Connect Gujarat
ગુજરાત

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર ઇકોનોમિક કોરિડોર સાચોર-સાંતલપુરનું સ્થળ નિરીક્ષણ કર્યું...

ભારતમાલા પ્રોજેક્ટનો ઉદેશ દેશના ઉત્તર ક્ષેત્રના રાજ્યો-પ્રદેશોની પૂર્વ ક્ષેત્રના વિસ્તારો સાથે કનેક્ટીવીટી વધારવાનો છે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર ઇકોનોમિક કોરિડોર સાચોર-સાંતલપુરનું સ્થળ નિરીક્ષણ કર્યું...
X

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભારત સરકારની ભારતમાલા પરિયોજના અંતર્ગત રાજસ્થાનના સાંચોરથી ગુજરાતના પાટણ જિલ્લાના સાંતલપૂર માર્ગના ૬ લેન રૂપાંતરણ કામગીરીની નિરીક્ષણ મુલાકાત બનાસકાંઠાના થરાદ ખાતે લીધી હતી. કેન્દ્ર સરકારે સડક પરિવહન મંત્રાલય દ્વારા ભારતમાલા પરિયોજના અન્વયે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડીયા અંદાજે ૧રપ કિ.મીની લંબાઇનો આ માર્ગ ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ વે તરીકે ૬ લેન રોડ દ્વારા નિર્માણ કરી રહી છે.

અમૃતસર-જામનગર વચ્ચે આશરે ૧રપ૬ કિ.મીટરનો ઇકોનોમીક કોરિડોર નિર્માણ થવાનો છે. આ સાંચોર-સાંતલપૂર વચ્ચેનો ૧૨૫ કિ.મી માર્ગ તે ઇકોનોમીક કોરિડોરના એક મહત્વપૂર્ણ ભાગ તરીકે ૪ પેકેજમાં કુલ રૂ. ર૦૩૦.૪૪ કરોડના ખર્ચે વિકસાવવામાં આવી રહ્યો છે. પ્રત્યેક પેકેજમાં ૩૦ કિ.મી નો માર્ગ અંદાજે પ૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ૬ લેન તરીકે કાર્યરત કરવાની કામગીરી નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા તબક્કાવાર હાથ ધરીને ર૦ર૩ સુધીમાં પૂર્ણ થવાનો અંદાજ રાખવામાં આવેલ છે.

ભારતમાલા પ્રોજેક્ટનો ઉદેશ દેશના ઉત્તર ક્ષેત્રના રાજ્યો-પ્રદેશોની પૂર્વ ક્ષેત્રના વિસ્તારો સાથે કનેક્ટીવીટી વધારવાનો છે. એટલું જ નહીં, જામનગર, કંડલા અને મૂંદ્રા જેવા પોર્ટસ પરથી ઉત્તર ક્ષેત્રના રાજ્યો-પ્રદેશોને વિવિધ ઉત્પાદનોની આયાત-નિકાસની વૈશ્વિક સુવિધા પણ આ પ્રોજેક્ટથી આપવાની નેમ રાખવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે થરાદ નજીક ૬ લેન માર્ગ નિર્માણ સાઇટની મુલાકાત બનાસકાંઠાના પ્રભારી મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર, સાંસદ પરબત પટેલ, પ્રદેશ મહામંત્રી અને પૂર્વ મંત્રી રજની પટેલ તથા બનાસકાંઠા જિલ્લા વહિવટી તંત્ર અને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા વરિષ્ઠ અધિકારીઓને સાથે રાખીને લીધી હતી અને વિગતો મેળવી હતી.

Next Story