ગીર સોમનાથ: આમ આદમી પાર્ટીની જનસંવેદના યાત્રાનો પ્રારંભ

New Update

ગીર સોમનાથ સુત્રાપાડા તાલુકાના ઝાલા ગામ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા જન સંવેદના યાત્રાનું આયોજન ક્લારવામાં આવ્યું હતું. આપ નેતા ઈશુદાન ગઢવી અને ગોપાલ ઇટાલીયા દ્વારા જન સંવેદના યાત્રા આજથી શરૂઆત કરવામાં આવી. સોમનાથ મહાદેવ દર્શન કરી આજથી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા જન સંવેદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી.

Advertisment W3.CSS

ઈશુદાન ગઢવીએ રાજ્ય સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે ખેડૂતોને યોગ્ય ભાવ મળતા નથી ખેડૂતોના અવાજ ને કોઈ સાંભળતું નથી ખેડૂતોના કામ સરકાર દ્વારા કરવામાં આવતા નથી. સરકાર ખેડૂતોના પ્રશ્નો સાંભળતી નથી સરકારી સિસ્ટમ બદલાવું પડશે એકવાર આપ ને મોકો આપો ખેડૂતોના પ્રશ્નો હોય કે આમ લોકોના તમામના પ્રશ્નો નિરાકરણ લાવીશુ એવી ખાતરી આપી હતી. આ જન સંવેદના યાત્રા સોમનાથ થી અંબાજી સુધી કરીશું અને તમામ લોકોના પ્રશ્નો સાંભળીશું.