Connect Gujarat
ગુજરાત

ભાવનગર : શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ખાતે e-FIR અંગે જાણકારી આપી...

ભાવનગર : શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ખાતે e-FIR અંગે જાણકારી આપી...
X

રાજયમાં શરૂ કરવામાં આવેલા e-FIR અંગેની જાગૃત્તિ આપવાનો કાર્યક્રમ ભાવનગર જિલ્લા પોલીસ તંત્ર અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં અટલ ઓડિટોરિયમ ખાતે e-FIR અંગે જાણકારી આપતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સંબોઘન કરતાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણી જણાવ્યું હતું કે, આપની સાથે કોઇ ઘટના બને કે આપની કોઇ વસ્તુની ચોરી થાય અથવા વાહનની ચોરી થાય તે સમયે આપ પોલીસ મથક જઇ એફ.આઇ.આર. નોંઘાવો છો. એફ.આઇ.આર.નો પુરો અર્થ ફર્સ્ટ ઇન્ફોરમેશન રીપોર્ટ થાય છે. ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા e-FIR ની સુવિઘા શરૂ કરવામાં આવી છે. જે થકી આપ આપના વાહન અને મોબાઇલ ચોરીની ફરિયાદ ઘરે બેઠા કરી શકો છો. આ સેવા આપવાની પહેલ સમગ્ર દેશમાં સૌ પ્રથમ સબળ એન્જિનની ભૂપેન્દ્ર પટેલની સરકારે ગુજરાતમાં કરી છે. રાજ્યના નાગરિકોની સુરક્ષા અને સુવિધા રાજ્ય સરકારની ટોચ અગ્રતા રહી છે, ત્યારે નાગરિકોને રાજ્ય સરકારની તમામ સેવાઓ સુગમતાથી અને તાત્કાલિક મળે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. આ જ દિશામાં ગૃહવિભાગ દ્વારા નક્કર પગલું ભરવામાં આવ્યું છે. આ પ્રસંગે e-FIR અંતર્ગત શરૂ કરવામાં આવેલ સીટીઝન પોર્ટલ અને સીટીઝન ફર્સ્ટ નામની એપથી સર્વે વિઘાર્થીઓને તેમની સરળ ભાષામાં સમજ પડે તે રીતે પ્રેઝેન્ટેશન રજૂ કરી માહિતગાર કરાયા હતા.

Next Story