Connect Gujarat
ગુજરાત

દિલ્હી-જયપુર રોડ પર ગમખ્વાર અકસ્માત, ભાવનગરના 4 પોલીસ જવાન સહિત 5ના કરુણ મોત

રાજસ્થાનમાં દિલ્હી જયપુર રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જે અકસ્માતમાં ભાવનગરના 4 પોલીસ જવાનો સહિત 5 લોકોના કરૂણ મોત થયા છે.

દિલ્હી-જયપુર રોડ પર ગમખ્વાર અકસ્માત, ભાવનગરના 4 પોલીસ જવાન સહિત 5ના કરુણ મોત
X

રાજસ્થાનમાં દિલ્હી જયપુર રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જે અકસ્માતમાં ભાવનગરના 4 પોલીસ જવાનો સહિત 5 લોકોના કરૂણ મોત થયા છે. જેથી પોલીસ બેડામાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે.રાજસ્થાનમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જે અકસ્માત દિલ્હી-જયપુર રોડ પર સર્જાયો અને આ અકસ્માતમાં ભાવનગરના 4 પોલીસ સહિત કુલ 5 લોકોના કરૂણ મોત થયા છે. જેથી પોલીસ બેડામાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે.

ભાવનગર પોલીસ એક આરોપીને ભાવનગર લઈને આવી રહી હતી તે સમયે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં 1 હેડ કોન્સ્ટેબલ, 3 કોન્સ્ટેબલ અને એક આરોપીનું પણ મોત થયું છે. જેને પોલીસ દિલ્હીથી પરત લાવી રહી હતી. ઘરફોડ ચોરીના મામલે પોલીસ આરોપીને દિલ્હી પકડવા ગઈ હતી. જે સમયે આ અકસ્માત સર્જાયો છે. જેમાં કુલ 5 લોકોના મોત થયા છે. આ અકસ્માતને લઈને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત દ્વારા પણ ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી કે દિલ્હી થી ગુજરાત જઈ રહેલી કારનો અકસ્માત થતા તેમાં 4 પોલીસ કર્મીઓના સહિત 5 લોકોના મોત થયા છે. જે મામલે મને ઘણું દુઃખ થયું સાથે જ તેમણે મૃતકોના પરિવારને તેમની સંવેદના પાઠવી હતી.ઉલ્લેખનીય છે કે પોલીસ જવાનો આરોપીને પકડીને ગુજરાત લાવી રહ્યા હતા. તે સમયે આ અકસ્માત નડ્યો જેમા 4 પોલીસકર્મી સહિત 5 લોકોના મોત થયા છે. જે આરોપીને પોલીસ લાવી રહી હતી તે ઘરફોડ ચોરીનો આરોપી હોવાનું સામે આવ્યું છે. જોકે પોલીસ જવાનોના મોતને કારણે પોલીસ બેડામાં પણ શોકનો માહોલ ફેલાઈ ગયો છે.

Next Story