ગીર અભ્યારણમાં સિંહ દર્શનની શરૂઆત
વરસાદની મોસમમાં ચાર મહિના બંધ હતું અભ્યારણ
16 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે અભ્યારણ ખુલ્લુ મુકાયુ
વિદેશી પ્રવાસીઓએ પણ કર્યા એશિયાટિક સિંહના દર્શન
સીઝનમાં 15 લાખ પ્રવાસીઓ મુલાકાત લે તેવી શક્યતા
એશિયાટિક સિંહના વિશ્વના એકમાત્ર નિવાસસ્થાન ગણાતા ગીર જંગલમાં દર વર્ષે લાખો પ્રવાસીઓ મુલાકાતે આવે છે અને સફારીની મોજ માણે છે.દર વર્ષે વધતી પ્રવાસીઓની સંખ્યાને ગીર સફારી માટે કેટલીક સુવિધામાં વધારો કર્યો છે. નાયબ વન સંરક્ષક મોહન રામે આ અંગે જણાવ્યું છે કે જીપ્સીમાં સંખ્યાના આધારે 4,6 એ 8 પ્રવાસીઓ માટેની કેટેગરી રાખી છે. ગ્રામ્ય લોકોના સહયોગથી આ શક્ય બન્યું છે.પ્રવાસીઓ કુદરતી નજારો, હરિયાળુ ગીર અને વાઈલ્ડ લાઇફને માણી શકશે.પ્રવાસીઓ માટે ખાસ પર્યાવરણની જાળવણી માટે 'Do and Don't Do ' ની ગાઇડલાઇન છે,જે ફોલો કરવાની રહેશે.ગીરની ઓફિસિયલ વેબસાઈટ પર જ પ્રવાસીઓ પરમીટ માટે બુકિંગ કરે તે જરુરી છે.ગીરની સાથે ગિરનાર સફારી પણ આજ થી શરુ થઇ છે ત્યારે આવતા બે મહિના સુધીનું પરમીટ બુકિંગ થઈ ચૂક્યું છે. એક અંદાજ મુજબ આ સીઝનમાં પંદર લાખ પ્રવાસીઓ આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.