Connect Gujarat
ગુજરાત

વલસાડ : રૂ. 4.18 કરોડના ખર્ચે નવનિર્મિત એસટી ડેપોનું વાહન વ્યવહાર મંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું

ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસના મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે રૂ. ૪.૧૮ કરોડના ખર્ચે નવનિર્મિત વલસાડ એસટી બસ સ્ટેશનનું લોકાર્પણ કરાયું હતું.

વલસાડ : રૂ. 4.18 કરોડના ખર્ચે નવનિર્મિત એસટી ડેપોનું વાહન વ્યવહાર મંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું
X

ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસના મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે રૂ. ૪.૧૮ કરોડના ખર્ચે નવનિર્મિત વલસાડ એસટી બસ સ્ટેશનનું લોકાર્પણ કરાયું હતું.

વલસાડ ખાતે નવનિર્મિત એસટી બસ સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે મંત્રીએ જણાવ્યુ હતું કે, એશિયાની સૌથી મોટી વાપી જીઆઈડીસીમાં નોકરી કરતા કર્મચારીઓને આવવા જવામાં સરળતા રહે તે માટે 'કર્મયોગી રથ'ના ખાસ નામથી વિવિધ બસ ડેપોમાંથી વધારાના ૬ રૂટ ઉપર ૩૪ ટ્રીપની બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ કર્મયોગી રથના રૂટમાં હાલમાં પ્રાથમિક ધોરણે વલસાડ, ધરમપુર, વાપી, દમણ, ઉમરગામ, નારગોલ, ખેરગામ, બીલીમોરા અને ચીખલીનો સમાવેશ કરવામાં આવ્યો છે. બસનું માધ્યમ ગુજરાતમાં પરિવહન માટે ખૂબ મોટું અને મહત્વનું અંગ છે. એટલે જ સમગ્ર ભારતમાં એરપોર્ટ જેવી વિવિધ સુવિધાયુક્ત બસ ડેપોના ગુજરાતભરમાં નિર્માણ થયા છે. તેવી જ રીતે આ નવીન બસ ડેપો પણ અનેક સુવિધાથી લોકોની સેવા કરવા માટે સજ્જ છે. સરકારનું ધ્યેય દરેક તાલુકા કક્ષાએ તમામ સુવિધા ધરાવતા નવીન બસ ડેપોનું નિર્માણ અને ડેપોનું નવીનીકરણ કરવાનું છે જે કાર્ય પૂરઝડપે ચાલી રહ્યું છે. કર્મયોગી રથ શરૂ કરતાં કર્મચારીઓને નોકરી માટે આવન જાવનમાં સરળતા થશે. આ એક સિદ્ધિ જ છે કે સમગ્ર દેશમાં ગુજરાત જ એકમાત્ર એવું રાજ્ય છે કે, જે ચારેય કનેક્ટિવટી જેવી કે, હવાઈ, રેલવે, દરિયાઈ અને માર્ગની સુવિધા ધરાવે છે. ગરીબો માટે એસટી બસ સુવિધાનું એક સાધન છે જે સરકાર સેવાના કાર્ય તરીકે કરી રહી છે. તેથી જ ગુજરાતમાં એક દિવસમાં ૨૫ લાખ લોકો એસટી બસ સેવાનો લાભ લઈ મુસાફરી કરી રહ્યા છે. લોકોની સુવિધા વધારવા માટે જ વડોદરા મુંબઈ એકસપ્રેસ-વે નું કામ સમયસર થઈ રહ્યું છે, તેમજ બુલેટ ટ્રેનનું કામ પણ પૂરઝડપે ચાલી રહ્યું છે. નવીન બસ ડેપોના ઉદઘાટન કાર્યક્રમમાં વલસાડ ધારાસભ્ય ભરત પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં જિલ્લાના લોકોને અભિનંદન આપ્યા હતા.

Next Story