સાબરકાંઠા : તલોદના મહિયલ-વકતાપુર રોડ પરથી બિનવારસી બાળક મળ્યું, વાંચો કોણે લીધી સાર સંભાળની દરકાર.

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના મહિયલ-વકતાપુર રોડ પરથી બિનવારસી બાળક મળી ચકચાર મચી જવા પામી છે.

New Update

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના મહિયલ-વકતાપુર રોડ પરથી બિનવારસી બાળક મળી ચકચાર મચી જવા પામી છે. બનાવના પગલે તલોદ તાલુકા સહિત આસપાસના લોકોએ નિષ્ઠુર જનેતા વિરુદ્ધ ફિટકાર વરસાવ્યો હતો. મળતી માહિતી અનુસાર, તલોદ તાલુકાના મહિયલ-વકતાપુર રોડ પરથી બિનવારસી બાળક મળી આવ્યું હતું, ત્યારે બાળકને સારવાર અર્થે તલોદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું.

Advertisment

બનાવની વાત કરીએ તો, અરવિંદસિંહ ચૌહાણ તથા રણજીતસિંહ ઝાલાએ તલોદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભગવતસિંહ ઝાલાને ફોન કરી આ મામલાની જાણ કરી હતી, ત્યારે ભગવતસિંહ ઝાલાએ સ્થળ પર જઈ આ બાળકને તાત્કાલિક તલોદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યું હતું. આ ઉપરાંત જ્યાં સુધી બાળકના વાલી વારસાની જાણ નહીં થાય ત્યાં સુધી બાળકની સાર સંભાળ તેમના પરિવાર વતી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. જોકે, નિષ્ઠુર જનેતા વિરુદ્ધ તાલુકા સહિતના લોકોએ ફિટકાર વરસાવ્યો હતો.

Advertisment
Read the Next Article

અંકલેશ્વર: કમોસમી વરસાદ સાથે પ્રદૂષણના દ્રશ્યો સામે આવ્યા, રાસાયણિક પાણી ખાડીમાં વહ્યું !

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સી પમ્પીંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓવરફલો થતા રાસાયણિક પાણી અમરાવતી નદી અને છાપરા ખાડીમાં વહી ગયું જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા

New Update
  • અંકલેશ્વરમાં કમોસમી વરસાદ

  • કમોસમી વરસાદ સાથે પ્રદૂષણના દ્રશ્યો

  • પ્રદુષિત પાણી ઓવરફ્લો થયું

  • લાખો લીટર પાણી ખાડીમાં વહ્યું

  • જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા

Advertisment
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સી પમ્પીંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓવરફલો થતા રાસાયણિક પાણી અમરાવતી નદી અને છાપરા ખાડીમાં વહી ગયું હતું. હજુ ચોમાસુ બેઠું નથી એ પૂર્વે જ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વરસાદી પાણી સાથે રાસાયણિક પાણી વિપુલ માત્રામાં વહી ગયું હતું.10 દિવસમાં બીજી વાર પડેલા માવઠામાં પ્રથમ માવઠામાં અમરાવતી નદીમાં માછલાંના મોત થયા હતા અને હવે બીજા માવઠામાં જળ સંપદા અને જમીન સંપદાને વ્યાપક નુકશાન થવાના દ્રશ્યો સામે આવ્યા છે.
ખાસ કરીને સી પમ્પીંગ સ્ટેશન પાસે નોટીફાઈડ વિભાગ દ્વારા બનાવેલ પાળો અને તેની નજીક મુકેલ ગેટ પર ઓવરફ્લો થઇને ઔદ્યોગિક વસાહતનું રાસાયણિક પાણી ખાડીમાં ધોધ સ્વરૂપે વહી રહ્યું હતું.આ અંગે જીવદયા પ્રેમીઓ જીપીસીબીને જાણ કરતા અધિકારીઓએ ત્વરિત અસરથી સ્થળ પર દોડી આવ્યા હતા અને સેમ્પલ લીધા હતા તેમજ નોટીફાઈડ વિભાગના અધિકારીઓ અને ઉદ્યોગ મંડળને પ્રિ મોન્સૂન કામગીરી અંતર્ગત પાળો ઉંચો કરવા તાકીદ કરવામાં આવી હતી. 
Advertisment