સંવેદનશીલ મુખ્યમંત્રી 2.0 ! ભુપેન્દ્ર પટેલે લીધો પ્રજાલક્ષી મોટો નિર્ણય
BY Connect Gujarat15 Sep 2021 10:29 AM GMT

X
Connect Gujarat15 Sep 2021 10:29 AM GMT
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચાધિકારીઓને CM કોન્વોય સમયે ટ્રાફિક ઓછો રોકવા માટેના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને જણાવ્યું હતું કે, કાફલો પસાર થાય ત્યારે ટ્રાફિક ઓછો રોકવો. આ સાથે જ જનતાને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેવો ઉલ્લેખ પણ તેમણે કર્યો હતો.
પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાત ભાજપના પીઢ નેતા વિજય રૂપાણીએ કહ્યું કે, સંવેદનશીલતા હોવી તે ગુનો નથી. દરેક વ્યક્તિમાં સંવેદનશીલતા હોવી જરૂરી છે અને જે વ્યક્તિમાં તે નથી તે વ્યક્તિ જ નથી. પીડિત કે શોષિત માટે વેદના થવી જ જોઈએ આવું હું ચોક્કસપણે માનું છું.
Next Story