશ્વર: પત્નીની નજર સામે જ પતિએ નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં મોતની લગાવી છલાંગ, માછીમારોએ જીવ બચાવ્યો !

અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી યુવાને મોતની છલ્લાંગ લગાવી હતી જો કે સદનસીબે માછીમારોએ યુવાનનો જીવ બચાવી લીધો હતો

New Update
  • નર્મદા મૈયા બ્રિજ પર બની ઘટના

  • યુવાને નર્મદા નદીમાં લગાવી મોતની છલાંગ

  • માછીમારોએ યુવાનનો જીવ બચાવ્યો

  • પતિ પત્નીના કંકાસમાં આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની માહિતી

  • બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની માંગ

અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી યુવાને મોતની છલ્લાંગ લગાવી હતી જો કે સદનસીબે માછીમારોએ યુવાનનો જીવ બચાવી લીધો હતો

અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી આજરોજ સવારના સમયે યુવાને નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી હતી. યુવાને નદીમાં ભૂસકો લગાવતા જ અંદર માછીમારી કરી રહેલા માછીમારોએ આ દ્રશ્ય જોયા હતા જેના પગલે તેઓએ તરત જ દોડી જઇ યુવાનનો જીવ બચાવ્યો હતો.આ અંગેની જાણ કરવામાં આવતા જ એમ્બ્યુલન્સ અને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને યુવાનને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.ભરૂચના કુકરવાડા વિસ્તારમાં રહેતા પતિ પત્નીના ઝઘડામાં પતિએ પત્નીની નજર સામે જ નર્મદા મૈયા બ્રિજમાં ઝંપલાવ્યું હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે.

આ તરફ નદીમાં આપઘાતના વધતા બનાવો રોકવા બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની સ્થાનિકો માંગ કરી રહ્યા છે.આ અંગે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ જણાવ્યું હતું કે આ અંગે અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા જાળી લગાવવા માટેની કામગીરી કરવામાં નથી આવતી ત્યારે આવનારા દિવસોમાં વિરોધ પ્રદર્શન સહિતના કાર્યક્રમો કરવામાં આવશે.
Read the Next Article

ભરૂચ: છોટુ વસાવાને 80માં જન્મદિવસે BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાયા, કહ્યું કેટલાક પરિબળોએ અમારું સંગઠન તોડવા કર્યો પ્રયાસ !

આદિવાસી મસીહા એવા ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાનો આજે જન્મદિવસ હતો. આદિવાસી નેતા 80 વર્ષ પૂર્ણ કરી 81 માં વર્ષમાં પ્રવેશ્યા છે.

New Update
  • ભરૂચના ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય

  • છોટુ વસાવા બન્યા બિટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ

  • 80માં જન્મદિવસે કરાય જાહેરાત

  • મહેશ વસાવાએ ટેકો જાહેર કર્યો

  • મોટી સંખ્યામાં સમર્થકો રહ્યા ઉપસ્થિત

ભરૂચના ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાને 80 માં જન્મદિવસે  BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવતા ટેકેદારોએ આ જાહેરાતને વધાવી લીધી હતી
આદિવાસી મસીહા એવા ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાનો આજે જન્મદિવસ હતો. આદિવાસી નેતા 80 વર્ષ પૂર્ણ કરી 81 માં વર્ષમાં પ્રવેશ્યા છે. તેઓના જન્મદિવસે તેમને શુભેચ્છા પાઠવવા દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય પુત્ર મહેશ વસાવા, દિલીપ વસાવા, કિશોર વસાવા સાથે અન્ય આગેવાનો પણ ઉમટી પડ્યા હતા.વાલિયા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ રાજુભાઇ વસાવા, રજની વસાવા, વિજય વસાવા સહિતના આગેવાનો તેમજ સમર્થકોની હાજરીમાં છોટુ વસાવાના જન્મદિવસની ઉજવણી કરી તેઓને શુભકામનાઓ પાઠવાઈ હતી.
પૂર્વ ધારાસભ્યના જન્મદિવસે જ તેઓને BTP ના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.તાજેતરમાં જ ભાજપ સાથે મોહભંગ થતા રાજીનામુ આપનાર તેમના પુત્ર મહેશ વસાવાએ આ જાહેરાતને ટેકો જાહેર કર્યો હતો. આ અંગે છોટુ વસાવાએ જણાવ્યું હતું કે કેટલાક પરિબળોએ અમારું સંગઠન તોડવા પ્રયાસ કર્યા હતા પરંતુ હવે અમે એક થઈ લડીશું