ગાંધીનગર : રિલાયન્સ કંપની નિર્મિત સર્કલનું અનાવરણ, 'ધ ગીર: પ્રાઇડ ઓફ ગુજરાત'નું નિર્માણ

"હવેથી ગાંધીનગરની મુલાકાતે આવનારા તમામ મુલાકાતીઓ માટે ઇન્દ્રોડા સર્કલ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની રહેશે

New Update

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ગાંધીનગરના ઇન્દ્રોડા સર્કલ પર 'ધ ગીરઃ પ્રાઇડ ઓફ ગુજરાત'નું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનું અનાવરણ ગુજરાતના ગૃહ તેમજ મહેસૂલ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાતના કૃષિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની સાથે રાજ્યસભા સાંસદ તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેક્ટર પરિમલ નથવાણીએ અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય એસ.કે.ચતુર્વેદી (આઇ.એફ.એસ) તથા અગ્ર મુખ્ય વન સંરક્ષક વન્યજીવ (ઇન્ચાર્જ), ગુજરાત રાજ્ય નિત્યાનંદ શ્રીવાસ્તવ (આઇ.એફ.એસ.) તથા અન્ય મહેમાનોની ઉપસ્થિતિમાં ઓગષ્ટ 30, 2022ના રોજ કરવામાં આવ્યું.

Advertisment

'ધ ગીરઃપ્રાઇડ ઓફ ગુજરાત' એશિયાઈ સિંહોના વિશ્વના એકમાત્ર રહેઠાણ સાસણ ગીરની પ્રતિકૃતિ છે. આ પ્રોજેક્ટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની કોર્પોરેટ સોશ્યલ રીસ્પોન્સિબિલિટી (સી.એસ.આર.)નો ભાગ છે અને તેને નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયાના સહયોગમાં સ્થાપવામાં આવ્યો છે.

આર.આઇ.એલ. સામાજિક વિકાસનાં કાર્યોમાં હંમેશા અગ્રેસર રહ્યું છે. આ પ્રોજેક્ટ લગભગ 55,00 ચોરસ ફૂટ વિસ્તારમાં વિકસાવવામાં આવ્યો છે, જેમાંથી 'ધ ગીરઃપ્રાઇડ ઓફ ગુજરાત' લગભગ 25,000 ચોરસ ફૂટ વિસ્તારમાં આવેલું છે. આ પ્રોજેક્ટમાં સાસણ ગીરમાં જોવા મળતાં વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓ જેમ કે સિંહ (કુલ 12 પ્રતિકૃતિ), દિપડા, ચોશિંગા, ચીત્તલ, અજગર, વરૂ, લંગુર, કિડીખાઉ (પેંગોલિન), ગીધ,વગેરેની પૂર્ણ કદની પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે.

ઉદ્દઘાટન પ્રસંગે રાજ્યકક્ષાના ગૃહ અને મહેસૂલ મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, "હવેથી ગાંધીનગરની મુલાકાતે આવનારા તમામ મુલાકાતીઓ માટે ઇન્દ્રોડા સર્કલ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની રહેશે. આ ગીરની પ્રતિકૃતિ આપણને ગીરના સિંહો, ત્યાંના વૃક્ષો, જંગલ અને અન્ય પ્રાણીઓની આબેહૂબ અનુભૂતિ કરાવે છે. હું રિલાયન્સ ફાઉન્ડેશન અને પરિમલભાઈને ગીર અને તેના સિંહોના પ્રચાર માટેના સતત પ્રયત્નો બદલ અભિનંદન આપું છું."

"મને લગભગ ત્રણ દાયકાથી વધારે સમયથી ગીરના સિંહો પ્રત્યે અપ્રતિમ લગાવ છે. રિલાયન્સમાં અમારો પ્રયાસ ગુજરાત અને ભારતના ગર્વ સમાન અને માત્ર ગુજરાતના ગીરમાં જ જોવા મળતા એશિયાટિક સિંહો અંગે જાગૃતિ ફેલાવવાનો રહ્યો છે," એમ રાજ્યસભા સાંસદ અને આર.આઇ.એલ.ના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેક્ટર પરિમલ નથવાણીએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય વર્ષો પહેલાં અમદાવાદમાં આવેલા સરદાર વલ્લભભાઈ પટેલ આંતર્રાષ્ટ્રીય એરપોર્ટમાં ડોમેસ્ટીક ટર્મિનલ પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા એશિયાટીક સિંહો પર આધારીત ધી ગીરનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેને હમણાં થોડા સમય પહેલાં જ ડોમેસ્ટીક ટર્મિનલની બહાર પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું.

Advertisment
Read the Next Article

હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં આજે 28 જિલ્લામાં વરસાદ પડવાની સંભાવના,

હવામાન વિભાગની આગાહી મુજબ 4 જૂન બાદ રાજ્યમાં હવે ગુજરાતનું જોર ઘટશે. આજે ગુજરાતના છૂટછવાયા વિસ્તારમાં વરસાદ પડશે.  રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ

New Update
2 varsad

હવામાન વિભાગની આગાહી મુજબ 4 જૂન બાદ રાજ્યમાં હવે ગુજરાતનું જોર ઘટશે. આજે ગુજરાતના છૂટછવાયા વિસ્તારમાં વરસાદ પડશે.

Advertisment

રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સિસ્ટમની અસરના કારણે અરબી સમુદ્ર પરથી આવતા ભેજવાળા પવનના કારણે વરસાદ વરસી રહ્યો છે. 

હવામાન વિભાગના મોડલ મુજબ ગુજરાત રિજનમાં વરસાદ પડવાની શક્યા છે. હવામાન વિભાગે આજે 28 જિલ્લામાં વરસાદની આગાહી કરી છે.  ઉત્તર, મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્રના જિલ્લામાં વરસાદનું અનુમાન છે. સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરમાં ગાજવીજ સાથે મધ્યથી હળવો વરસાદ વરસશી શકે છે. ગીર સોમનાથ, અમરેલીમાં પણ હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે.  બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં પણ વરસાદનું અનુમાન છેય

મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર,ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદનું અનુમાન છે.  આણંદ, વડોદરા, છોટાઉદેપુરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.  ભરૂચ,નર્મદા,સુરત, તાપી, નવસારીમાં પણ આજે વરસાદ વરસી શકે છે, ઉપરાંત ડાંગ, વલસાડ, દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ  હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે.

Advertisment
Latest Stories