અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી, સાંસ્કૃતિક કાર્યક્રમનું કરાયું આયોજન

અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી,આ પ્રસંગે શિક્ષકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

New Update

અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી,આ પ્રસંગે શિક્ષકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં મુખ્ય મહેમાન તરીકે ડો.તનવીર શેખ,અતિથી વિશેષ તરીકે  પ્રોફેસર હસમુખ પટેલ,ટ્રસ્ટના પ્રમુખ નાઝુ ફડવાલાપ્રાયમરી અને સેકન્ડરીના આચાર્ય કવિતા કાલગુડે અને  પ્રી પ્રાયમરી અને પ્રાયમરીના આચાર્ય શ્રદ્ધા પટેલ તથા અન્ય  ટ્રસ્ટીગણ,સ્કુલના શિક્ષકોની ઉપસ્થિતિમાં મહિલા દિવસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ડો.તનવીર  શેખે પોતાના વક્તવ્યમાં કહ્યું કે દરેક મહિલા પોતે પ્રતિભાવાન જ હોય છે,પરંતુ એને એની અંદર છુપાયેલી પ્રતિભાની શક્તિ ની ખબર નથી હોતી. સ્ત્રીઓએ પોતે જ પોતાની અંદરની શક્તિને ઓળખવી પડે અને સમાજમાં યોગદાન આપવા માટે આગળ આવવું પડશે.

publive-image

પ્રોફેસર હસમુખ પટેલે  હવે મહિલા કોઈ પણ ક્ષેત્રમાં પાછળ નથી મહિલા ધારે તો ઘણું બધું પોતાના માટે પરિવાર માટે અને સમાજ માટે યોગદાન આપી શકે છે અને મહિલાઓએ એ જ બાબતે આગળ આવવાની જરૂર છે. સ્કૂલના પ્રમુખ નાઝુ ફડવાલા જણાવ્યું કે આજના સમયમાં મહિલાઓ દેશના વિકાસમાં પુરુષોની સાથે બરાબર યોગદાન આપી રહી છે.માં બની ને હોય,દીકરી બનીને હોય કે પત્ની બનીને સામાજિક મુશ્કેલીઓને પાર કરીને ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. હું આજના દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એમને ખુબ ખુબ શુભેચ્છા પાઠવું છું.

આજના આ મહિલા દિવસની ઉજવણીમાં શિક્ષકો દ્વારા મહિલા દિવસની થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.સ્કુલ દ્વારા મિહલા દિવસના ભાગરુપે શિક્ષકોનું અને એકટીવ વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમના અંતમાં સ્વાગત પ્રવચન શિક્ષિકા સાલેહા શેખ  દ્વારા અને આભારવિધિ શિક્ષિકા નિમિષા પટેલ દ્વારા કરવામાં આવી હતી.

Latest Stories
Read the Next Article

અંકલેશ્વર: સુરવાડી ટી બ્રિજ પર વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ સળિયા દેખાવા લાગ્યા, તંત્રએ થીંગડા માર્યા બાદ પણ પરિસ્થિતિ યથાવત

અંકલેશ્વરના સુરવાડી ફાટક પર 2021માં તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરાયેલા બ્રિજના સળિયા દેખાવા લાગ્યા છે.

New Update
  • ટી બ્રિજ પર ખાડા પડવાની શરૂઆત

  • સુરવાડી ટી બ્રિજનો રસ્તો જર્જરીત હાલતમાં

  • બ્રિજ પર સળિયા દેખાવા લાગ્યા

  • વાહન ચાલકોમાં અકસ્માતની દહેશત

  • તંત્ર દ્વારા થીંગડા માર્યા બાદ પણ કોઈ સુધારો નહીં

અંકલેશ્વરના સુરવાડી ટી બ્રિજ પર વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ સળિયા દેખાવા લાગતા વાહનચાલકો અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે,ત્યારે તંત્ર દ્વારા બ્રિજના માર્ગ પર થીંગડા મારવાની કામગીરી કરવામાં આવી હતી,પરંતુ પુનઃ ખાડામાં સળિયા દેખાવા લાગ્યા હતા.

અંકલેશ્વરના સુરવાડી ફાટક પર 2021માં તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરાયેલા બ્રિજના સળિયા દેખાવા લાગ્યા છે. અંદાજે 104.80 કરોડના ખર્ચે નિર્માણ પામેલા બ્રિજ પર એક વર્ષમાં જ ખાડા દેખાવા માંડ્યા હતા.જેના પગલે તંત્ર દ્વારા વારંવાર ડામરના થીંગડા મારવા પડી રહ્યા છે.4 મહિના પૂર્વે પણ માર્ચ માસમાં સળિયા દેખાવાના  અહેવાલ પ્રકાશિત થતા જ ત્યાં સિમેન્ટના થીંગડા મારી દેવામાં આવ્યા હતા.જે ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં પુનઃ નીકળી જતા હવે તો પહેલા કરતા વધુ સળિયા બહાર આવી ગયા છે,અને આખે આખી સળિયાની જાળી બહાર આવી ગઈ છે.ત્યારે તંત્ર દ્વારા ફરી એકવાર સિમેન્ટનું લીપણ કરીને થીંગડા મારવાની કામગીરી કરવામાં આવી હતી.જોકે આ સમારકામ વરસાદના જોર સામે વધુ ટક્યું નહોતું,અને પુનઃ બ્રિજના માર્ગ પર સળિયા દેખાવા લાગતા વાહનચાલકો અકસ્માતનો ભય વ્યક્ત કરી રહ્યા છે.

 

Latest Stories