ત્રીજી લહેરની શરૂઆત ! દેશના આ શહેરમાં 5 દિવસમાં 242 બાળકો કોરોના સંક્રમિત

New Update

રાજ્ય સરકાર દ્વારા આંકડામાં જણાવાયું કે રાજધાની બેંગ્લુરમાં છેલ્લા પાંચ દિવસમાં ઓછામાં ઓછા 242 બાળકો કોરોના પોઝિટીવ નીકળ્યાં છે. સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ ચેતવણી આપી કે આગામી સમયમાં કોરોનાના કેસોની સંખ્યા હજુ પણ વધી શકે છે

. કોરોનાની બીજી લહેર દરમિયાન નિષ્ણાંતો આશંકા વ્યક્ત કરી રહ્યાં છે કે ત્રીજી લહેર બાળકોને સૌથી વધારે પ્રભાવિત કરી શકે છે. બેંગ્લુરુ મહાનગર પાલિકાએ જણાવ્યું કે છેલ્લા પાંચ દિવસમાં 19 વર્ષના ઓછામાં ઓછા 242 બાળકોનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. નિષ્ણાંતોએ જણાવ્યું કે કદાચ ત્રીજી લહેરની શરુઆત થઈ ગઈ છે. આંકડામાં જણાવ્યાનુસાર તેમાં 106 બાળકોની ઉંમર 9 વર્ષથી ઓછી, 136 બાળકો 9 અને 19 વર્ષની વચ્ચેના છે.

રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના 1338 નવા કેસો નોંધાયા છે. આરોગ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે આગામી થોડા દિવસોમાં કોરોનાના કેસો ત્રણ ગણા વધી જશે અને આ મોટો ખતરો છે. કર્ણાટક સરકારે આ જિલ્લામાં નાઈટ અને વીકેન્ડ કરફ્યુ લગાડી દીધો છે. તે ઉપરાંત કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્ર સરહદે પણ પ્રવેશની પાબંધી ફરમાવી દેવાઈ છે. ફક્ત આરટી-પીસીઆર સર્ટિફિકેટવાળા લોકોને જ અવરજવરની છૂટ આપવામાં આવી છે.

પંજાબમાં સ્કૂલો ખોલવાનું અવળું પરિણામ આવ્યું છે. લુધિયાણાની બે સ્કૂલોમાં 20 બાળકો કોરોના પોઝિટીવ નીકળ્યાં છે. લુધિયાણાના ડેપ્યુટી કમિશનર વીકે શર્માએ જણાવ્યું કે લુધિયાણામા સ્કૂલો ચાલી રહી છે. શહેરની બે વિદ્યાલયોમાં 20 બાળકોના કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યાં છે. કોરોનાગ્રસ્ત બાળકોને અલગ પાડી દેવાયા છે. જોકે તેમનામાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળ્યાં છે તેમની સારવાર ચાલી રહી છે. 

Read the Next Article

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન કરશે શરૂ, જુલાઈ 28 ના રોજ આણંદથી પ્રારંભ

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન શરૂ કરવાની તૈયારીમાં છે, જેનો પ્રારંભ જુલાઈ 28 ના રોજ આણંદથી થશે. આ આંદોલનમાં રાહુલ ગાંધી પણ જોડાઈ શકે છે.

New Update
Conn

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન શરૂ કરવાની તૈયારીમાં છે, જેનો પ્રારંભ જુલાઈ 28 ના રોજ આણંદથી થશે. આ આંદોલનમાં રાહુલ ગાંધી પણ જોડાઈ શકે છે.

કોંગ્રેસનો મુખ્ય હેતુ દૂધ ઉત્પાદકોને સબસિડી આપવાની માંગણી, દૂધ સંઘની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા લાગુ કરાતી મેન્ડેટ પ્રથાનો વિરોધ, અને "ઉજળા દૂધના કાળા કારોબાર" સામે અવાજ ઉઠાવવાનો છે. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપના નેતાઓ અને મિલ્ક માર્કેટિંગ ફેડરેશન મળીને દરરોજ સવા કરોડ લિટર દૂધ રાજ્ય બહારથી લાવી રહ્યા છે અને ડેરી ભરતીઓમાં ભ્રષ્ટાચાર થાય છે. આણંદના મહાસંમેલન બાદ મહેસાણા અને સાબરકાંઠામાં પણ આ આંદોલન વિસ્તરશે.

દૂધ સત્યાગ્રહના મુખ્ય એજન્ડા

કોંગ્રેસના આ "દૂધ સત્યાગ્રહ" આંદોલન પાછળ કેટલાક મુખ્ય મુદ્દાઓ છે, જે રાજ્યના દૂધ ઉત્પાદકો અને ડેરી ઉદ્યોગને સીધી અસર કરે છે:

  • દૂધ ઉત્પાદકોને સબસિડી:કોંગ્રેસે પોતાના આગામી ચૂંટણી ઢંઢેરામાં દૂધ ઉત્પાદકોને સબસિડી આપવાના મુદ્દાને પ્રાથમિકતા આપવાની જાહેરાત કરી છે. આ આંદોલન દ્વારા સરકાર પર દૂધ ઉત્પાદકોને આર્થિક સહાય પૂરી પાડવા માટે દબાણ લાવવામાં આવશે.
  • ભાજપની મેન્ડેટ પ્રથા સામે લડત:દૂધ સંઘોની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા લાગુ કરવામાં આવતી મેન્ડેટ પ્રથાનો કોંગ્રેસ સખત વિરોધ કરશે. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે ભાજપ જ્યાં પણ પોતાના મેન્ડેટ આપશે, ત્યાં કોંગ્રેસ તેના વિરુદ્ધ ઉમેદવારોની પેનલ ઉભી રાખીને લોકશાહી ઢબે લડત આપશે. ખાસ કરીને, અમૂલની આગામી ચૂંટણીઓમાં પણ કોંગ્રેસ મેન્ડેટથી પેનલ ઉભી રાખશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ પગલું દૂધ સંઘોમાં લોકશાહી પ્રક્રિયા અને સ્વતંત્રતા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે લેવાયું છે.