જૂનાગઢ: ગીર અભ્યારણમાં સિંહ દર્શનની શરૂઆત થતા વિદેશી પ્રવાસીઓએ પણ મુલાકાત લીધી

ગીર અભ્યારણની મુલાકાતે દેશ વિદેશથી પ્રવાસીઓ આવે છે ,વરસાદની ચાર મહિનાની મોસમમાં બંધ રહેલા ગીર અભ્યારણમાં સિંહ દર્શનની શરૂઆત થતાં જ મુલાકાતીઓ ઉમટી પડ્યા હતા.

New Update

ગીર અભ્યારણમાં સિંહ દર્શનની શરૂઆત

વરસાદની મોસમમાં ચાર મહિના બંધ હતું અભ્યારણ 

16 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે અભ્યારણ ખુલ્લુ મુકાયુ

વિદેશી પ્રવાસીઓએ પણ કર્યા એશિયાટિક સિંહના દર્શન 

સીઝનમાં 15 લાખ પ્રવાસીઓ મુલાકાત લે તેવી શક્યતા  

વરસાદની મોસમમાં ચાર મહિના સિંહ સંવનન કાળને કારણે ગીર સફારી બંધ રાખવામાં આવે છે,જે તારીખ 16 ઓકટોબર થી પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે.અને પ્રથમ દિવસે જ દેશ વિદેશના અનેક પ્રવાસીઓ આવી પહોંચ્યા હતા.પ્રવાસીઓ એશિયાટિક લાયન, દીપડા,હરણ,મોર અને વિવિધ પક્ષીઓ સાથે કુદરતી સૌંદર્ય માણી આનંદિત થઈ ગયા હતા. ગીર જંગલનું સૌંદર્ય એટલે પ્રકૃતિનું અલૌકિક રૂપ સિંહને આટલી નજીકથી જોવાએ માત્ર સ્વપ્ન હતું જે સાકાર થયું હોવાનું પ્રવાસી જાણવી રહ્યા છે.

એશિયાટિક સિંહના વિશ્વના એકમાત્ર નિવાસસ્થાન ગણાતા ગીર જંગલમાં દર વર્ષે લાખો પ્રવાસીઓ મુલાકાતે આવે છે અને સફારીની મોજ માણે છે.દર વર્ષે વધતી પ્રવાસીઓની સંખ્યાને ગીર સફારી માટે કેટલીક સુવિધામાં વધારો કર્યો છે. નાયબ વન સંરક્ષક મોહન રામે આ અંગે જણાવ્યું છે કે જીપ્સીમાં સંખ્યાના આધારે 4,6 એ 8 પ્રવાસીઓ માટેની કેટેગરી રાખી છે. ગ્રામ્ય લોકોના સહયોગથી આ શક્ય બન્યું છે.પ્રવાસીઓ કુદરતી નજારો, હરિયાળુ ગીર અને વાઈલ્ડ લાઇફને માણી શકશે.પ્રવાસીઓ માટે ખાસ પર્યાવરણની જાળવણી માટે 'Do and Don't Do ' ની ગાઇડલાઇન છે,જે ફોલો કરવાની રહેશે.ગીરની ઓફિસિયલ વેબસાઈટ પર જ પ્રવાસીઓ પરમીટ માટે બુકિંગ કરે તે જરુરી છે.ગીરની સાથે ગિરનાર સફારી પણ આજ થી શરુ થઇ છે ત્યારે આવતા બે મહિના સુધીનું પરમીટ બુકિંગ થઈ ચૂક્યું છે. એક અંદાજ મુજબ આ સીઝનમાં પંદર લાખ પ્રવાસીઓ આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Read the Next Article

AAIB એ અમદાવાદ વિમાન દુર્ઘટનાનો પ્રાથમિક રિપોર્ટ સરકારને સોંપ્યો, જાણો શું આવ્યું કારણ ?

રિપોર્ટમાં ફ્લાઇટના બ્લેક બોક્સમાંથી ડેટાનું વિશ્લેષણ સામેલ છે, જે દિલ્હીમાં AAIB લેબમાં ડાઉનલોડ કરવામાં આવ્યું હતું. તપાસમાં ભારતીય વાયુસેના, HAL, NTSB, બોઇંગ અને GE ના નિષ્ણાતોનો સમાવેશ થાય છે.

