સ્વરછતા સર્વેક્ષણમાં સમગ્ર રાજ્યમાં ભરૂચ 61 તો અંકલેશ્વર 13મા ક્રમે, વેસ્ટ સેગ્નિગ્રેશનમાં પાછળ પડયા !

સ્વચ્છતા સર્વેક્ષણ 2024 માં ભરૂચ શહેર ગત વર્ષ કરતા 48 નંબરનો ધબડકા સાથે 61 માં ક્રમે અને અંકલેશ્વર 50 ક્રમનો હાઇજમ્પ લગાવી 13માં ક્રમે રાજ્યમાં રહ્યું છે

New Update
  • સ્વરછતા સર્વેક્ષણ 2024નું પરિણામ જાહેર

  • ઇન્દોર દેશનું સૌથી સ્વરછ શહેર

  • ભરૂચ રાજયમાં 61માં ક્રમે

  • અંકલેશ્વર 13માં ક્રમે

  • વેસ્ટ સેગ્રીગેશનમાં પાછળ પડ્યા

સ્વચ્છતા સર્વેક્ષણ 2024 માં ભરૂચ શહેર ગત વર્ષ કરતા 48 નંબરનો ધબડકા સાથે 61 માં ક્રમે અને અંકલેશ્વર 50 ક્રમનો હાઇજમ્પ લગાવી 13માં ક્રમે રાજ્યમાં રહ્યું છે
પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરાયેલ સ્વચ્છ ભારત મિશન અભિયાન હેઠળ વર્ષ 2024 માટે સ્વચ્છતા સર્વેક્ષણના જારી કરાયેલા આકડાઓમાં ભરૂચ શહેર 61 માં ક્રમાંક સાથે સ્વચ્છતામાં 48 સ્થાન નીચે ઉતર્યું છે. જ્યારે અંકલેશ્વર શહેરે સ્વચ્છતામાં 13 મો નંબર મેળવી ગત વર્ષ કરતા 50 સ્થાન ઊંચે ચઢ્યું છે.
જ્યારે આમોદે 91 મો અને જંબુસર નગરે 58 મો ક્રમ રાજ્યમાં હાંસલ કર્યો છે.ભરૂચ અને અંકલેશ્વર શહેરનો 11 માંથી 9 કેટેગરીમાં દેખાવ એકંદરે સારો રહ્યો હતો. જોકે સોલિડ વેસ્ટ નિકાલને લઈ ક્લીનનેસ સ્કોરમાં પછડાટ ખાવો પડ્યો હતો. વેસ્ટ સેનીગ્રેશન અને પબ્લિક ટોયલેટ રેન્કિંગમાં પછડાટે ભરૂચને ઘણું પાછળ ધકેલ્યું.
દેશમાં ભરૂચ 144 માં સ્થાને રહ્યું હતું. જ્યારે અંકલેશ્વર રીજનલમાં 52 જંબુસર ઝોનમાં 172 અને આમોદ રીજનલમાં 394 માં ક્રમે રહ્યું છે. ભરૂચ જિલ્લાની ચાર નગરપાલિકાને વસ્તી પ્રમાણે એ,બી કેટેગરીમાં સુરત ઝોનમાં વર્ગીકૃત કરાઈ છે.
Read the Next Article

ભરૂચ: વરસાદી માહોલ વચ્ચે NH 48 પર લાગ્યા વાહનોના થપ્પા, ઝાડેશ્વર ચોકડી નજીક ભારે ટ્રાફિકજામ

વરસાદી માહોલ વચ્ચે વાહનોની લાંબી કરતાં લાગી હતી. લગભગ 2 થી 3 કિલોમીટર સુધી લાંબો ટ્રાફિકજામ સર્જાતા વરસતા વરસાદમાં અનેક વાહન ચાલકો અટવાયા હતા.

New Update
Traffic Jam

ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રાફિક જામની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે ત્યારે આજરોજ વરસાદી માહોલ વચ્ચે શહેરની ઝાડેશ્વર ચોકડી નજીક પણ વાહનોની લાંબી કરતાં લાગી હતી. લગભગ 2 થી 3 કિલોમીટર સુધી લાંબો ટ્રાફિકજામ સર્જાતા વરસતા વરસાદમાં અનેક વાહન ચાલકો અટવાયા હતા.

ઝાડેશ્વર ચોકડી નજીકના બિસ્માર માર્ગના પગલે ટ્રાફિકજામની રોજિંદી સમસ્યા વકરી રહી છે ત્યારે માર્ગના સમારકામ સાથે પોલીસ વિભાગ પણ આ બાબતે જરૂરી કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે. ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે પણ નેશનલ હાઇવે નંબર 48 પર વારંવાર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે.વાલિયા ચોકડી નજીકના સાંકડા ઓવરબ્રિજના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે ટ્રાફિકજામની સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તે જરૂરી છે.