ભરૂચ : શુકલતીર્થ ખાતે કારતકી પૂર્ણિમાના મેળાનો થશે પ્રારંભ

ભરૂચથી 17 કિલોમીટરના અંતરે આવેલ શુક્લતીર્થ ગામ ખાતે કારતકી અગિયારસના દિવસથી 7 દિવસીય ભાતીગળ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે

New Update
  • શુક્લતીર્થ ગામે 7 દિવસીય ભાતીગળ મેળાનું આયોજન

  • કારતકી અગિયારસના દિવસથી મેળાનો કરાશે પ્રારંભ

  • ગ્રામ પંચાયત અને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને ઓપ

  • ખાણીપીણીના સ્ટોલ સહિત વિવિધ રાઈડ મેળાનું આકર્ષણ

  • રાજ્યમાંથી લાખોની સંખ્યામાં લોકો મેળો મહાલાવા ઉમટશે

ભરૂચથી17 કિલોમીટરના અંતરે આવેલ શુક્લતીર્થ ગામ ખાતે કારતકી અગિયારસના દિવસથી 7 દિવસીય ભાતીગળ મેળાનું આયોજન કરવામાં આવ્યું છેત્યારે શુક્લતીર્થ ગ્રામ પંચાયત તેમજ વહીવટી તંત્ર દ્વારા મેળાની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.

ભરૂચ તાલુકાના શુકલતીર્થ ખાતે તા. 12 નવેમ્બરથી યોજનારભાતીગળ મેળાને અનુલક્ષીને તડામાર તૈયારીઓ શુકલતીર્થ પંચાયત દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. મેળા દરમ્યાન પંચાયત દ્વારા 600થી વધુ પ્લોટોની ફાળવણી કરી લાઈટપાણીસીસીટીવી કેમેરા સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવનાર છે. મેળામાં ચગડોળ સહિતના મનોરંજનના સાધનોની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. મેળાની મજા માણવા રાજ્યભરમાંથી લોકો ઉમટી પડશેત્યારે શુકલતીર્થ ગ્રામ પંચાયત અને વહીવટી તંત્ર દ્વારા ભાતીગળ મેળાની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.

શુકલતીર્થગામે કારતક સુદની કારતકી અગિયારસના દિવસથી પૌરાણિક જાત્રાને લઇ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શુકલતીર્થ ગામમાં સ્વયંભૂ વિષ્ણુ ભગવાનની પ્રતિમા તેમજ શુકલેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે. એક પટકથા અનુસારભગવાન શ્રી હરિ સવારે બાળક અવસ્થામાંબપોરે યુવા અવસ્થા તેમજ સાંજે વૃદ્ધ અવસ્થામાં ભક્તોને દર્શન આપે છે. આજે પણ આ મૂર્તિમાં 3 અવસ્થામાં ભગવાન દર્શન આપતા હોવાની માન્યતા છે. દર કારતક સુદ પુનમના રોજ ભગવાન વિષ્ણુનો જન્મ દિવસ હોવાથી શુકલતીર્થમાં ભવ્ય ભાતીગળ મેળો યોજાય છે. તો બીજી પટકથા અનુસારરાજા ચાણક્યને ઉમાપતિની આરાધના કર્યા બાદ શુકલતીર્થ ખાતે મોક્ષની પ્રાપ્તિ થઈ હતી. આ સ્થળે પાતાળમાંથી સ્વયંભુ શિવલિંગ પ્રગટ થયું હતુંજે આજે શુકલેશ્વર મહાદેવ તરીકે જાણીતું છે.

ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ખાતે મેળાના પગલે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છેત્યારે અહી મોજ અને મજા માટે આવતા લોકો માટે ખાણીપીણી સહિત બાળકો માટે રમકડાં તેમજ ઘર વપરાશની ચીજવસ્તુઓના સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા છેત્યારે સ્ટોલ મારફતે અનેક લોકો રોજગારી મેળવી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે.

ભરૂચથી 17 કિલોમીટર દૂર આવેલા શુક્લતીર્થ ગામે કારતકી અગિયારસના દિવસથી 7 દિવસ ભાથીગળ મેળો ભરાય છે. જેમાં સમગ્ર રાજ્યમાંથી લાખોની સંખ્યામાં લોકો મેળાને મહાલાવા ઉમટી પડે છે. ઉલ્લેખનીય છે કેઆ મેળામાં આજુબાજુના ગામોમાંથી લોકો ટેન્ટ બાંધીને 5 દિવસ પોતાના પરિવાર સહિત મેળાની મજા માણવાની સાથે સંયુક્ત કુટુંબની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડે છે.

 

Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.