Connect Gujarat
ગુજરાત

અમરેલી : પ્રકૃતિના પ્રથમ હરોળના પુજારી એવા પંખીઓ માટે પાણી પીવાના કુંડા પક્ષીપ્રેમીઓને વિતરણ કરાયા

પંખીઓ સદીઓથી વૃક્ષો તથા કુદરતી રીતે જંગલને ઉગાડનારા માનવના મિત્રરૂપી કુદરતના પરીન્દાઓ છે.

અમરેલી : પ્રકૃતિના પ્રથમ હરોળના પુજારી એવા પંખીઓ માટે પાણી પીવાના કુંડા પક્ષીપ્રેમીઓને વિતરણ કરાયા
X

અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે પ્રકૃતિના પ્રથમ હરોળના પુજારી એવા પંખીઓ માટે પાણી પીવાના માટીના કુંડાનું શહેરીજનોને વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. પંખીઓ સદીઓથી વૃક્ષો તથા કુદરતી રીતે જંગલને ઉગાડનારા માનવના મિત્રરૂપી કુદરતના પરીન્દાઓ છે. તેમનો માનવજાત સાથે સદીઓથી અતુટ નાતો રહ્યો છે. ઉનાળામાં આકરા તાપમાં પંખીઓને તથા એમના નાના બચ્ચાઓને પાણીની જરૂર વધારે પડે છે, માટે આપણે સૌએ પંખી સેવા એજ પ્રભુ સેવા કરવા માટે આપણા ઘર, બાલ્કની, અગાશી પર પાણીનું કુંડુ અવશ્ય મુકવું જોઈએ જેથી કોઈ પંખીને પાણી સહેલાઇથી મળી શકે..

સાવરકુંડલાની શ્રી ઓમકાર કેળવણી ટ્રસ્ટ, સંચાલિત શ્રી મૂળરાજ ધરમશી પ્રાથમિક વિદ્યાલય દ્વારા પંખીઓ માટે પાણી પીવાના 700 જેટલા માટીના કુંડા વિનામુલ્યે શહેરીજનોને વિતરણ કરવામાં આવ્યા હતા. આ સેવાકાર્યમાં પ્રો. કે.કે.જાનીનો આર્થિક સહયોગ મળ્યો હતો. સાવરકુંડલા શહેરની તમામ સરકારી કચેરીઓ, બાગ, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, પ્રાથમિક શાળાઓ, હાઈસ્કુલો, કોલેજોમાં પણ પંખીઓ માટે પાણીના માટીના કુંડા મુકવાની અદભૂત સેવા વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સતિષ પાંડે દ્વારા કરવામાં આવી હતી.

Next Story