Connect Gujarat
ગુજરાત

Covid19 : રાજ્યમાં આજે 29 નવા કેસ નોધાયા, 41 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના 29 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. તો બીજી તરફ 41 દર્દીઓ રિકવર પણ થયા છે.

Covid19 : રાજ્યમાં આજે 29 નવા કેસ નોધાયા, 41 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત
X

ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના 29 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. તો બીજી તરફ 41 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,457 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.75 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી. આજે 3,92,615 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે રાજકોટ કોર્પોરેશનમાં ચાર, સુરત કોર્પોરેશનમાં ચાર, વલસાડમાં ચાર, અમદાવાદ કોર્પોરેશનમાં ત્રણ, જૂનાગઢ કોર્પોરેશનમાં ત્રણ, વડોદરા કોર્પોરેશનમાં ત્રણ, ભાવનગર કોર્પોરેશનમાં બે, જૂનાગઢમાં બે, સાબરકાંઠામાં બે, આણંદ અને સુરતમાં એક-એક કોરોનાના નવા કેસ નોંધાયા હતા.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 217 કેસ છે. જે પૈકી 06 વેન્ટીલેટર પર છે, જ્યારે 211 નાગરિકો સ્ટેબલ છે. 8,16,457 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10090 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.

Next Story