રાજ્યમાં શનિ-રવિ વરસાદની આગાહી, જાણો ક્યા વિસ્તારમાં ભારે વરસાદ પડશે

New Update

રાજ્યમાં બે દિવસ અમુક વિસ્તારોમાં પડી શકે છે વરસાદ. આ આગાહી કરી છે હવામાન વિભાગે. હવામાન વિભાગના મતે સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસર હેઠળ બે દિવસ રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં વલસાડ સહિતના જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. તો અમદાવાદમાં પણ છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. બે દિવસ બાદ સૌરાષ્ટ્ર સહિતના રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે.

Advertisment W3.CSS

તો આ તરફ આગાહી વચ્ચે જ અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ નોંધાયો છે. શામળાજી, ભિલોડા, ઈસરોલ સહિતના વિસ્તારોમાં વરસાદ નોધાયો છે. તો મોડાસાના પણ આસપાસના ગામોમાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. કારણે વરસાદના કારણે પાકને મગફળી, સોયાબીન સહિતના પાકને ફાયદો થશે.

સૌરાષ્ટ્રના તમામ તાલુકાઓમાં વરસાદ ખેંચાયો છે. જેને લઈને ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે. એબીપી અસ્મિતાની ટીમ માળીયા હાટીના તાલુકાના ભંડુરી ગામમાં પહોંચી હતી. જ્યા એક મહિનાથી વરસાદ ખેંચતા ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો છે. ખેડૂતોએ પોતાની વ્યથા જણાવતા કહ્યું કે, મગફળીમાં હાલમાં સૂયા બેસવાનું ચાલુ થયું છે. ત્યારે જ વરસાદ ખેંચાતા પાક સુકાઈ તેવી સ્થિતિ ઉભી થઈ છે. મહત્વનું છે કે જુનાગઢ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ ખેંચાયો છે.