સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સિવિલ હોસ્પિટલના પહેલા માળેથી દર્દીએ મોતની છલાંગ લગાવી આત્મહત્યા કરી લીધી હતી, ત્યારે બનાવના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.
રાજ્યમાં આત્મહત્યાના બનાવોમાં સતત નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. હિંમતનગર શહેરમાં ૯ વર્ષીય શ્રમિક પરિવારની બાળકીની આત્મહત્યાની ઘટનાની શાહી સુકાઈ નથી, ત્યારે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં એક દર્દીએ પહેલા માળેથી ઝંપલાવી આત્મહયા કરી લેતા ભારે ચકચાર મચી હતી. દર્દીએ આત્મહત્યા કરી લેતા સિવિલ હોસ્પિટલમાં ભારે દોડધામ મચી હતી. સિવિલ હોસ્પિટલમાં દર્દીએ આત્મહત્યા કરી લેતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. હિંમતનગર સિવિલ હોસ્પિટલના પ્રથમ માળેથી એક દર્દીએ મોતની છલાંગ લગાવી દીધી હતી. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં પેટના દુખાવાની ફરિયાદ સાથે દાખલ થયેલા પ્રાંતિજના ગ્રામ્ય વિસ્તારના ચંપકસિંહ ભાથીસિંહ રાઠોડ નામના દર્દીએ પ્રથમ માળે આવેલ કાચની બારીમાંથી ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. હાલ તો દર્દીએ કેમ આત્મહત્યા કરી લીધી તેનું કોઈ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. સિવિલ હોસ્પિટલમાં આત્મહત્યાની ઘટના બનતા હિંમતનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.