Connect Gujarat
ગુજરાત

નીતિ આયોગનો રિપોર્ટ:ગુજરાતમાં 18 ટકા લોકો હજુ પણ ગરીબી રેખા નીચે, ડાંગ જીલ્લામાં સૌથી વધુ ગરીબી

નીતિ આયોગ દ્વારા દેશમાં ગરીબીને લઈને રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો. જેમાં ગુજરાતમાં 18 ટકા લોકો હજુ પણ ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે.

નીતિ આયોગનો રિપોર્ટ:ગુજરાતમાં 18 ટકા લોકો હજુ પણ ગરીબી રેખા નીચે, ડાંગ જીલ્લામાં સૌથી વધુ ગરીબી
X

નીતિ આયોગ દ્વારા દેશમાં ગરીબીને લઈને રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો. જેમાં ગુજરાતમાં 18 ટકા લોકો હજુ પણ ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે.જ્યારે સૌથી વધારે બિહારમાં કુલ 51.29 ટકા લોકો ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે.નીતિ આયોગ દ્વારા રાષ્ટ્રીય બહુ પરિમાણીય ગરીબી સૂચકઆંક જાહેર કરવામાં આવ્યો છે. જેમા ગુજરાત નો રિપોર્ટ ખરેખરમાં ચોંકાવનારો છે. નીતિ આયોગના મતે ગુજરાતમાં 18% લોકો હજુ પણ ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે. એટલે કે રાજ્યમાં કુલ 1.12 કોરોડ લોકો ગરીબીમાં પોતાનું જીવન કાઢી રહ્યા છે સર્વે પ્રમાણે જોવા જઈએ તો ગુજરાતમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, અને જમ્મુ કાશ્મીર કરતા પણ વધારે ગરીબીનું પ્રમાણ છે. જેમા ડાંગ, દાહોદ, પંચમહાલ અને નર્મદા જિલ્લામાં સૌથી વધુ ગરીબી છે.ગુજરાત અમદાવાદ જિલ્લામાં ગરીબીનું પ્રમાણ સૌથી ઓછું છે જરાતમાં 2.11 કરોડો લોકોને ત્યા તો રસોઈ માટે ઈંધણ કે લાકડા પણ નથી સાથે જ સાંભળીને આપણને નવાઈ લાગશે કે ગુજરાતના 1.56 કરોજ લોકો પાસે શૌચાલય પણ નથી. ઉપરાંત 32.60 લાખ લોકોને પીવાના પાણી માટે પણ રઝળવું પડે છે.2.49 કરોડ પરિવાર એવા છે જેમને પોષણક્ષમ ખોરાક નથી મળતો છેલ્લા 5 વર્ષની જો વાત કરવામાં આવે તો 2.21 ટકા લોકો એવા હતા તેમના મૃત્યુ 18 વર્ષથી ઓછી ઉંમરે થયા હતા. ઉપરાંત 31.39 લાખ લોકો એવા છે એક વાર પણ શાળાએ પણ નથી ગયા

Next Story