Connect Gujarat
ગુજરાત

GPSCના નવા ચેરમેન પદે નલિન ઉપાધ્યાયને ચાર્જ સોંપાયો, દિનેશ દાસાની નિવૃત્તિ બાદ લેવાયો નિર્ણય...

GPSCના ચેરમેન પદેથી દિનેશ દાસાની નિવૃત્તિ બાદ ખાલી જગ્યાનો હવાલો GPSCના સભ્ય નલિન ઉપાધ્યાયને સોંપવામાં આવ્યો છે.

GPSCના નવા ચેરમેન પદે નલિન ઉપાધ્યાયને ચાર્જ સોંપાયો, દિનેશ દાસાની નિવૃત્તિ બાદ લેવાયો નિર્ણય...
X

રાજ્યમાં GPSCની નિમણૂંકને લઇને સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. GPSCના ચેરમેન પદેથી દિનેશ દાસાની નિવૃત્તિ બાદ ખાલી જગ્યાનો હવાલો GPSCના સભ્ય નલિન ઉપાધ્યાયને સોંપવામાં આવ્યો છે.

અત્રે નોંધનીય છે કે, દિનેશ દાસાની નિવૃત્તિ બાદ આ પદ ખાલી હતું. આથી, હાલ પૂરતો આ ખાલી જગ્યાનો હવાલો નલિન ઉપાધ્યાયને સોંપવામાં આવ્યો છે. જેથી નલિન ઉપાધ્યાયને આજથી જ ચાર્જ સોંપી દેવાયો છે. અત્યાર સુધી નલિન ઉપાધ્યાય GPSCના સભ્ય હતા. આ જ વર્ષે એપ્રિલ મહિનામાં GPSCમાં મહત્વની નિમણૂંક કરવામાં આવી હતી. જેમાં નલિન ઉપાધ્યાય, આશા શાહ, અશોક ભાવસાર અને સુરેશ ચંદ્ર પટેલને સભ્ય તરીકે નિમણૂંક અપાઈ હતી. જોકે, ઘણા લાંબા સમયથી GPSCમાં આ જગ્યાઓ ખાલી પડી હતી. જોકે, બાદમાં ચેરમેન પદે પણ દિનેશ દાસા નિવૃત્ત થયા બાદ આ પદ પણ ખાલી હતું. જેથી આજથી નલિન ઉપાધ્યાયને GPSCના નવા ચેરમેન તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

Next Story