New Update
report

AAIB એ અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પોતાનો પ્રારંભિક અહેવાલ સુપરત કર્યો છે.

રિપોર્ટમાં ફ્લાઇટના બ્લેક બોક્સમાંથી ડેટાનું વિશ્લેષણ સામેલ છે, જે દિલ્હીમાં AAIB લેબમાં ડાઉનલોડ કરવામાં આવ્યું હતું. તપાસમાં ભારતીય વાયુસેના, HAL, NTSB, બોઇંગ અને GE ના નિષ્ણાતોનો સમાવેશ થાય છે.

AAIB (એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો) એ અમદાવાદ વિમાન દુર્ઘટના અંગેનો પ્રાથમિક અહેવાલ નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને અન્ય સંબંધિત એજન્સીઓને સુપરત કર્યો છે. આ અહેવાલ એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171 ના ક્રેશ સંબંધિત પ્રારંભિક તારણો પર આધારિત છે.

મંત્રાલયનું કહેવું છે કે ક્રેશ પ્રોટેક્શન મોડ્યુલ (CPM) ને વિમાનના આગળના બ્લેક બોક્સમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું હતું. 25 જૂન, 2025 ના રોજ, તેના મેમરી મોડ્યુલને ઍક્સેસ કરવામાં આવ્યું હતું અને દિલ્હીમાં AAIB લેબમાં ડેટા ડાઉનલોડ કરવામાં આવ્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ડેટાની ચોકસાઈની પુષ્ટિ કરવા માટે ‘ગોલ્ડન ચેસિસ’ નામના સમાન બ્લેક બોક્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અકસ્માત પછી, પહેલું બ્લેક બોક્સ 13 જૂને એક ઇમારતની છત પરથી અને બીજું 16 જૂને કાટમાળમાંથી મળી આવ્યું હતું. AAIB ના DG તપાસનું નેતૃત્વ કરી રહ્યા છે. તપાસ ટીમમાં ભારતીય વાયુસેના, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) અને યુએસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) ના નિષ્ણાતોનો સમાવેશ થાય છે.

AAIB ના પ્રારંભિક તપાસ અહેવાલમાં ફ્લાઇટની અંતિમ ક્ષણોની ટાઈમલાઈન, કોકપીટમાં થયેલ વાતચીત, પાઇલટ્સ દ્વારા કરવામાં આવેલા નિયંત્રણ ઇનપુટ્સ, એરક્રાફ્ટ સિસ્ટમ ડેટા, હવામાન પરિસ્થિતિઓ અને એર ટ્રાફિક કંટ્રોલ સાથેની વાતચીતની વિગતોનો સમાવેશ થાય છે.

NTSB ટીમ હાલમાં દિલ્હીમાં હાજર છે. તે AAIB લેબમાં ભારતીય અધિકારીઓ સાથે મળીને ટેકનિકલ તપાસમાં રોકાયેલું છે. આ ઉપરાંત, બોઇંગ અને GE (જનરલ ઇલેક્ટ્રિક) ના અધિકારીઓ પણ ટેકનિકલ સહાય માટે દિલ્હીમાં હાજર છે. ખાસ વાત એ છે કે આ તપાસ ટીમમાં એવિએશન મેડિકલ નિષ્ણાતો અને એર ટ્રાફિક કંટ્રોલ અધિકારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

અગાઉ, ગંભીર વિમાન અકસ્માતોના બ્લેક બોક્સને ડીકોડ કરવાનું કામ ભારતની બહાર કરવામાં આવ્યું હતું. ઉદાહરણ તરીકે, 1996 ના ચરખી દાદરી અકસ્માતમાં, બ્લેક બોક્સને મોસ્કો અને યુકેમાં ફાર્નબરોમાં ડીકોડ કરવામાં આવ્યું હતું.

2010ના મેંગલોર અકસ્માતમાં, રેકોર્ડરને અમેરિકાના NTSB દ્વારા રિપેર અને ડીકોડ કરવામાં આવ્યું હતું. તેવી જ રીતે, 2015ના દિલ્હી અકસ્માતમાં, કેનેડાની મદદ લેવામાં આવી હતી અને 2020ના કોઝિકોડ અકસ્માતમાં, અમેરિકાની મદદ લેવામાં આવી હતી.

Ahmdabad | ahmedabadplanecrash | government