ખાનગી નર્સિંગ કોલેજમાં ગેરરીતિ મુદ્દે CMને રજૂઆત કરતા MLA ચૈતર વસાવા

નર્મદા જિલ્લાના દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિવિધ ખાનગી નર્સિંગ કોલોજોની કાર્ય પદ્ધતિ પર આક્ષેપ કર્યા હતા,અને ગેરરીતિ મુદ્દે મુખ્યમંત્રી સુધી પત્ર લખીને રજુઆત કરી હતી.

New Update
  • ખાનગી નર્સિંગ કોલેજો પર ગેરરીતિના આક્ષેપ

  • MLA ચૈતર વસાવાએ નર્સિંગ કોલેજો પર લગાવ્યો આરોપ

  • વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કરવામાં આવે છે ચેંડા

  • કોલેજોમાં વિદ્યાર્થીઓની સુવિધાનો પણ છે અભાવ

  • ચૈતર વસાવાએ પત્ર લખીને મુખ્યમંત્રીને કરી રજૂઆત

નર્મદા જિલ્લાના દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિવિધ ખાનગી નર્સિંગ કોલોજોની કાર્ય પદ્ધતિ પર આક્ષેપ કર્યા હતા,અને ગેરરીતિ મુદ્દે મુખ્યમંત્રી સુધી પત્ર લખીને રજુઆત કરી હતી.

નર્મદા જિલ્લાના દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ રાજ્યના મુખ્યમંત્રીઆરોગ્ય મંત્રી સહિત આરોગ્ય કમિશનરને પણ એક મહત્વપૂર્ણ મુદ્દા પર પત્ર લખ્યો હતો.આ પત્રમાં ધારાસભ્ય ચૈતર વસાવા જણાવ્યું હતું કેઅંબાજી થી ઉમરગામ વિસ્તારમાં A.N.M,G.N.M. નર્સિંગ કોર્ષ ચલાવવા માટે સરકારની પરવાનગીથી ઘણી સંસ્થાઓ નર્સિંગ કોલેજો ચલાવી રહી છે.છેલ્લા ત્રણ મહિનાથી વિદ્યાર્થીઓ અને વાલીઓની અનેક રજૂઆતો અમારા સમક્ષ આવી છે.આ સંસ્થાઓ 12 પાસ વિદ્યાર્થીઓને ગામડેથી સારી સારી લોભામણી જાહેરાતો કરીનેઓરિજિનલ ડોક્યુમેન્ટ ઉઘરાવતી હોય છે.

એડમીશન આપવાના નામે ત્રણ વર્ષ માટે બે થી અઢી લાખની ફી પણ ઉઘરાવે છે.જોકે પોતાના  પ્રેક્ટિકલ માટેના સાધનો કે લેબ કે કોઈ કોચિંગ માટેના ક્લાસ ચાલતા ન હોવા છતાભણાવતા ન હોવા છતાંવર્ષ થાય એટલે પરીક્ષા આપવા માટે રાજ્ય બહારના કર્ણાટક રાજ્યમાં બેંગ્લોર ખાતેની યુનિવર્સીટીઓમાં પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓને અહીંથી લઇ જવામાં આવે છે.જેની પણ ફી વસુલવામાં આવે છે.ચૈતર વસાવાએ આ ઉપરાંત અન્ય ગેરરીતિના આક્ષેપો પણ નર્સિંગ કોલોજે પર કર્યા છે,અને દિન સાતમાં રાજ્ય સરકાર દ્વારા જરૂરી પગલા લેવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી તેઓએ ઉચ્ચારી હતી.

