"સાત પગલા ખેડૂત કલ્યાણના" થકી ખેડૂતોની આવક બમણી થશે : ગૃહ રાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજા
સાબરકાંઠા જિલ્લાના રામપુરા ખાતે ગુજરાતના ગૃહ અને ઉર્જા રાજયમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં કિસાન સન્માન દિવસની ઉજવણી કરવામાં આવી હતી

સાબરકાંઠા જિલ્લાના રામપુરા ખાતે ગુજરાતના ગૃહ અને ઉર્જા રાજયમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં કિસાન સન્માન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ૨૧ ખેડૂતોને વિવિધ નિમણૂકપત્રો અને કિસાન સૂર્યોધ્ય યોજનામાં ૧૫૦૦થી વધુ ગામોને રાત્રીને બદલે હવે દિવસે વિજળી મળતી થશે. જેના પરિણામે ખેડૂતોના રાતના ઉજાગરા બંધ થશે અને જંગલી જાનવરોના હુમલા સામે રક્ષણ મળશે તેવું જણાવ્યુ હતું.
ગુજરાતના ગૃહ અને ઉર્જા રાજયમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ સાબરકાંઠા જિલ્લા ખાતે કિસાન સન્માન દિવસે ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે, પાંચ વર્ષમાં આપણી સરકારે સૌના સાથ સૌનો વિકાસથી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતીન પટેલના નેતૃત્વવાળી આ સરકારે ગુજરાતની ૬.૫ કરોડ જનતાને કરેલા સેવાયજ્ઞ કાર્યોની ઝાંખી સાથે હિસાબ આપવા રાજયના દરેક જિલ્લાઓમા તા. ૧લી ઓગસ્ટેથી ૯મી ઓગસ્ટ સુધી જુદા જુદા દિવસોની જાણકારી આપવા માટે વિવિધ થીમ આધારિત કાર્યક્રમોનુ આયોજન કર્યુ છે. જનતાને જાગૃત કરવાની સાથે લોકોનું જીવન યોજનાઓ થકી કલ્યાણકારી વધું કેવી રીતે બને અને વ્યથાને વ્યવસ્થામાં કઇ રીતે પરિવર્તન કરી શકાય તેને પ્રાધાન્ય આપ્યુ છે . ખેડૂતોનું કલ્યાણ અને તેમની આવક બમણી કરવાના તેવા ઉમદા હેતુંસર રાજય સરકારે સાત પગલા ખેડૂત કલ્યાણના યોજના અમલમાં મૂકી છે. ગુજરાતનો ખેડૂત લાચાર ન બને તે માટે કેન્દ્રની સરકારે તથા રાજયની સરકારે ૩૭૦૦ કરોડનું પેકેજ આપીને સરકારે ખેડૂતો પ્રત્યે સંવેદના પ્રગટ કરી છે. આપણા દેશના વડપ્રધાન શ્રીનેરન્દ્રભાઇ મોદી કહેછે કે ગુજરાત મારો આત્મા છે. અને ભારત મારો પરમાત્મા છે. ભૂતકાળની સરકારમાં કૃષિ વિકાસ દર ખૂબ નીચો રહયો હતો આપણી સરકારે કૃષિ વિકાસ દર ડબલ ડીજીટમાં ૧૦% સુધી પહોચાડયો છે. ખેડૂતોને જીરો ટકાએ વ્યાજલોન અને ગુજરાતની સુકી ધરતીમાં સુવલામ સુફલામ, નર્મદાના નીર પહોંચાડીને કચ્છની ધરાને પણ નવ પલ્લવિત કરીને બાગાયત ફળ શાકભાજી અને મુલ્યવર્ધિત અનાજ ઉગાડતા કાર્ય છે. કિસાનોને દિવસે વિજળી તથા જ્યોતિગ્રામ યોજના થકી થ્રી ફેઝ ૨૪ કલાક વીજળી પુરી પાડી છે. ખેડૂતોની જમીન ભૂ-માફિયાઓ પડાવી ન લે તે માટે લેન્ડ ગ્રેબિંગ એકટ અમલમાં મૂકીને તેમને રક્ષણ પુરૂ પાડયું છે ગૌહત્યા, લવજેહાદ જેવા કાયદાઓની કડક અમલવારી શરુ કરીને શાંતિ સલામતી અને સુરક્ષા ગુજરાતની જનતાને પુરી પાડી છે.
