Connect Gujarat
ગુજરાત

Covid-19 : રાજ્યમાં આજે કોરોનાના 51 નવા કેસ નોધાયા, 55 દર્દીઓ થયા સાજા

Covid-19 : રાજ્યમાં આજે કોરોનાના 51 નવા કેસ નોધાયા, 55 દર્દીઓ થયા સાજા
X


રાજ્યમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 51 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.તો બીજી તરફ 55 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,17,874 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.71 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયુ નથી. આજે 87,198 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 18, વડોદરા કોર્પોરેશન 10, સુરત કોર્પોરેશનમાં 6, કચ્છમાં ત્રણ, નવસારીમાં ત્રણ, રાજકોટ કોર્પોરેશનમાં ત્રણ, રાજકોટમાં બે, દેવભૂમિ દ્વારકામાં એક, ગાંધીનગર કોર્પોરેશનમાં એક, જામનગર કોર્પોરેશનમાં એક, ખેડામાં એક, મહેસાણામાં એક, વલસાડમાં એક નવો કેસ નોંધાયો હતો.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 571 કેસ છે. જે પૈકી 04 વેન્ટીલેટર પર છે, જ્યારે 567 નાગરિકો સ્ટેબલ છે. 8,17,874 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10101 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.

Next Story