જૂનાગઢ: ગીર અભ્યારણમાં સિંહ દર્શનની શરૂઆત થતા વિદેશી પ્રવાસીઓએ પણ મુલાકાત લીધી

ગીર અભ્યારણની મુલાકાતે દેશ વિદેશથી પ્રવાસીઓ આવે છે ,વરસાદની ચાર મહિનાની મોસમમાં બંધ રહેલા ગીર અભ્યારણમાં સિંહ દર્શનની શરૂઆત થતાં જ મુલાકાતીઓ ઉમટી પડ્યા હતા.

New Update

ગીર અભ્યારણમાં સિંહ દર્શનની શરૂઆત

Advertisment

વરસાદની મોસમમાં ચાર મહિના બંધ હતું અભ્યારણ 

16 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે અભ્યારણ ખુલ્લુ મુકાયુ

વિદેશી પ્રવાસીઓએ પણ કર્યા એશિયાટિક સિંહના દર્શન 

સીઝનમાં 15 લાખ પ્રવાસીઓ મુલાકાત લે તેવી શક્યતા  

 
Advertisment
વરસાદની મોસમમાં ચાર મહિના સિંહ સંવનન કાળને કારણે ગીર સફારી બંધ રાખવામાં આવે છે,જે તારીખ 16 ઓકટોબર થી પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે.અને પ્રથમ દિવસે જ દેશ વિદેશના અનેક પ્રવાસીઓ આવી પહોંચ્યા હતા.પ્રવાસીઓ એશિયાટિક લાયન, દીપડા,હરણ,મોર અને વિવિધ પક્ષીઓ સાથે કુદરતી સૌંદર્ય માણી આનંદિત થઈ ગયા હતા. ગીર જંગલનું સૌંદર્ય એટલે પ્રકૃતિનું અલૌકિક રૂપ સિંહને આટલી નજીકથી જોવાએ માત્ર સ્વપ્ન હતું જે સાકાર થયું હોવાનું પ્રવાસી જાણવી રહ્યા છે.

એશિયાટિક સિંહના વિશ્વના એકમાત્ર નિવાસસ્થાન ગણાતા ગીર જંગલમાં દર વર્ષે લાખો પ્રવાસીઓ મુલાકાતે આવે છે અને સફારીની મોજ માણે છે.દર વર્ષે વધતી પ્રવાસીઓની સંખ્યાને ગીર સફારી માટે કેટલીક સુવિધામાં વધારો કર્યો છે. નાયબ વન સંરક્ષક મોહન રામે આ અંગે જણાવ્યું છે કે જીપ્સીમાં સંખ્યાના આધારે 4,6 એ 8 પ્રવાસીઓ માટેની કેટેગરી રાખી છે. ગ્રામ્ય લોકોના સહયોગથી આ શક્ય બન્યું છે.પ્રવાસીઓ કુદરતી નજારો, હરિયાળુ ગીર અને વાઈલ્ડ લાઇફને માણી શકશે.પ્રવાસીઓ માટે ખાસ પર્યાવરણની જાળવણી માટે 'Do and Don't Do ' ની ગાઇડલાઇન છે,જે ફોલો કરવાની રહેશે.ગીરની ઓફિસિયલ વેબસાઈટ પર જ પ્રવાસીઓ પરમીટ માટે બુકિંગ કરે તે જરુરી છે.ગીરની સાથે ગિરનાર સફારી પણ આજ થી શરુ થઇ છે ત્યારે આવતા બે મહિના સુધીનું પરમીટ બુકિંગ થઈ ચૂક્યું છે. એક અંદાજ મુજબ આ સીઝનમાં પંદર લાખ પ્રવાસીઓ આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Advertisment
Read the Next Article

સંઘપ્રદેશ દમણમાં થયેલી રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો, દાહોદથી 3 તસ્કરોની ધરપકડ

તસ્કરોએ રાત્રે 2 વાગ્યા બાદ ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ સોનું અને 8 હજાર UK પાઉન્ડની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા

New Update
  • સંઘપ્રદેશ દમણ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મળી સફળતા

  • 20 દિવસમાં જ રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ ઉકેલ્યો

  • દાહોદ ખાતેથી 3 આંતરરાજ્ય તસ્કરોની ધરપકડ કરી

  • સોનું અને 8 હજાર UK પાઉન્ડ રોકડની થઈ હતી ચોરી

  • પોલીસે 18 લાખ રૂપિયાનું 26 તોલા સોનું રિકવર કર્યું 

Advertisment

સંઘપ્રદેશ દમણ પોલીસે માત્ર 20 દિવસમાં જ મોટી દમણમાં થયેલી રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ ઉકેલી કાઢી 3 આંતરરાજ્ય તસ્કરોની ધરપકડ કરી રૂ. 18.17 લાખની કિંમતનું 261.530 ગ્રામ સોનું જપ્ત કર્યું છે.

ગત તા. 28 ફેબ્રુઆરી-2025ના રોજ સંઘપ્રદેશ દમણના મોટી દમણ વિસ્તારમાં આવેલ મંદિર શેરી વિસ્તારમાં રહેતા ઇશ્વરભાઈ ટંડેલના ઘરમાંથી ચોરી થઈ હતી. ટંડેલ પરિવાર લંડનથી ભારત આવ્યો હતોત્યારે તસ્કરોએ રાત્રે 2 વાગ્યા બાદ ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ સોનું અને 8 હજાર UK પાઉન્ડની રોકડ રકમની ચોરી કરી હતી. આ સાથે જ શ્રી રણછોડરાયજી મંદિરની દાનપેટીમાં રહેલ 20થી 25 હજારની રોકડ પર હાથફેરો કર્યો હતો. સમગ્ર મામલે દમણ ક્રાઇમ બ્રાન્ચના PSI ભરત પરમારના નેતૃત્વમાં તપાસ શરૂ કરવામાં આવી હતી.

જેમાં ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે દાહોદથી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ચોરીને અંજામ આપનાર મુખ્ય આરોપી ભરત મોતીલાલ પંચાલ જે 50થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો છે. તે ગુજસીટોક હેઠળ સજા પણ ભોગવી ચૂક્યો છેજ્યારે અન્ય 2 આરોપીઓમાં જિજ્ઞેશ રાજુભાઈ પંચાલ અને પંકજકુમાર ઉર્ફે પુનીત ભરતભાઈ સોનીનો સમાવેશ થાય છે.

પોલીસે આરોપીઓ પાસેથી 18 લાખ રૂપિયાનું 26 તોલા સોનું પણ રિકવર કર્યું છે. હાલ સમગ્ર મામલામાં વધુ લોકો સામેલ હોય તેવું પોલીસ જણાવી રહી છેત્યારે આગામી તપાસમાં વધુ લોકોને પોલીસ દ્વારા પકડવાની હિલચાલ શરૂ કરવામાં આવી છે. દમણ પોલીસની ઝડપી કાર્યવાહીથી સ્થાનિક લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.

Advertisment