ભરૂચ: પોલીસે ઉદ્યોગકારોને આપી સૂચના, ડ્રગ્સનું ઉત્પાદન- કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર નિકાલ નહીં ચલાવી લેવાય !

ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા અંક્લેશ્વર, પાનોલી, ઝઘડિયા, દહેજ તેમજ સાયખા જીઆઇડીસીના ઉદ્યોગકારો સાથે ખાસ અવેરનેસ સેમિનાર અંકલેશ્વરમાં રાખવામાં આવ્યો હતો.

New Update
  • ભરૂચ પોલીસ દ્વારા કરવામાં આવ્યું આયોજન

  • અંકલેશ્વરમાં જન જાગૃતિ સેમિનાર યોજાયો

  • ડ્રગ્સનું ઉત્પાદન રોકવા વિશેષ સૂચના

  • કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર નિકાલ અટકાવવા માર્ગદર્શન

  • ઉદ્યોગ મંડળના પ્રતિનિધિઓએ આપી હાજરી

અંક્લેશ્વરમાં ઉદ્યોગકારો માટે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર નિકાલ અને ડ્રગ્સના ઉત્પાદનને રોકવા માટે વિશેષ સૂચના સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા અંક્લેશ્વર, પાનોલી, ઝઘડિયા, દહેજ તેમજ સાયખા જીઆઇડીસીના ઉદ્યોગકારો સાથે ખાસ અવેરનેસ સેમિનાર અંકલેશ્વરમાં રાખવામાં આવ્યો હતો. જેમાં જીઆઇડીસીઓમાં આવેલાં નાના-મોટા ફાર્માસ્યુટીકલ એકમોમાં બનતાં ડ્રગ્સનું મોનિટરીંગ થાય, નાર્કોટિક્સ સિન્થેટિક્સ ડ્રગ્સનું ઉત્પાદન ન થાય, પર્યાવરણ અને સજીવ સૃષ્ટીને હાનિકારક એવા હેઝાર્ડવેસ્ટનો ગેરકાયદે રીતે નિકાલ ન થાય ઉપરાંત કંપનીમાં ઉપપેદાશ તરીકે બનતાં ઇથેનોલ-મિથેનોલ જેવા પ્રોડક્ટના ખરીદ-વેચાણ અને હેરાફેરીનું યોગ્ય મોનિટરીંગ કરી શકાય તે માટે ખાસ તાકીદ કરવામાં આવી હતી.
સેમિનારમાં ભરૂચ એસપી મયુર ચાવડાએ જણાવ્યું હતું કે, ગેરકાયદે હેઝાર્ડવેસ્ટ નિકાલ કરતી ટોળકી તેમજ પરોક્ષ રીતે  નાના-મોટા ઔદ્યોગિક એકમોને આ પ્રકારની પ્રવૃતિ ન થાય તેની તકેદારી રાખવા સુચના આપી હતી. સાથે જિલ્લામાં અકસ્માતના વધતાં બનાવોને લઇને કંપનીના તમામ કર્મચારીઓ હેલમેટનો ઉપયોગ કરે એ કાયદાનું પાલન કરે તે માટે સુચના આપી 31મી માર્ચ સુધીમાં અમલીકરણ માટેનો સમય આપવામાં આવ્યો છે તેમજ જો તે બાબતોનું અમલીકરણ નહીં થાય તો પોલીસ દ્વારા સખતમાં સખત કાર્યવાહી હાથ ધરવામાં આવશે.આ સેમિનારમાં વિવિધ ઉદ્યોગ મંડળના પ્રતિનિધિઓ,ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ,ફૂડ સેફટી વિભાગના અધિકારીઓ તેમજ એસ.ઓ.જી.સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

અમદાવાદ દુર્ઘટનામાં ભરૂચના 3 મુસાફરો પ્લેનમાં સવાર હતા, કલેકટર ગૌરાંગ મકવાણાએ કરી પુષ્ટી

અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ભરૂચના ત્રણ મુસાફરો પણ પ્લેનમાં સવાર હોવાની માહિતી બહાર આવી રહી છે.વહીવટી તંત્ર દ્વારા આ મુસાફરોના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે

New Update
  • અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના

  • લંડન જઈ રહ્યું હતું વિમાન

  • ભરૂચના 3 મુસાફરો પણ હતા સવાર

  • વહીવટી તંત્રએ કરી પુષ્ટી

  • જંબુસર- ભરૂચના 3 લોકોનો સમાવેશ

અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ભરૂચના ત્રણ મુસાફરો પણ પ્લેનમાં સવાર હોવાની માહિતી બહાર આવી રહી છે.વહીવટી તંત્ર દ્વારા આ મુસાફરોના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે
અમદાવાદથી લંડન ગેટવિક જતી ફ્લાઇટ AI171 આજે ટેકઓફ પછી અકસ્માતનો ભોગ બની હતી.અમદાવાદથી બપોરે 1. 38 વાગ્યે ઉપડેલી આ ફ્લાઇટમાં 242 મુસાફરો અને ક્રૂ સભ્યો હતા. આમાંથી 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિકો હતા.ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજે આ દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં જિલ્લાના 5 લોકો હોવાની પુષ્ટિ આપી હતી. આ તરફ ભરૂચ કલેકટર ગૌરાંગ મકવાણાએ ટેલિફોનિક વાતચીતમાં ભરૂચના 3 મુસાફરો હોવાની અને બે મુસાફરો સાંસરોદના હોવાની પુષ્ટિ કરી છે. ભરૂચનું તંત્ર આ મુસાફરોના પરિવારોનો સંપર્ક કરી રહ્યું છે.
ભરૂચ જિલ્લાના 5 મુસાફરોના બહાર આવેલા નામોમાં જંબુસરના પટેલ સાહિલ , ભરૂચના પટેલ અલ્તાફ હુસેન, સાંસરોદના તાજુ હુસેના , તાજુ આદમ અને ભરૂચના સાજેદા મીસ્તર કાવીવાલાનો સમાવેશ થાય છે.પ્લેનમાં સવાર પૈકી પટેલ અલ્તાફહુસેન તેમના સાસુ તાજુ હુસેના અને સસરા તાજુ આદમ સાથે લંડન જઈ રહ્યા હતા. યુકે સ્થાયી થયેલ પરિવારના ત્રણ લોકો ઈદ મનાવી પરત જઈ રહ્યા હતા તે દરમ્યાન આ દુર્ઘટના સર્જાય હતી.