Connect Gujarat
ગુજરાત

કોવિડ-19 : રાજયમાં આજે કોરોનાના 36 નવા કેસ નોધાયા

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 36 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 61 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે

કોવિડ-19 : રાજયમાં આજે કોરોનાના 36 નવા કેસ નોધાયા
X

ગુજરાતમાં કોરોનાનાકેસમાં ઘટાડો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 36 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 61 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 98.74 ટકા થયો છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10 હજાર 76 થયો છે.

જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ 345 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 લોકો વેન્ટીલેટર પર છે. 340 લોકો સ્ટેબલ છે. 8,14,223 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 10076 લોકોનાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં મોત નિપજ્યાં છે.

રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 3,55,953 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોવિડ19થી સાજા થવાના દરમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.74 ટકા છે. આજે 61 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 814223 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

Next Story