Connect Gujarat
ગુજરાત

Covid-19 : રાજ્યમાં આજે 45 નવા પોઝિટિવ કેસ નોધાયા, 26 દર્દીઓ થયા સાજા

Covid-19 : રાજ્યમાં આજે 45 નવા પોઝિટિવ કેસ નોધાયા, 26 દર્દીઓ થયા સાજા
X


રાજ્યમાં આજે કોરોનાના 45 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. તો બીજી તરફ 26 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,134 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.74 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક મોત થયું છે. આજે 4,26,161 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 11, ભરૂચમાં 7, વડોદરા કોર્પોરેશનમાં 5, ગાંધીનગર કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 4, કચ્છમાં 3, નવસારીમાં 2, રાજકોટ કોર્પોરેશનમાં 2, વલસાડમાં 2, આણંદમાં 1, ભાવનગરમાં 1, ભાવનગર કોર્પોરેશનમાં 1, જામનગર કોર્પોરેશનમાં 1, અને ખેડામાં 1 કોરોનાનો કેસ નોંધાયો છે.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 293 કેસ છે. જે પૈકી 08 વેન્ટીલેટર પર છે, જ્યારે 285 નાગરિકો સ્ટેબલ છે. 8,17,134 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10093 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.

Next Story