Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં કોરોના વાયરસના નવા 6679 કેસ નોંધાયા, 35 દર્દીઓના થયા મોત

રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 6679 પોઝિટિવ કેસ નોંધાયા,અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10473 લોકોના મોત થયા

રાજ્યમાં કોરોના વાયરસના નવા 6679 કેસ નોંધાયા, 35 દર્દીઓના થયા મોત
X

રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 6679 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 83793 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 265 લોકો વેન્ટીલેટર પર છે. 83528 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1066393 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10473 લોકોના મોત થયા છે.

બીજી તરફ આજે 14171 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 91.88 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 35 મોત થયા. આજે 2,46,397 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં આજે નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 2350, વડોદરા કોર્પોરેશનમાં 809, રાજકોટ કોર્પોરેશનમાં 602, ગાંધીનગર કોર્પોરેશનમાં 288, સુરત કોર્પોરેશનમાં 277, વડોદરા 236, કચ્છ 211, રાજકોટ 175, પાટણ 146, મહેસાણા 144, સુરત 141, મોરબી 135, જામનગર કોર્પોરેશન 113, ગાંધીનગર 104, બનાસકાંઠા 96, નવસારી 89, ભરુચ 79, ભાવનગર કોર્પોરેશનમાં 76, ખેડા 72, વલસાડ 65, પંચમહાલ 58, અમદાવાદ 49, અમરેલી 45, આણંદ 44, દાહોદ 33, ગીર સોમનાથ 30, સાબરકાંઠા 29, જૂનાગઢ કોર્પોરેશન 26, તાપી 26, સુરેન્દ્રનગર 22, જામનગર 21, જૂનાગઢ 21,નર્મદા 16, છોટા ઉદેપુર 15, મહીસાગર 9, ભાવનગર 8, પોરબંદર 8, બોટાદ 6, દેવભૂમિ દ્વારકા 3, અરવલ્લીમાં 2 કેસ નોંધાયા છે.

આજે કોરોનાના કારણે 35 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 6, વડોદરા કોર્પોરેશનમાં 3, રાજકોટ કોર્પોરેશનમાં 2, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, સુરત કોર્પોરેશન 2, વડોદરા 1, રાજકોટ 1, મહેસાણા 1, સુરત 5, જામનગર કોર્પોરેશન 1, ભાવનગર કોર્પોરેશન 2, વલસાડ 1, પંચમહાલ 2, અમરેલી 1, ભાવનગર 3, પોરબંદર 1, બોટાદ 1 અને દેવભૂમિ દ્વારકામાં 1 દર્દીનું કોરોનાથી મોત થયું છે.

Next Story