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે કે, વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરાશે. આ સંદર્ભમાં રાજયના મુખ્યમંત્ર અને કૃષિમંત્રીએ ખેડૂતોના કલ્યાણ માટે વાવેતરથી વેચાણ સુધીની વ્યવસ્થા વિકસાવી છે. અને ખેડૂતોના કલ્યાણ માટે સાત પગલા ખેડૂત કલ્યાણના અમલી કર્યો છે. ખેડૂત પાક ઉત્પાદન કરે પછી માલસંગ્રહ માટે ગોડાઉનની વ્યવસ્થા અને ઉત્પાદન કરેલો માલ માર્કેટ સુધી પહોંચાડવા માટે કિસાન પરિવહન યોજના અમલમાં મૂકી છે. સાથે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા ઓર્ગેનિક ખેતી અને ગૌ-માતાને પ્રોત્સાહન માટે દેશી ગાયના નિભાવણી માટેની દર મહિને રૂપિયા એક હજારની સહાયથી ખેડૂતોને મળશે. સાથે ફુલ શાકભાજી વેચતા ખેડૂતોને છત્રી, અને કૃષિકિટ ખાતર, બિયારણ, કાંટાળા તારની વાડની સહાય, આમ નાના ખુડૂતોની મુશ્કેલી સમજીને નિરાકરણ કરવા માટે અનેક પગલા ભર્યા છે. સાથે સાથે ખેડૂતોને ટેકાના વ્યાજબી ભાવો મળી રહે તે માટે ઉત્પાદીત અનાજની માર્કેટમાં ખરીદી કરીને તેને યોગ્ય ભાવો આ સરકારે આપ્યા છે. ખેડૂતોને તેની મહેનતનું પુરે પુરૂ વળતર મળે, પાક વિમા યોજના જેવા લાભો આપ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં ૨૨ લાખ ૧૯ હજાર કરોડની ખરીદી કરી છે. અને ખેડૂતોના ૪૧ લાખ મેટ્રીકટટન અનાજની ખરીદી કરી છે.
આ પ્રસંગે હિંમતનગર ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ પ્રાસંગિક પ્રવચનમાં રાજય સરકારની વિવિધ યોજનઓની સિધ્ધિઓ તથા કિસાન સૂર્યોદય યોજનાથી ૧૯ ગામોને લાભ થવાનો છે. ગુજરાતમાં રોડ રસ્તા, પશુપાલન ખેતીની યોજના થકી ખેડૂતોની આવક બમણી થશે. તેવો મને વિશ્વાસ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારની પુરી ટીમ લોકકલ્યાણ અને સેવા યજ્ઞના કાર્યોમાં નવ દિવસ સુધી ભગિરથ કાર્ય ઉપાડયું છે તેની સરાહના કરી હતી. આ પ્રસંગે ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજાનું જિલ્લા કલેકટર હિતેષ કોયા દ્વારા તથા સંગઠનના પદાધિકારીઓ દ્વારા ઉષ્માભર્યુ સ્વાગત કરાવ્યું હતું. ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું, જયારે યુ.જી.વી.સી.એલ શ્રોફ દ્વારા કાર્યક્રમની રૂપરેખા આપી સૌને આવકાર્યા હતા. આ પ્રસંગે ઇડરના ધારાસભ્ય હિતુ કનોડીયા, સાબરકાંઠાના સંગઠન પ્રમુખ જે.ડી.પટેલ સંગઠનના ઉપાધ્યાક્ષ કૌશલ્યા કુંવરબા, સંગઠનના પ્રભારી ભરત આર્ય, રેખા ચૌધરી, સહકારી અગ્રણી, તાલુકા પંચાયતના પ્રમુખ તથા જિલ્લા વિકાસ અધિકારી, ઉત્તર ગુજરાતના સયુંકત નિયામક, યુ.જી.વી.એલના શ્રોફ શાહ જેટકોના અધિકારી સહિત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ: પુત્ર CAની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને પાસ થતા રાઠી પરિવારે...
15 Aug 2022 12:05 PM GMTભરૂચ: દેશના સૌથી મોટા ડ્રગ્સ કૌભાંડનો ખુલાસો,પાનોલીની કંપનીમાંથી...
16 Aug 2022 1:51 PM GMTઅંકલેશ્વર : ઓરિસ્સાના 4 યુવાનો ટ્રાવેલ બેગમાં ગાંજાના મોટા જથ્થા સાથે...
10 Aug 2022 10:54 AM GMTઆઝાદીના અમૃતકાળના પર્વ પર અંકલેશ્વરની આ હોટલમાં આપને મળશે માત્ર 75...
11 Aug 2022 12:40 PM GMTસુરેન્દ્રનગર : દસાડામાં ફુઆ ભત્રીજીનો સજોડે આપઘાત, પ્રેમી પંખીડાએ ઝાડ...
13 Aug 2022 4:45 PM GMT
રાજ્યમાં આજે કોરોનાના 425 નવા કેસ નોધાયા, એક દર્દીનુ થયું મોત
16 Aug 2022 4:04 PM GMTસુરત : બત્રીસ ગંગા ખાડી ઉભરાતા બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું, પાણીમાં...
16 Aug 2022 2:35 PM GMTભરૂચ: દેશના સૌથી મોટા ડ્રગ્સ કૌભાંડનો ખુલાસો,પાનોલીની કંપનીમાંથી...
16 Aug 2022 1:51 PM GMTકચ્છ : દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત, કેન્દ્ર અને...
16 Aug 2022 1:36 PM GMTવડોદરા : સાવલી નજીકથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાય, ગુજરાત ATSએ કરોડો...
16 Aug 2022 12:29 PM GMT