Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ: આમ આદમી પાર્ટીની જનસંવેદના યાત્રાનો પ્રારંભ

ગીર સોમનાથ: આમ આદમી પાર્ટીની જનસંવેદના યાત્રાનો પ્રારંભ
X

ગીર સોમનાથ સુત્રાપાડા તાલુકાના ઝાલા ગામ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા જન સંવેદના યાત્રાનું આયોજન ક્લારવામાં આવ્યું હતું. આપ નેતા ઈશુદાન ગઢવી અને ગોપાલ ઇટાલીયા દ્વારા જન સંવેદના યાત્રા આજથી શરૂઆત કરવામાં આવી. સોમનાથ મહાદેવ દર્શન કરી આજથી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા જન સંવેદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી.


ઈશુદાન ગઢવીએ રાજ્ય સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે ખેડૂતોને યોગ્ય ભાવ મળતા નથી ખેડૂતોના અવાજ ને કોઈ સાંભળતું નથી ખેડૂતોના કામ સરકાર દ્વારા કરવામાં આવતા નથી. સરકાર ખેડૂતોના પ્રશ્નો સાંભળતી નથી સરકારી સિસ્ટમ બદલાવું પડશે એકવાર આપ ને મોકો આપો ખેડૂતોના પ્રશ્નો હોય કે આમ લોકોના તમામના પ્રશ્નો નિરાકરણ લાવીશુ એવી ખાતરી આપી હતી. આ જન સંવેદના યાત્રા સોમનાથ થી અંબાજી સુધી કરીશું અને તમામ લોકોના પ્રશ્નો સાંભળીશું.

Next Story