Connect Gujarat
ગુજરાત

ગુજરાતની શાળાઓમાં ભણાવવામાં આવશે શ્રીમદ્ ભગવદ્ ગીતા, ધોરણ 6 થી 12 સુધીના અભ્યાસક્રમ સામેલ થશે

શ્રીમદ્ ભગવદ્ ગીતાને ગુજરાતની શાળાઓમાં ધોરણ 6 થી 12 ના અભ્યાસક્રમનો ભાગ બનાવવામાં આવશે.

ગુજરાતની શાળાઓમાં ભણાવવામાં આવશે શ્રીમદ્ ભગવદ્ ગીતા, ધોરણ 6 થી 12 સુધીના અભ્યાસક્રમ સામેલ થશે
X

શ્રીમદ્ ભગવદ્ ગીતાને ગુજરાતની શાળાઓમાં ધોરણ 6 થી 12 ના અભ્યાસક્રમનો ભાગ બનાવવામાં આવશે. ગુજરાત સરકારે ગુરુવારે જાહેર કરેલી નવી શિક્ષણ નીતિમાં આની જાહેરાત કરવામાં આવી છે. નવી શિક્ષણ નીતિ હેઠળ હવે રાજ્યની તમામ શાળાઓમાં ધોરણ 6 થી 12 સુધીના બાળકોને ભગવદ્ ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો શીખવવામાં આવશે.

સરકાર દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે શાળાના બાળકોને ગીતા અને તેના મૂલ્યોનું જ્ઞાન જાણવા માટે સક્ષમ બનાવવા માટે વકતૃત્વ સ્પર્ધા, શ્લોક અને ગીતા પર સાહિત્યનું પણ આયોજન કરવામાં આવશે. ગુજરાત સરકારે એવા સમયે શાળાઓમાં ભગવદ ગીતા ભણાવવાની જાહેરાત કરી છે જ્યારે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે.

Next Story