Read the Next Article

ગુજરાત સરકારે કરી મોટી જાહેરાત, 6.42 લાખથી વધુ સરકારી અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનર્સને ₹10 લાખ સુધીની કેશલેસ સારવારનો મળશે લાભ

નવરાત્રિના પ્રથમ નોરતે ગુજરાત સરકારે રાજ્યના નાગરિકોને આરોગ્યની મોટી ભેટ આપી છે. 'પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના' (PMJAY)ના 7 વર્ષ પૂર્ણ થવાના અવસરે, 'ગુજરાત કર્મયોગી

New Update
content_image_0a7120b7-9ca1-401c-8c9e-3a7c85534313

નવરાત્રિના પ્રથમ નોરતે ગુજરાત સરકારે રાજ્યના નાગરિકોને આરોગ્યની મોટી ભેટ આપી છે. 'પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના' (PMJAY)ના 7 વર્ષ પૂર્ણ થવાના અવસરે, 'ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના'નો શુભારંભ કરવામાં આવ્યો છે. આ નવી યોજના હેઠળ, રાજ્યના 6.42 લાખથી વધુ સરકારી અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનર્સને ₹10 લાખ સુધીની કેશલેસ સારવારનો લાભ મળશે. આ ઉપરાંત, રાજ્યના આરોગ્ય માળખાને વધુ મજબૂત કરવા માટે 94 નવી 108 એમ્બ્યુલન્સને પણ સેવામાં સામેલ કરવામાં આવી છે, જેથી હવે રાજ્યમાં કુલ 1549 એમ્બ્યુલન્સ નાગરિકોની સેવા માટે ઉપલબ્ધ છે.

ગુજરાતમાં PMJAY યોજનાને 7 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે બે મોટી જાહેરાતો કરી છે. આ પહેલથી રાજ્યના આરોગ્ય ક્ષેત્રને વધુ વેગ મળશે.

'ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના' હેઠળ રાજ્યના 6.42 લાખ અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનર્સને આરોગ્ય સુરક્ષા કવચ મળશે. આ યોજનાથી તેમને ₹10 લાખ સુધીની કેશલેસ સારવારનો લાભ મળશે. સરકાર આ યોજના પાછળ વાર્ષિક ₹303.5 કરોડનો ખર્ચ કરશે.

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, 2018 થી 2025 સુધીમાં PMJAY યોજના હેઠળ 2.92 લાખ લાભાર્થીઓ પાસે આયુષ્માન કાર્ડ પહોંચ્યા છે. આ યોજના હેઠળ કુલ 51.27 લાખ દાવાઓ માટે ₹13,946.53 કરોડની ક્લેઇમ ચૂકવણી કરવામાં આવી છે. હાલમાં, રાજ્યમાં 2,708 હોસ્પિટલો (943 ખાનગી અને 1,765 સરકારી) આ યોજના સાથે જોડાયેલી છે, જ્યાં 2,471 વિવિધ પ્રોસિઝરનો લાભ ઉપલબ્ધ છે.

આરોગ્યમંત્રીએ 108 સેવા વિશે વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે:

  • રોજની સેવા: દરરોજ સરેરાશ 4,300 થી 4,500 જેટલા દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવે છે.
  • પ્રતિસાદ: 108 પર આવતા 99% કોલનો પ્રથમ બે રિંગમાં જ જવાબ આપવામાં આવે છે, જે આંતરરાષ્ટ્રીય ધોરણ કરતાં પણ વધુ છે.
  • બચાવેલ જીવ: અત્યાર સુધીમાં 1.77 કરોડથી વધુ નાગરિકોને સેવા આપવામાં આવી છે અને 17 લાખથી વધુ કટોકટીની પરિસ્થિતિમાં મૂકાયેલી જિંદગીઓને બચાવવામાં આવી છે.
  • પ્રસૂતિ સહાય: 108 એમ્બ્યુલન્સ સ્ટાફ દ્વારા 58.70 લાખથી વધુ સગર્ભા માતાઓને મદદ કરવામાં આવી છે, અને 1.52 લાખથી વધુ પ્રસૂતિઓ સ્થળ પર જ કરાવવામાં આવી છે.
  • એર અને બોટ એમ્બ્યુલન્સ: ભારતમાં પ્રથમ વખત ગુજરાત સરકારે એર એમ્બ્યુલન્સ સેવા પણ શરૂ કરી છે, જેના દ્વારા અત્યાર સુધીમાં 72 ઓર્ગન અને ગંભીર દર્દીઓનું પરિવહન કરવામાં આવ્યું છે. ઉપરાંત, પોરબંદર અને ઓખા ખાતે 108 બોટ એમ્બ્યુલન્સ સેવા પણ ઉપલબ્ધ છે.